SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ છે. કેમકે દર કે સિદ્ધ બુદ્ધ પરમાત્મા સર્વ સર્વત છે. તે સર્વજ્ઞનું જ્ઞાન એક સરખું થયું અને તેથી એક સરખું જ્ઞાન થવું જોઈએ. વળી રે (પરમાત્મા ) પવિત્ર છે. અદેખાઈ દોષ રહિત છે તેથી તેમને ઝધડા સંભવતા નથી. જે ઝઘડો કરે તેનામાં ઈશ્વરપણું હાય નહિં. માટે ઈશ્વર અને ત માનવામાં પણ પ્રકારનું દુષણ નથી. સર્વ જીવો કર્મ થકી રહિત થાય છે ત્યારે પરમાત્મપદ પામે છે અને અક્રિય થાય છે. પાછા અહીં આવતા નથી. માટે પરમાત્માઓ કે જે અક્રિય છે તેને જગત્ બનાવવાનું કાઈ પણ કારણ નથી. 3. તમાએ કહ્યું કે પશ્વર સર્વવ્યા છે તે પણ પ્રામાણિક નથી. અમે પૂછીએ છીએ કે શ્વા સર્જયા જ્ઞાનથી છે કે શરીરથી છે ? જે શરીરથી સર્વવ્યાપક ઈશ્વર માનશે તે સર્વ જગાએ ઈશ્વરનું શરીર સમાઈ ગયું. બીજ પદાર્થોને રહેવા માટે જગ્યા પણ મળવાની નહિં માટે ઈશ્વર શરીર કરી સર્વ વ્યાપક કરતો નથી. જ્ઞાને કરી સર્વવ્યાપક માનશે તે સિદ્ધ સાધ્ય નથી. વેદોમાં પણ શરીરવાળો માનેલા છે. સનાતન વેદધર્મવાળા વેદના આધારે ઈશ્વરને સાકાર માને છે. ૪. તમારે માનેલા ઈશ્વર સર્વજ્ઞ પણ કરતો નથી કેમકે જે સવા હોત તો જગતર્તાનું ખંડન કરવાવાળા એમણે કેમ ઉત્પન્ન કર્યા ? વળી કહેછે કે જન્માંતરમાં ઉપાર્જન કરેલાં શુભાશુભ કર્મના અનુસારથી ફળ આપે છે તે ઈશ્વર સ્વતંત્ર (સ્વાધીન) કરતા નથી. કેમકે કર્મ વિના ઈશ્વર ફળ આપવાને સમર્થ નથી. ત્યારે ઇશ્વરને આધીન કાંઈ પણ રહ્યું નહિં. જેવાં કર્મ કર્યો હશે તેવાં ફળ મળશે. વળી એકાંતથી ઈશ્વર જગતકર્તા વિચ માનશે તે તે નવાં નવાં જગત રચ કરશે કારણકે જગતને રચવાને સ્વભાવ ઈશ્વરમાં નિત્ય છે. વળી કહેશો કે જગતને બનાવવાને સ્વભાવ ઈશ્વરમાં નથી ત્યારે તે કોઈપણ વખત જગતને ઈશ્વર રચી શકે નહિં. વળી વોને રચવાને સ્વભાવ એકાંત નિત્ય માનશે તે સર્વદા છ ઉત્પન્ન થયા કરશે, કદી પણ છે નાશ પામશે નહિ. વળી તમે ઈશ્વરમાં જગત રચવાની તથા નાશ કરવાની અમ બે શક્તિ માનશો તો તે પણ ખેડું કરે છે કારણ કે ઉત્પત્તિ અને નાશ કરનારી પરસ્પર વિરુદ્ધ શક્તિ કોઈ પણ વખત એક ઠેકાણે રહી શકશે નહિ. જે કાળમાં જગત્ રચવા માંડશે તેજ કાળમાં નાશ કરનારી શક્તિ નાશ કરી નાખશે. એમ જ્યારે પરસ્પર બે શક્તિઓ
SR No.522027
Book TitleBuddhiprabha 1911 06 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size851 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy