________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧ ] પ્રેમવાણી પુસ્તિકાને જવાબ માટે એકઠા કરાયેલા કે કરાતા દ્રવ્યનો ઉપયોગ બીજામાં કેમ કરી શકાય? આપનારે જે ઉદ્દેશથી દ્રવ્યદાન કર્યું હોય તે ઉદ્દેશને પડતો મૂકી એને બીજે ઉપયોગ કરે એ તે ખરે
ખર, વિશ્વાસઘાત જેવું છે. ટ્રસ્ટીપણાને કાયદો એમ જ કહે છે. બીજા ઉપયોગ માટે દેવદ્રવ્યના ખાતાની સાથોસાથ સાધારણ વગેરે ખાતાઓ હોય છે જ અને એને લાભ સાધર્મિક ભાઈઓ તેમજ બીજાઓને પણ આપવામાં આવે જ છે એ હકીક્ત મુનિશ્રીની જાણ બહાર હોય એમ લાગે છે. પરંતુ દેવ માટે અર્પણ કરાયેલું દ્રવ્ય, તેને ગમે તે નામ આપે, દેવમંદિરો અને દેવમૂર્તિ માટે જ વાપરી શકાય.
મૂર્તિવાદ એ સહેતુક શાસ્ત્રીય પરંપરા છે જ્યારે મૂર્તિને વિરોધ તે ભારતમાં મુસ્લિમ આવ્યા ત્યાર પછીથી શરૂ થયો એ ઐતિહાસિક હકીક્ત વિશે ભાગ્યે જ બે મત છે.
જૈનધર્મની સંસ્કૃતિ આજસુધી આટલી દમૂળ છે એ એના મંદિર, મૂર્તિઓ અને તેની ઉપાસનાના કારણે છે. એની સામે કેટલાંયે આક્રમણો થયાં, વિઘો આવ્યાં, પ્રત્યાઘાતો પડયા છતાં એ એ સંસ્કૃતિ જીવિત છે એ એની પ્રભુ પ્રત્યેની અવિચલ શ્રદ્ધા-ભક્તિના જ કારણે. એ પાછળ સદીઓનો ઈતિહાસ પડ્યો છે.
જૈનધર્મના સાહિત્યનું જેણે સારી રીતે મનન કર્યું હશે તે ઃિસંકોચ કહી શકશે કે જૈન સાહિત્યમાં મૂર્તિ પૂજાની પ્રથા પ્રાચીન કાળથી હતી. પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના શાસન કાળમાં પ્રથમ ચક્રવતી ભરત મહારાજાએ બંધાવેલાં મંદિર અને ભરાવેલી મૂર્તિઓ સંબંધે ઉલ્લેખો મળી આવે છે. એટલું જ નહિ, જૈન આગમોમાં પણ સ્થળે સ્થળે ફસ, હિમા તેમજ શાશ્વતી અને અશાશ્વતી પ્રતિમાઓની સ્થિતિ દેવલોકના વિમાનમાં સદાકાળ હોવાના ઉલ્લેખે છે. આજનો ઇતિહાસ પણ એ બતાવી રહ્યો છે કે ભગવાન મહાવીરના સમયમાં જેનધર્મમાં મૂર્તિપૂજા વિદ્યમાન હતી.
જૈન સાહિત્યમાં બતાવેલા નામાદિ ચાર નિક્ષોનું સન્મ અધ્યયન કરતાં એ સ્વતઃ સિદ્ધ થઈ શકે છે કે, જેનધર્મમાં મૂર્તિપૂજાનું સ્થાન અદ્વિતીય છે. એટલું જ નહિ શ્રમણ સંસ્કૃતિનું એ મહત્ત્વનું અંગ છે. જૈન શાસ્ત્રોનું સૂક્ષ્મ અધ્યયન કર્યા પછી કેટલાયે સાધુએએ મૂર્તિને માનનાર પક્ષને આશ્રય લીધે છે એનાં ઉદાહરણે ક્યાં ઓછાં છે?
મૂર્તિપૂજાથી સાંસારિક જીવનમાં પણ ભક્તિ ભાવનાની વૃદ્ધિ થતાં શિલ્પ, સંગીત અને સાહિત્યને સારું પ્રેત્સાહન મળ્યું છે એ નિર્વિવાદ છે.
સુરેશ દીક્ષિતે સાચું સંભળાવ્યું છે કે-“મૂર્તિપૂજાના ખોળામાં શિલ્પકળા સચવાઈ છે. મૂર્તિ અને મંદિરની વિવિધ રચનાઓમાં આપણા રાષ્ટ્ર અને ધર્મની વિવિધ રેખાઓ પડી છે, પુરાણેની અસંખ્ય કલ્પનાઓને પથ્થરરૂપે સાકાર કરવાની પ્રતિષ્ઠા મૂર્તિઓ અને મંદિરને જ વરે છે. મૂર્તિઓ પ્રજાની મનભાવના, આશા, નિરાશા અને કલ્પનારૂપે છે. સંસ્કારનું એ નવનીત છે.”
મૂર્તિવાદમાં નહિ માનનારા ભાઈઓને અમે પૂછીએ છીએ કે, તમારી સંસ્કૃતિનો ઈતિહાસ શો ? એ ક્યાંથી શરૂ થયો અને સંસ્કૃતિના વારસદારોને પ્રેરણા પમાડે એવી પૂર્વકાલીન ગૌરવગાથાનાં પ્રમાણે આપી શકે એવું તમારી પાસે શું સાધન છે?
જ્યારે મૂર્તિવાદની પરંપરાનાં પ્રમાણે તે પુરાતત્ત્વવેત્તાઓએ પણ શોધી બતાવ્યાં છે. તેમાંના કેટલાંક આ છે:
For Private And Personal Use Only