SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી, જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૦ ટ્રાઈ સેટેસ– ૨૦ ફુટ લાંબુ અને વચમાં ૮ ફુટ ઊંચું પ્રાણી હતું. તેને ૩ શિંગડાં અને ૭ ફુટ ઊંચું મેં હતું. એનેટે સર–તે ૨૫ ફુટ લાંબુ હતું, તેને ૨ પગ હતા, સારસ જેવી ચાંચ હતી. ૨ હજાર જેટલા દાંત હતા. જે ખેરાક ચાવવામાં ઘટીને બે પૈડા જેવું કામ દેતા હતા, તે જમીન પર અને પાણીમાં ચાલતું હતું, ટાઈરેને–તેની લંબાઈ ૫૦ કુટ હતી, તેનું મે જમીનથી ૧૮ થી ૨૦ ફુટ ઊંચું રહેતું હતું. તેને મેંમાં છ છ ઈંચ લાંબી દેતા હતા. ભૂસ્તરશાસ્ત્રીએ આ પ્રમાણે અનેક પશુ-પક્ષીઓનું પ્રાચીનકાળમાં અસ્તિત્વ બતાવે છે. અને સાથોસાથ જણાવે છે કે આ એ જાતનાં પ્રાણીઓ આજે પૃથ્વી પર વિદ્યમાન નથી. જૈન સાહિત્યમાં અષ્ટાપદ, ભારંડ, ગ્રાહ, ભૂમિજ-મસ્ય વગેરે નામો આવે છે. તેના ડીલડેલ–શરીર અને સામર્થ્યના ઉલ્લેખો મળે છે પરંતુ આજે તે જાતના પશુ, પક્ષી–લચરો દેખાતા નથી. “દેખાતા નથી ” એટલે એ જાતનાં પ્રાણીઓ હતાં જ નહીં એમ અનુમાન કરી નાખવું એ ઉપરના પ્રાણીવણને વાંચ્યા પછી આપણને એક ઉતાવળું સાહસ જ લાગે છે આફ્રિકામાં થોડાં જ વર્ષો પહેલાં એક ભયંકર પક્ષી હતું એ વાત જાહેરમાં આવી છે. તેનું સ્વરૂપ જોતાં-વિચારતાં આપણને અષ્ટાપદ વગેરે માટે શંકાને સ્થાન રહેતું નથી. સાથેસાથ જૈન સાહિત્યનું નિરૂપણ કેટલું વાસ્તવિકતાથી સંકળાયેલું છે એ વસ્તુ સમજવામાં જરાય વાર લાગતી નથી. જૈન સમાજમાં વિજ્ઞાન, પુરાતત્ત્વ, ભૂસ્તરજ્ઞાન વગેરેને જાણકાર વર્ગ ઊભો થાય તે જગતની સામે આવાં અનેક સત્ય રજૂ કરશે એ નિર્વિવાદ વસ્તુ છે. અનુસંધાન પૃષ્ઠ : ૩૭ થી ચાલુ ] આ મંદિરમાંની ૯ દેરીઓની મૂર્તિઓ આહેરના જિનાલયમાંથી લાવવામાં આવી છે. અને તેની પ્રતિક સં. ૧૯૫૯ના જેઠ સુદિ પના રોજ કરવામાં આવી છે. બીજું મંદિર શ્રી પાર્શ્વનાથપ્રભુનું છે. સં. ૧૮૨૦માં હથુંડી રાઠોડ ઓશવાલ શેઠ જેમાજી અને ટાજી નામના બે ભાઈઓએ મળીને બંધાવ્યું છે. કેટલાકના કહેવા મુજબ અહીં કિલ્લે બાંધવામાં આવ્યો ત્યારે તેની સાથોસાથ આ મંદિર બાંધવામાં આવ્યું. મંદિર બાંધવાના કારણમાં એમ જાણવા મળે છે કે, બંને ભાઈઓ પૈકી નાના જમાઇને એવું સ્વમ આવ્યું કે, શેલા ગામની બહાર આવેલા મેટા તળાવમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ છે તેને બહાર કાઢે – આથી તેણે ત્યાં જઈ જોયું તે બરાબર સ્વમ મુજબ પ્રાચીન મૂર્તિ, પબાસન અને તેરણ વગેરે નીકળી આવ્યું અને આ મંદિર બંને ભાઈઓએ મળીને બંધાવ્યું. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની જા હાથ પ્રમાણની સુંદર પ્રતિમા વિરાજમાન છે. એના પબાસનમાં સં. ૧૧૬રનો પ્રાચીન લેખ છે. એ પબાસનમાં અંબિકાની યુતિ હોવાથી એ શ્રીનેમનાથ ભગવાનનું હશે. તેના ઉપર શ્રી પાર્શ્વનાથની મૂર્તિને પાછળથી બેસાડવામાં આવી લાગે છે. આજે પણ શેઠ જેમાજીના પરિવારનાં ૫૦ ઘરે વિદ્યમાન છે. મંદિર ઉપર ધ્વજાદંડ તેમના પરિવાર તરફથી જ ચડાવવામાં આવે છે. - ત્રીજું મંદિર શ્રીધર્મનાથ ભગવાનનું છે; જે અંતિજના ઉપાશ્રયમાં આવેલું છે, સં. ૧૯૫૦માં મંદિર આ બંધાવેલું છે. આ સિવાય બીજા ત્રણ જૈન મંદિર વિદ્યમાન છે. એક જૈન ધર્મશાળા પણ છે, For Private And Personal Use Only
SR No.521716
Book TitleJain_Satyaprakash 1954 11 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1954
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy