SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ ] શ્રી. જન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૦ પણ હતા. જે ટેકરા ઉપર ભૂલભદ્રની સમાધિ બની છે એના એક ભાગમાં કેટલાંક વર્ષો પૂર્વે ખોદકામ કરવામાં આવેલું ત્યારે એમાંથી તેર હાથ કરતાં પણ વધુ લંબાઈનું માનવ અસ્થિપિંજર નીકળ્યું હતું. બીજી પણ એતિહાસિક સામગ્રી પ્રાપ્ત થઈ હોય એ સંભવ છે. ગુપ્તકાલીન ઇટે તે આજે પણ અહીંથી નીકળે છે. સત્તરમી સદી પછી તે આ સ્થાનમાં જેન યાત્રીઓ અને મુનિરાજના આવાગમન ચાલુ રહ્યાં જણાય છે. શ્રીવિજયસાગર, શ્રીજયવિજ્ય અને શ્રી સૌભાગ્યવિજય નામના મુનિ મહારાજોએ પિતાની તીર્થમાળામાં સ્થલભદ્રના રસ્તૂપને ઉલ્લેખ કર્યો છે. સ્થૂલભદ્રના સ્થાનની સમીપે જે સુદર્શન શેઠની સમાધિ છે તે શિયળવ્રત પાલનમાં અડગતા ધરનાર આ શેઠના વૃત્તાન્તથી ભાગ્યે જ કોઈ જૈન અજાણ હોય. શેઠશ્રીએ છેવટે ચારિત્ર ગ્રહણ કર્યું હતું. મૂળ એ ચંપાપુરીના વતની. દધિવાહન ભૂપની રાણી અભયાએ તેમની પ્રત્યેના વૈરની પૂતિ અર્થે તેઓ જ્યારે આ સ્થાનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં લીન હતા ત્યારે અહીં ઉપસર્ગ કર્યો હતે. એની સ્મૃતિરૂપે અહીં આજે એક છતરી (દરી) વિદ્યમાન છે. એક કાળે મગધ અને તિરહુત પ્રદેશમાં જેનધર્મનું પ્રાબલ્ય હતું. એ સંબંધે મી. સિમથની નેધ મળે છે કે જૈન ધર્મના અનુયાયી પટના, ઉત્તર વૈશાત્રી, પૂર્વ બંગાળમાં આજકાલ ઘણું ઓછા જોવાય છે પણ ઈ. સ. સાતમાં અહીં તેમની સંખ્યા મેટા પ્રમાણમાં હતી. સ્થઆન-યુચગે એ સમયમાં જ આ પ્રદેશમાં ભ્રમણ કર્યું હતું અને એના અહેવાલમાં ઘણા જૈન સમારકે અગે નેધ છે. પુરાતત્વ ગવેષકેને જેનધર્મ અને એની સંસ્કૃતિ સંબંધી પૂર્ણ જ્ઞાન ન હોવાથી ઉતમ જૈનાશિત કલાકૃતિઓને બૌદ્ધ ધર્મની જણાવેલી છે.” શ્રવણબેલગલમાં સર્વ પ્રાચીન સમાધિમરણ અંગેને લેખ શક સંવત પ૭ર ને છે. કણહ મુનિની મૂર્તિ મથુરામાંથી જડી આવી છે. દામી શતાબ્દિ પહેલાંનાં સમારકામાં વિશેષ સંખ્યામાં ચતરા અને ચરણને સમાવેશ થાય છે. ધારવાડ જિલ્લામાંથી મળી આવેલ શિલાલેખથી પણ જણાય છે કે એ તરફ પણ અર્હતેની “નિષીદિકાઓ” બનતી હતી. અગિયારમી શતાબ્દિ પછી તે મુનિઓની, આચાર્યોની સ્વતંત્ર મૂર્તિઓ બનવા લાગી હતી. એ પછી જે ગ્રન્થ બન્યા છે એમાં જૈનાશ્રિત મૂર્તિકલા વિષયમાં ઠીક જાણવાનું મળે છે. આમ છતાં સ્તૂપ પ્રથાને તદ્દન લેપ, થયે નહેાતે. ચૌદમા સૈકામાં રચાયેલા “આચાર-દિનકર' નામક ગ્રન્થમાં આચાર્યની મૂર્તિનું પ્રતિષ્ઠા વિધાન સવતંત્ર રૂપમાં દર્શાવેલ છે. એ સદીના સુપ્રસિદ્ધ વિદ્વાન ઠક્કર એ રચેલા “તિષ સાર” નામક પુસ્તકમાં આચાર્ય પ્રતિષ્ઠા અંગે જુદાં મુહૂર્ત પણે દર્શાવ્યા છે. એ ઉપરથી ગુરુમૂર્તિઓ બનાવવાની પ્રથા જોર પકડતી ગઈ હોય એમ જણાય છે. For Private And Personal Use Only
SR No.521710
Book TitleJain_Satyaprakash 1954 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1954
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy