________________
૩૩૩
અપકાર રૂપ ન થાય તે માટે તમારે નાનાં નાનાં કામમાં પશુ બહુ સાવલ રહેવું જોઈએ અને કદાપિ કૃતની થવું ન જોઈએ.
વળી કેટલીકવાર તમે તમારા જ્ઞાનના અભિમાની બની જાઓ છે, અને તમે સૌથી વધારે જ્ઞાન ધરાવો છે, એવો મિયાં ગર્વ રાખો છે, પરન્તુ તમારે એ અવશ્ય વિચારવું જોઇએ કે ખાલી કોથળો કદાપિ ટાર રહી શકતો નથી. બીજીઓના દેવતરફ દષ્ટિ કરવા કરતાં પિતાની ભૂલ તરફ પ્રથમ નજર કરવી ઘટે છે. વિદ્યા વિનયથી શોભે છે, માટે બુદ્ધિની સાથે નમ્ર બનો. કહ્યું છે કે –
विद्या ददाति विनयं विनयाद्याति पात्रताम् पात्रत्वाद् धनमाप्नोति धनाद्धर्म ततः सुखम् ॥
વિદ્યાથી વિનય મળે છે, વિનયથી યોગ્યતા મળે છે, યોગ્યતાથી ધન મળે છે, ધનથી ધર્મ અને ધર્મથી છેવટે સુખ મળે છે.
વિદ્યાભ્યાસના સમયમાં ધ્યાન અથવા એકાગ્રતાનો ગુણ બહુ જરૂર છે; એકાગ્રતા અથવા કોઈપણ વિષય ઉપર પોતાનું ચિત્ત લગાડવાની શક્તિ એ સર્વ બાબતમાં વિજયની કુચી છે અને વિદ્યાભ્યાસમાં તો તે પરમ મદદ ગાર છે. તમારા વર્ગમાં કોઈ વિષય શિખવાતો હોય, તે વખતે જો તમે તે વિષય ઉપર ધ્યાન ન આપે અને પાસે બેઠેલા ઇંકરા સાથે ગુપચુપ વાતો કર્યા કરો તો તે શિક્ષણને લાભ કેવળ તમેજ ન મેળવો એટલું જ નહિ પણ તમારી પાસે બહેલા વિદ્યાર્થીઓ પણ તે વિષય શિખી શકે નહિ. ભણતી વખતે વાત કરવી અને પાઠપર ધ્યાન ન આપવું એ ઉત્તમ આચરણની વિરુદ્ધ છે, કારણ કે તેમ કરવાથી તમે તમારા ગુરૂને વિનય સાચવતા નથી, તેમજ તેને તથા તમારા ઉપયોગી સમય નિરર્થક ગુમાવે છે. જ્યારે તમારા શિક્ષક વર્ગમાં ન હોય અથવા કાંઈ કામમાં રોકાયો હોય ત્યારે તમારે ચુપ બેસી રહેવું જોઇએ, પણ કોલાહલ ન કરવો જોઈએ, કારણ કે એ બાબત પણ નિંદ્ય આચરણ છે.
- આજકાલ ઉન્નતિના સમય છે, ઉન્નતિદર્શક માર્ગે ચારે તરફથી બતાવાય છે. લાકે સમાજો, સંસ્થાઓ અને કેન્સરને ભરી કેમ, ધર્મ કે પ્રજાનું હિત વિચારે છે. કેટલાક મનુ નવી નવી બાબતો શિખવાને વિદ્યાકળા પ્રાપ્ત કરવાને અને મોટી મોટી ડીગરીઓ મેળવવાને ઈગ્લાંડ, જર્મની, જાપાન, અમેરીકા વગેરે દેશોમાં જાય છે. મોટી મોટી ધર્મ સમાજે અથવા સભાઓ સ્થપાય છે અને પ્રજાના ઉદયને વાતે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે. આ સર્વ સારા સમયની નિશાની છે અને આ