________________
૨૫૦
ઋદ્ધિપ્રબા.
રસ્તા પર આપણે જોઈશું તો આપણને બે બાબત જોવા મળે છે. તેમાંની એક તે એક કેટલાક છોકરાઓ જેઓ પિતાની લાયકાત ઉંચા દરજ્જવાળી વધારવાની કીંમત સમજ્યા છે. તેઓ હર્ષભેર ઝપાટાથી નિશાળ ભણી જાય છે અને બીજી બાબત એ જણાય છે કેઉંચા દરજજાની લાયકાતની કીંમતને નહિ સમજનારા બાળકો નિશાળે જવાની જરા પણ ઈચ્છા જણાવતા નથી, એટલું જ નહિ પણ તે નિશાળે જવાની ના પાડે છે, તેમનાં વાલીઓ તેમને ઘસડીને પોતાને કકળતાં નિશાળમાં જબરજસ્તીથી મુકી આવે છે ત્યાં પણ તેમને ગમતું નથી. ત્યાં અપાતા શિક્ષણપર પણ તેઓ લક્ષ આપતા નથી અને તેમના જેવાજ અજ્ઞાન સોબતીઓની સાથે વાર્તા વિનોદની ગમ્મતમાં સ્કુલ ટાઈમ યુરો કરે છે. પરિણામ એ આવે છે કે તેમના પર પુરતું રક્ષણ રહે છે તે તેઓને તેમની ભુલ સમજાય છે, વિચાર બદલાઈ જાય છે, અને વિદ્વાન થતાં પોતાની બાળપણી નાદાની તરફ તેમને ધિક્કાર આવે છે.
લાયકાત વિના ઉન્નતિ થતી જ નથી. ઉદ્યોગ અને કષ્ટ વેઠયા વિના લાયકાત પ્રાપ્ત થતી નથી અને અજ્ઞાનીઓને ઉદ્યોગ અને તેમાં પડતી તકલીફ પસંદ પડતી નથી તેથી તેઓ ઉન્નતિને પાત્ર થતા નથી,
આપણે ગતિમાન છિયે. અત્યંત કાળથી સ્થિર થયા જ નથી. ઉંચી, નીચી કે આડી હરકોઈ ગતિમાં આપણે નિરંતર ગતિમાન થયા કરીએ છીએ,
ચુલા પર મૂકેલા ખદખદતા પાણી ભરેલા વાસણમાં એરેલા ચોખા નિરંતર ગતિમાન જોઈએ છીએ તેમ સર્વ પ્રાણી આ દુનિયામાં અસ્પિર પણે બમ્યા જ કરે છે. જેઓ ઉચે જતા નથી તેઓ આડા કે નીચા જનાર છે. એ નિર્વિવાદ છે. તેવી જ રીતે માણસે ઉંચા દરજજાપર જનારા નથી. તેઓ આડા કે નીચે જનારા છે. આડા જનારા વક્ર કહેવાય છે અને નીચે જનારા નીચ કહેવાય છે.
વઢના ઉપર કાબુ ચલાવવાની વિદાનોમાં શક્તિ છે અને તેઓ તેમના સંગમાં રહી વિદ્વાનો થઈ શકે છે.
નીચ માણસે પણ ઘણું સારા સંબંધમાં આવે તો ઘણી મુશ્કેલીઓ કંઇક વધુ વખત જતાં પણ તેઓ લાયકાત ધરાવનારા ઉંચા દરજજાવાળા થઈ શકે છે.
જેને કાન છે તે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપનારાં છે અને જેને કાન દેખાતા નથી અને છુપી આકૃતિવાળા કાન જેને છે તેઓ ઈડા મુકે છે પણ તે બચ્ચાંને જન્મ આપનારાં નથી.
વનસ્પતિ આહારી પ્રાણીઓનું ઓળખાણ કરાવનાર એક કુદરતને કાયદો છે કેજેઓ બે હોઠ વડે ચુસીને પાણી પીનારાં છે તેઓ વનસ્પતિના ઉપરજ નિર્વાહ કરી શકવાની લાયકાત ધરાવનારાં છે અને જીભ વડે ચાટીને પાણી પીનાર છે. તેઓ માંસાહારી, મહાન કર પ્રકૃતિનાં જંતુથી ભયંકર પ્રાણુઓ ગણાય છે, તેમને ભરોસે રાખી શકાય નહિ અને ગાફલપણે ભરોસો રાખી બેસે તે હરકોઈ વખતે ઠગાવીને એટલે કે જોખમમાં આવી પડવાને ભયજ કાયમ રહે છે.
ચાટીને પાણી પીનારાં કુતરાં બીલાડાં જેઓ માણસજાતના નિકટના સંબંધમાં રહેનારાં હોવાથી તેઓ વનસ્પતિ આહારી માણસના સંસર્ગમાં રહે છે કે તે એકાદ જીજ્ઞાસુ ઉમેદવારની પેઠે પોતે માંસાહારની પંક્તિમાં સરજાયેલ હોવા છતાં વનસ્પતિ આહારપર નિર્વાહ કરીને પોતાની લાયકાત લંચ દરાવાળી વધારવાની ખરી કીંમત સમજેલા