SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ બુદ્ધિપ્રભા. સમર્થની આગળ સઘળાં અસમર્થ પ્રાણીઓ ગરીબ છે, ગરીબને મારોસ કરવી તે વીરત્વ નહિ પણ નાદાની, નીચ, વક્રતાનું પરિણામ છે. અસમર્થ માણસને સમર્થ માણસે, સારણ, વારણા ઇત્યાદિ આકરા લાગે તેવા ઉપાથી પણ તેમને સમર્થ બનાવવામાં તેમને તે આઘાત પણ તેમને હિતકર લેવાથી ઉત્તમ છે. એવા ઉત્તમ ઈલાજે અખત્યાર કરવા તે માણસનું ભૂષણ છે તે પણ પૂર્ણપણે તેને ખ્યાને ગરીબને ત્રાસ આપ તે તે દુધણજ છે. ધપણનો જ સુધી ત્યાગ કરે નહિ ત્યાં સુધી કોઈ ખરે માણસ થવાને પાત્ર નથી. નીચ અને વપણું જયાં સુધી તજે નહિ ત્યાં સુધી કોઈ ખરે માણસ થવાને પાત્ર નથી. નીચા સ્થળમાં-એટલે કે નીચમાં પ્રવૃત્તિ કરનાર પાણીને કુવારાના બળથી ગમે તેટલે ઉચે ચઢાવવામાં આવે તો પણ પાછું ભય પર પડી નીચાણના પ્રદેશમાં જ જવાની પ્રવૃત્તિ કરે છે. તેમ કુદરતના ક્રમમાં ઉચી ગતિએ ફેંકાયેલા (ભાણસ તરીકે ઉન્નત રિયતિએ સરજાયેલા) પ્રાણીઓમાંથી પણ કેટલાકે માંસાહારી કુટુંબના સંસર્ગો માંસાહારી પશુ અને પક્ષી જેવા હલકા અને નીચ સ્થાનની એગ્યતાનું સેવન કરે છે. તેમને વારંવાર વિદ્વાને પિતાની જીંદગીને ભોગ આપીને પણ સમજાવે છે. છતાં હઠાગ્રહને છોડતા નથી. તે તેમનું પ્રદ્ધપણું સુચવાય છે. કેટલાંક પ્રાણીઓ પેટે ચાલનારા, ભુજાથી ચાલનારાં, ચાર પગે ચાલનારાં, આકાશમાં ઉડનારાં અને જળમાં તરનારાં છે. તે માં માણસ જાત એ તદ્દન વિલક્ષણ જાતનું પ્રાણી છે, તે વિલક્ષણતા એ છે કે-તે સઘળા પ્રાણી આડાં ( – આ લીટી જેવાં) રહેનારાં છે. અને માણસ સીધે-- | આ લીટી જેવો) રહેનાર છે. આડાં ચાલનારાં જળચર, સ્થળચર, બેચર એ નામથી ઓળખાય છે તે પણ સ્થળચર પછી માણસજાત સીધો ટટાર રહેવાને પાત્ર છે. . જે કુદરતમાં સી રહેવાને પાત્ર છે તેણે સંપૂર્ણ સીધા થવું જોઇએ, સધળી જાતની વક્રતા અને નીચતા જેમ બને તેમ દૂર કરવી જ જોઈએ. તે દૂર કરવામાં સતત ઉધોગ અને પરિશ્રમ સહન કરવાની શક્તિને વીરત્વનું લક્ષણ કહે છે. વીરત્વ એજ મનુષ્યત્વ છે. ખરા વીરત્વનાં લક્ષણ નીચે મુજબનાં છે. (૧) સઘળું નીચ, અને વક્રતા દુર કરી સંપૂર્ણ ઉન્નતિના શિખર પર આરૂઢ થઈ પૂર્ણ માણસ બનવું. (૨) પરોપકાર દષ્ટિથી બીજાઓને તેવા પૂર્ણ માણસ બનાવવાની સતત કોશિશ કરવી. તેમાં સઘળાં સંકટો અદીનપણે સહન કરવાં. (૩) આ બે અથવા બેમાંનું એકે અને થોડું પણ ન બની શકે એવી સ્થિતિમાં મુકાય ત્યારે મહેતની રાહ જોયા વિના તેમજ ખાધા પીધા વિના બીજી દુનિયામાં ચાલ્યા જવું. • વિધી નિષેધ માર્ગ શબ્દ પ્રહારાદિક આકરા ઇલાબેને ઉપગ જે માત્ર હિત બદ્ધિઓ વિદ્યાર્થી પ્રત્યે માવતરની જેમ કરવામાં આવતા ઉપાશે. આ ચાર ઉપાય છે. સારણ (વિધી વારણ. નિષેધ ચિયનું ઉદાહરણ અને પ્રતિયણ. (વારંવાર ઉદાહરણ આપવાં તે.) આ બધા આપવાના ચાર ઉપાય છે.
SR No.522056
Book TitleBuddhiprabha 1913 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size955 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy