SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્માના વચનમાં પણ અપૂર્વ સન્મ સમાયેલું છે. ૨૬૩ વાના કામમાં પડયા હતા તે સમયે એક સાધુ યેગી પણ ઝરાના તટે પિતાને લોટો માં જતા હતા. શેઠને સંતન્નાગી પુરૂવામાં પુષ્કળ શ્રદ્ધા હતી. તેમના દરેક વયનામાં ઘણું સત્ય સમાયેલું છે તે તે શેઠ ખરા મનથી માનતા હતા. હવે એમ બન્યું કે ઝરાની તટે એક બગલો એક પત્થર ઉપર સંભાળથી પોતાની ચાંચ ઘસો હતા. વચમાં વચમાં થોડું થોડું કરામાંથી પાણું લઈને આડી ને સીધી બાબર રીતે પોતાની ચાંચ બગલ ઘસતો હતે. આથી તે મહાત્મા જે લેટા માંજતા હતા તેમના મુખમાંથી અચાનક નીચેના શબ્દો નીકળ્યા - ઘસત ઘસત તુમ હેત ઘસત હૈ, ધસત લેકર પાણી; કીસ કારણ તુમ હેત ઘસત છે, ઓહી વાત મેં જાણી, રામા ! ઓહી વાત મેં જાણી.” આ શબ્દો સાંભળી શે વિચાર કર્યો કે આ સાધુ મહારાજ હારા વિષે બોલ્યા માટે હારે તે મનન કરવા લાયક છે. આવું સમજી શકે તો તે દુહે મોટે ગોખવા માંડ્યો અને રસ્તામાં જતાં જતાં તેમને તે શબ્દો મોઢે થઈ ગયા અને ઘેર ગયા ત્યાં નાહતાં પિતાં બેસતાં ઉઠતાં આના આજ શબ્દ બોલવા લાગ્યા ઘરના માણસોએ જાણ્યું કે શેઠ તે ગાંડા જેવા થયા છે અને લવરી કર કર કરે છે. - હવે એમ થયું છે કે શેઠને ત્યાં બે સ્ત્રીઓ છે; તેમાં એક નવી અને બીજી જુની. પિતાની જુની સ્ત્રીથી કાંઈ સંતાન ન હેવાને લીધે શેઠે ફરીથી લગ્ન કર્યું હતું. સ્વાભાવિક એ નિયમ છે કે જુની સ્ત્રી કરતાં નથી સ્ત્રીનું ઘરમાં ચલણ વધારે હોય છે અને જ્યાં એકથી વધારે સ્ત્રીઓ ઘરમાં આવી કે તરતજ ધરમાં કંકાસ થાય છે. જુાં સાચાં સાંભનવાં પડે છે. એક બીજાની સ્ત્રીઓ અદેખાઈ કરે છે અને પિતે સારી દેખાઈ બીજને જ્યારે હલકી પાવું એવી તે દરેક સ્ત્રીઓને ઈચ્છા હોય છે. જ્યાં છોકરાની વહુ કે દેરાણી જેઠાણું કે નણંદ ભોજાઈ વચ્ચે એવું હોય છે તે બન્ને શોક વચ્ચે જ્યાં એકજ ઘરમાં રહેવાનું હોય તેમાં કાંઈ નવાઈ નથી, આમ હોવાથી શેઠના ઘરમાં નવીનું ચલણ વધારે હતું અને જુનીને કોઈ હિસાબમાં ગણતું નહિ. આથી બીયારી જુની બૈરી રોજ પિતાની શક્યને કે શેઠને હેરાન કરવાને લાગ શોધતી હતી. આમ ઘણું દીવસ વીતી ગયા પણ કાંઈ પણ લાગ જુનીને મળે નહિ, ત્યારે તેણે શેઠના હજામ રામાને સા. રામો બહુ બાહોશ હજામ હતા અને એવી સફાઈથી હજામત કરતો કે હજામત કરાવતી વખતે હજમત કરાવનારને ખબર નહિ પડતી કે રામાએ હજામત કરી છે. હવે ગાંજાભાઈ ને તેમાં આ હુશીયાર ગાંય જો તેમાં વળી કહેવું છે? શેઠાણીએ રામાને બોલાવ્યો. ઓરડી ચાકરડી કને બંધ કરાવી અને સમજાવવા માંડયો. પૈસા દેખી મુનીવર ચળે તો ગાંજાભાઈનો શો હિસાબ? શેઠાણીએ રામાને રૂપીઆ પાંચની લાલચ બતાવી, અને કહ્યું કે જ્યારે તું શેઠની હજામત કરવા આવે ત્યારે એવી સાઈથી શેઠના ગળા ઉપર અ મુકી દે કે જે શેઠને ખબરજ પડે નહિ અને જે કામ સહીસલામત પાર ઉતર્યું તે રૂપીયા પાંચસેની પાઘડી બંધાવીશ. રામા લલચા અને કામ પુરવાર કરવાનું વચન આપ્યું. વળી શેઠાણીએ સલાહ આપી કે વાત કેઇના કાને જાય નહિ ત્યારે રામાભાઈ બેલ્યા “વાહ વાહ! એ શું બેલ્યાં? વાત તે કાંઈ કોઈના મોઢે થાય? એતો તમે ને હું બેજ જાણુએ,”
SR No.522055
Book TitleBuddhiprabha 1913 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages66
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy