SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સુવિચાર નિઝર. ওও - - - -- सुविचार निर्बर. (પાદરાકર) “ અરણ્યમાં સ્વેચ્છાથી કરનાર પશુ-પક્ષિને પાંજરામાં કેદ પુરવાથી તે અત્યંત ઉદાસ ને ખિન્ન જણાશે, તેજ મુજબ, સત્ય સદાચાર જ્ઞાનાભ્યાસ આદિ સ્વરછ હવામાં ફરનાર આમા ને કુકર્મના પાંજરામાં પુરશે તે તેની આંતરીક ખીન્નતાને કંઈ પાર રહેશે કે ? કેવળ જગત સારૂ કહે તેટલાજ ઉદેશથી તો અનેક ઉદ્યોગ કરતા હતા તે તમારૂ આયુષ્ય ફાકટ જશે. ફક્ત તમારા પોતાના જ સુખ માટે તમારી કાર્યતાપકૃતતી હશે તે અધમ રીતે આયુષ્ય ગયું ગણાશે પણ જગતના પોપકારાર્થે નિર્લોભ વૃત્તિથી જ ગાળેલી દરેક પળ ફળદ્રુપ છે એમ ન સમજો. આપણું ખરું કર્તવ્ય શું છે એ સમજવું એનું નામ શાણપણ ને તે કર્તવ્ય નિ. કામ બુદ્ધિથી બજાવવું તેનું નામ સદ્ગુણ. “ અમુક કામ કરવું ઉત્તમ છે એમ મને લાગે છે પણ શું કરું ? મહારી પરિસ્થિતિ અનુકુળ નથી.” એમ બેલનાર હજારો મલશે. પણ પ્રતિકુળ પરિસ્થિતી સામે થઈ મનુષ્યવનનું પૂર્ણવ પ્રાપ્ત કરવામાં મહત્તા સમાઈ છે. કારણું સર્વસ્વરીયા અનુકુળ પરિસ્થિતીમાં રમીને એક પણ સાધુ અગર તત્વવેત્તા નિર્માણ થયો નથી. ઘણે વખત અંધકારમાં પડી રહેલું સો ટચનું સેનું પણ નિસ્તેજ દેખાય છે. તેમ મનુષ્યના અંગમાં ગમે તેટલા ઉત્તમ ગુણે હેય પણ પરોપકારાર્થ તેને ઉપયોગ ન થાય ત્યાં સુધી તે નિસ્તેજ રહે છે. પિોટા ઉદાર મહાન પુરૂષો ઘણું વખત ઉદાસને દુઃખી કેમ દેખાય છે ?” એમ કઇએ એરીસ્ટોટલને પૂછતાં તેણે કહ્યું કે “ તેમનાં અંત:કરણ શુદ્ધ આસા જેવાં નિર્મળ હેવાથી જગતના દુ:ખી પ્રાણીઓનાં પ્રતિબિંબ તેમાં જણાય છે તેથી ! આપણે રવતઃ પૂર્ણ નિર્દોષ થવાબાદ લોકના દે દેખાડવાનો અધિકાર આપણને પ્રાપ્ત થાય છે. કેવળ નામ પ્રસિદ્ધિનીજ માળા જપવા કરતાં કંઈક કર્તવ્ય કરી દેખાડવું કે જેથી સ્વયમેવ પ્રસિદ્ધિ થશે કારણ કે સાંપ્રત સમયના લકે કર્તવ્યને જોતાં શીખ્યા છે. ખરેખરા ક્રોધની અણી ઉપર જે ક્ષણે તમે આવી ગયા છે. તે જ ક્ષણે એ દેધનું
SR No.522039
Book TitleBuddhiprabha 1912 06 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size558 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy