________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક : ૧૨]
હું તો ભલે એકલા !
[ ૨૫૫
“ મને જે જોઈએ છે તે તમે જ આપી શકે! એમ છે. તમારા જેવા રાજવી સિવાય બીજાનુ એ ગજું નથી. ખેલા ! ખેાલા ! મહાનુભાવ! તમને મારી વાત કખૂલ છે ? ''
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિમરાજને તેા આ બધુ ઊંડે કૂવે ઊતરવા જેવું આકરું લાગ્યું. સાધ્વીની વાતનું તળિયું જ એમને તે ન દેખાયું. એમણે પૂછ્યું: “ પણ આપની વાત તો કરે ! આપને એવું તે શું ખપે છે કે જે માટે આપ આ સમરભૂમિમાં પધાર્યા છે ? ’
r
રાજન ! મારે આહાર, વસ્ત્ર, પાત્ર, નિવાસ કે ખીજા કાઈ ઉપકરણનો ખપ નથી. એ બધાની તેા મિથિલામાં કથાં કકંમના હતી કે એ માટે આટલા પંથ કાપવો પડે ?–મારે જે...”
r
નિમરાજ વચમાં જ ખેાલી ઊઠયાઃ “ મિથિલામાં ? શુ આપ મિથિલામાં રહેા છે ? મિથિલાથી અહીં આવે છેા? મિથિલામાં ન મળે એવુ' તે આપને શુ જોઈ એ છે કે જે મેળવવા મારી પાસે આટલે દૂર આપને આવવું પડયું? આપ મને મિથિલામાં કેમ ન મળ્યાં અને અહીં કેમ મળ્યાં ? હું અહીંથી મિથિલા પાટ્ટા ફરુ' એટલા વખત આપે રાહ જોઈ હોત તો ?' એના મનમાં પ્રશ્નોની હારમાળા જાગી ઊઠી.
*
મિરાજ ! મારે જે જોઇએ છે તે તમારી પાસેથી અને આ યુદ્ધભૂમિમાં જ મળે એમ છે. અને એટલા માટે તે! હું તમારી સૂચના પગલે પગલે વિહાર કરતી અહીં પહેોંચી છું. મેાલો, હવે તો મારું ભાગ્યું મને આપશે ને?
""
નિમરાજને ખાતરી થઇ કે આ કઈ સામાન્ય વાત નહીં. હાય. આટલાં કષ્ટ વેઠીને સમરભૂમિમાં પહોંચનાર આ સાધ્વીની વાતનો ભેદ પામવા એમને મુશ્કેલ લાગ્યા, મંત્રી અને સામતા પણ વિમાસણમાં પડી ગયા. રાજવીને તેા હા કહેવામાંય હાણુ અને ના કહેવામાંય હાણ જેવું થઈ પડયું.
* પણ
પળ બે પળ વળી સ્તબ્ધતા છવાઈ ગઈ. છેવટે મિરાજે અકળાઈને પૂછ્યું : આપ આપની વાત કહે। તે ખરાં ? આપની માગણી શુ' છે તે સમજ્યા વગર શુ કહી શકાય ?
"
સાધ્વીને લાગ્યુ કે હવે વાત કરવાની ઘડી પાકી ગઈ છે. એમણે કહ્યું : સાંભળા ત્યારે મિરાજ ! મંત્રીઓ અને સામા ! તમે પણ સહુ સાંભળજો ! આ યુદ્ધભૂમિમાં મિરાજની પાસે હુ યુદ્ધની શાંતિની ભિક્ષા માગવા આવી છું !”
યુદ્ધની શાંતિ ! જાણે વીજળીના કડાકા થયા ! બધા સ્તબ્ધ થઈ ગયા.
**
આપ આ શું કહેા છે? શું આપને આ યુદ્ધની શાંતિ ખપે છે? શું મિથિલાપતિ માલવપતિને પરાજિત કર્યાં વગર, પેાતાના લાવ લશ્કર સાથે પાછો ફરી જાય એવી આપની માગણી છે ? ’
“ હા, એમ જ. મારી વાત તમે બરાબર સમજ્યા છે. ''
“ શૂરા થઇને યુદ્ધે ચઢયો અને કાયર બનીને પાછા પડયો—એવુ કલ’ક વહેારીને હુ’ આ યુદ્ધ સડેલી લઉં એમ આપવુ' કહેવુ છે ? ' મિરાજનુ અંતર ઉશ્કેરણી અનુભવી રહ્યું.
35
r
‘રાજન્ ! જરા સ્વસ્થ થાઓ. આમાં ન તા કાયર થવાનું છે કે ન તો કલક વહારવાનું છે ? એક હાથીને માટે અહંકારના ગુલામ બનીને યુદ્ધને નાતરવું એ કાયરતા કે અહંકારને દૂર કરીને યુદ્ધની શાંતિને નેતરવી એ કાયરતા? એક હાથીને કારણે હજારા માનવીઓના
For Private And Personal Use Only