________________
મનુષ્યની એક્યતા અને અભેદતા.
मनुष्यनी ऐक्यता अने अभेदता.
( લેખક. શંકરલાલ ડાહ્યાભાઈ. કાપડીઆ. ) અમો ને તમે સમાજાતિ, અમે ને તમે સમાજાતિ; પશુ પંખી અમારા છે, અમારા તે તમારાં છે.
( શ્રીમદ્ બુદ્ધિસાગરજી.) બંધુઓ આ ઉપરની કડીમાં કેવું સામર્થ વિલસી રહ્યું છે? કેવું આનંદ જનક અને પ્રેમ વર્ધક તત્વ અંતર્ભવે છે? કેવી ઉચ્ચ ભાવના છે ? કેવું ભવ સાગર પ્રવહન છે? કેટલું શાંતિ પ્રદાન છે ? હવે આ ઉપર આપણે વિચાર કરીએ. આ કડી એમ સુચવે છે કે અમને તમે સર્વે સમાન છીએ એટલે એકજ જ્ઞાતિના છીએ. અમારું જે સઘળું તે તમારું છે. તમારૂં તે હમારું છે. સર્વે જીવો પશુ પંખી આદિ અમારા પ્રાણ સમાન છે તેમ તમને પણ પ્રાણ સમાન છે. આ ગાથાનો જે સારાંશ છે તે સહેજ સમજી શકાય તેમ છે. હવે તે શી રીતે બને તે વિચારવું ઘણું આવશ્યક છે. કોઈ પ્રશ્ન કરે કે શું રાજાને રંક, સધન ને નિર્ધન, ઉંચ વર્ણને નીચ વર્ણ, અમીરને રકીર, મોટાને નાના, બ્રાહ્મ
ને મુસલમાન સરખા ? એક છઠ્ઠીવાળા છો, બે ઈદ્રીવાળા, ત્રણ દીવાળા, ચાર ક્રોવાળા, ને પાંચ ઈટીવાળા સા જ સરખા ? શું માણસ અને પશુ સરખાં ? વનસ્પતિને આપણે સરખાં ? આમ વિવિધ પ્રકારના પ્રથમ ભલે કરે પણ અમો તો બેધડક રીતે કહીએ છીએ કે આ દુનિયામાં સર્વે જીવો આપણું સરખાજ છે. સર્વેને સુખ દુઃખની લાગણીઓ સરખી જ છે. જ્ઞાનીઓ સર્વે જીવોને મારવા જેવું : પરસિ ઃ પરવાર. એ સૂત્રથી દુનિયાના સર્વે ને પિતાના સમાન ગણવાનું સુચવે છે. કેઈ પણ પ્રકારને ભેદ કે અંતર રાખવાનું સૂચવતા નથી પણ એકી અવાજે સર્વે જીવોપર એક્યતાજ રાખવાનું સૂચવે છે. હવે આનું શું કારણ છે, તે આપણે વિચારીશું. આ બા. બતમાં હિંદુ શીલસુફીને જ્ઞાતા સ્વામી રામતીર્થ પણ જડમાં જડ વસ્તુ વિષે બેલતાં એટલે સુધી આગળ વધીને કહે છે કે –આખી સમસ્ત દુનિયાજ તમારી છે. તમે તેની સાથે સરખા હકથીજ જોડાયેલા છે, જેને તમે ઐહિકમાં સર્વસ્વ ગણે છે તે તમારા એકલાનું નથી પણ સર્વેનું એકઠું થએલું તો ભગવો છે, તેમ સર્વેનું જે સઘળું છે તેમાં તમારે પણ સરખે હિસ્સો સમાયેલું છે. હવે આ કેમ બને, તેનું શું કારણ હશે તેનું હવે આપણે પ્રત્યાયન કરીએ. પ્રથમ આપણે જડ સબંધી વિચાર કરીશું એટલે મનુના શરીરની વનસ્પતિ સાથે સરખામણી કરીશું. સર્વે કે જેણે આરોગ્ય વિદ્યાનું અધ્યયન કરેલું છે તેઓ સારી રીતે જાણે છે કે મનુષ્યોને ઓકસીજન અને ઝાડાને કારબોનિક એસિડગેસ અનુક્રમે પ્રાણ રક્ષક વાયુ છે. હવે આપણે આનું અરરપરસ શી રીતે વિનિમય કરીએ છીએ તેને વિચાર કરીએ. આપણે સર્વે વખત ઓક્સીજન ગેસ લઈએ છીએ અને કારન બહાર કાઢીએ છીએ. જે આ ગેસ પાછા આપણે લઇએ તે મરી જઈએ. આ માટે કલકત્તાના કિ હાલનો દાખલ