SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ શીરીતે હોઈ શકે; અલબત હોઈ શકે નહીં, કથંચિત્ આમા નિત્ય માનતા અને કથંચિત આત્મા શરીરાદિકની અપેક્ષાએ અનિત્ય માનતાં દયાની સિદ્ધિ થઈ શકે છે, શરીરાદિકની અપેક્ષાએ આત્મા નિત્ય છે તેથી આભામાં કથંચિત રાગપમાં પરિણમવાનો સ્વભાવ છે તેથી રાગદ્વેષના યોગે આ ત્માને હિંસાથી પાપકર્મ લાગે છે અને દયાથી પાપકર્મ ટળે છે. પુણ્યકર્મ બંધાય છે. તેમજ કર્મનો ક્ષય પણ થાય છે. યજુર્વેદમાં પણ નિત્ય અને કથચિત્ અનિત્ય આત્મા માન્યો છે, તેથી પણ સ્વાદિદર્શનમાં માનેલા આત્માની પુષ્ટિ થાય છે, તતપાઠ તદેજતે તન ૫જતે, આત્મા કંપાયમાન થાય છે અને તે આમા કંપાયમાન થતો નથી. સારાંશ કે શરીરાદિકની અપેક્ષાએ આત્મા કંપાયમાન થાય છે. અર્થાત હાલે છે, ચાલે છે, અને આત્મા ઍદિવ્યરૂપ કંપાયમાન થતો નથી. અર્થાત હાલતો ચાલતો નથી. દ્રવ્યાર્થિ કનયની અપેક્ષાએ આત્મા હાલત નથી. અને પયયાર્થિકનયની અપેક્ષાએ આત્મા હાલ છે, આ સૂત્રને સ્યાદ્વાદદષ્ટિથી વિચારતાં આ મા નિત્યનિય સિદ્ધ કરે છે. આત્માને અપેક્ષાએ નિત્યાનિત્ય સ્વીકારતાં દયા અને હિંસાની સિદ્ધિ થાય છે. કેટલાક આત્માને વિભુ અર્થાત્ સર્વવ્યાપક સ્વીકારે છે. તેમના મતમાં પણ દયાના સિદ્ધાંતની સિદ્ધિ થઈ શકતી નથી, આત્મા જ એકાન્ત આકાશની પિઠે સર્વવ્યાપક એકાંત સર્વ વ્યા- હેાય તો પ્રથમ તો તેને કર્મ જ લાગી શકે નહીં. પક આત્મા મા- સર્વવ્યાપક આત્મા સદા આકાશની પિઠે અપ્રિય હોય નતાંદયાની સિદ્ધિ છે, અને અક્રિય આત્મા એક દેશથી કર્મની ક્રિયા થઈ શકતી નથી, કરી શકતો નથી. વ્યાપક આત્માના એક દેશમાં ક મની ક્રિયા કરવાને સ્વભાવ હોય અને અન્ય દેશમાં ન હોય એમ બની શકે જ નહીં. સર્વવ્યાપક આત્માને કર્મ, મન, વાણી અને કાયાને સંબંધ કોઈ પણ રીતે થઈ શકે નહીં. એકાંત નિત્યવ્યાપક આમાને હિંસાની વા દયાની ક્રિયા કરી શકવાની શક્તિ નથી. એકાંત વ્યાપક આત્મા એક દેશથી કર્મ કરી શરીર ધારણ કરી શકે અને અન્ય દેશથી નિર્મલ રહી શકે એમ કદી બની શકે જ નહીં. અનુભવ અને યુતિથી જે વિચાર બંધ બેસે નહીં તે માની શકાય નહીં, સર્વવ્યાપક આત્મામાં દયાની સિદ્ધિ કઈ પણ પ્રમાણુ વા યુક્તિથી થઈ શકતી નથી. માટે તે મત મન્તવ્ય નથી. કેટલાક લોકો આત્માને અણુ અને નિત્ય માને છે. તેમના મતમાં પણ દવાની સિદ્ધિ થઇ શકતી નથી, એકાંત નિત્ય અણુરૂપ આત્માને
SR No.522010
Book TitleBuddhiprabha 1910 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size919 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy