________________
આખું શરીર કુરબાન છે. પણ હવે હું વચન પાળજે છે કે ? ” મખજીએ કહ્યું.
“ મખજીરાજ ! ધવિનાવસ્થાની ભરતીઓટ અસ્થિર ને અનિયમિત હેાય છે એટલે કદાચ ઉગકર કે અનુગર પણ હોય” નલિકા બેલી.
“ હશે એ કદાચ હોય પણ તેથી ભરતીઓટ નથી થતી એમ તે ન સંભવેને ? ”
“ અરે, એ શું બોલ્યા મારા જીવનનું અવલંબન આપ સિવાય બીજું કશું હોઈ શકે ? નલિકાએ હાલ તુરતને માટે તે મખને માખણ ચટાડવું.
“ અરે શાબાશ નલિકા શાબાશ ! ! !” મખજી પુલીને ફાળકે થયે.
હવે પણ આપણું ધારેલા કાર્યમાં કંઈ હરકત ના આવવી જેએ.” નલિકાએ પ્રસ્તુત વિષય ઉપાડ્યો.
“ હરકત નહિ સવારમાં ગમે તે પ્રકારે દેવકુમારને મળીશ. તમારે તો કામ સારધાર થયું એમ જ સમજવું, રાણી માતાને કહેવું કે બેફીકર રહે.” મખજીએ હિમત આપે.
પણ એમ કુમાર મશાનમાં આવે એવા નથી. બહુ બુતિપુરઃ સર કામ લેવું જોઈશે.” નલિકાએ અગવડ દર્શાવી.
“ તમારે તેનું શું કામ છે. કામ તમારે ફલીભૂત થાય એટલે બસ, મખજીએ કહ્યું.
બસ અમારે તે એટલું જ જોઈએ છીએ. ”
મધરાતના મહારાજા સમશાનમાં આવે ત્યારે કુંવર મંત્રસાધના કરતા હશે. માટે મહારાજને ખબર આપી દેવી કે કુંવરની નજીક ન આવનાં દૂરથીજ નિહાળી ચાલ્યા જાય, નહિતે તેઓની અંદગી જોખમમાં આવશે. ” મખએ બીક બતાવી.
“ નિશ્ચિંત રહે, અમા સાથે વિશ્વાસુ માણા રખાવીશું ” નવલિકા બોલી.
એ માણસામાંથી પણ એક મંત્ર ભૂમિમાં ન આવવો જોઈએ.” મખજીએ બીજી સૂચના કરી.
છે એમ થશે. રાણી સાહેબનું ને તેમના કુંવરનું જીવન આપના હાથમાં છે એટલે અમારે તે તમારાપરજ વિશ્વાસ છે પરુ હવે બહુ વખત થયો, બા સાહેબ સહ જોતાં હશે. ” નલિકાએ કહ્યું.