________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
iii
છે # અ છે. अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात)
વર્ષ : ૨૮ | વિક્રમ સં. ૨૦૦૯:વીર નિ. સં. ર૪૭૯: ઈ.સ. ૧૯૫૩ માં અંક: ૮ || હિ૦ વૈશાખ સુદિર: શુકવાર: ૧૫ મે || ૨૨
વર્ષીતપનો મહિમા
લેખક –પૂજ્ય આચાર્ય શ્રી વિજયજંબુસૂરિજી આ અવસર્પિણીકાલના પ્રથમ તારક, પ્રથમ ઉપકારક, પ્રથમ નરપતિ, પ્રથમ તીર્થ. પતિ શ્રી. યુગાદિદેવ થયા હતા. તેમના પિતાનું નામ નાભિ કુલકર અને માતાનું નામ મરદેવી હતું. તેમનું ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય હતું. પંચ (અવન-જન્મ–દીક્ષા-જ્ઞાન અને નિર્વાણ) કયામુકમય તેમનું જીવન અતિપવિત્ર હતું. જોકકલ્યાણ અર્થે તેમણે ગૃહવાસમાં હતા ત્યારે ઉચિત પ્રજાવ્યવહાર પ્રવર્તાવ્યા હતા અને સંસારત્યાગ કર્યા પછી શ્રેષ્ઠ એ ધર્મ વ્યવહાર માર્ગ પ્રવર્તાવ્યો હતો. તે સમયે યુગલિક લેકેન વિનય જોઈને ઇન્દ્ર પિતાના વૈશ્રમણ દેવને આજ્ઞા આપીને વિનીતા નગરી વસાવી હતી, જે પછીના કાળમાં અયોધ્યા તરીકે ઓળખાવા લાગી. આ ભગવાનનાં નામ આદિદેવ કિંવા યુગાદિદેવ, ઋષભદેવ, પ્રથમ નરપતિ, પ્રથમ ભિક્ષાચર, પ્રથમ તીર્થપતિ, એમ પાંચ હતું. વર્ષીતપને મહિમા આ પ્રભુના તપમાંથી પ્રગટ થયેલ છે.
ભગવાનને દેવી સુમંગલા અને સુનંદા નામની પત્નીઓથી શ્રી. ભરત ને શ્રી, બાહુબલિ આદિ સે પુત્ર થયા હતા. તે સર્વને દેશ-રાજ્ય વહેંચી આપીને તથા પૃથ્વીતલના દારિદ્રય દાવાનલને બુઝવવા માટે દીન, અનાથ આદિ લેકેને એક વર્ષ સુધી અવિરત દાન (વર્ષીદાન) આપીને ભગવાન કહષભદેવે ૮૩ લાખ પૂર્વ પછી, મહાભિનિષ્ક્રમણ આદર્યું–અર્થાત કઠોર કર્મો જીતીને ધર્મતીર્થ પ્રવર્તાવવા માટે પરમપાવની દીક્ષા લીધી, તે દિવસ ફાગણ વદ ને હતો. ભગવાનની સાથે કચ્છ, મહાક૭, આદિ ૪૦૦૦ પુરુષોએ પણ દીક્ષા લીધી હતી.
લોકે તે વખતે ઘણું સુખી હતા. ભીખ માગવાનું કે ભીખ આપવાનું કેઈ સમજતા ન હતા. જૈન દીક્ષામાં તે નિદોષ ભિક્ષા મેળવવા દ્વારા જ સંચમને નિર્વાહ શકય બને છે. ભગવાનને દીક્ષા લેતી વખતે છઠ્ઠને તપ હતા, પારણે ભિક્ષા લેવા ભગવાન નીકળ્યા ત્યારે લે કે તેમને આપવા માટે હાથી-ડા–વસ્ત્ર-અલંકાર-હીરા-મણિ-માણેક-સુવર્ણ-કન્યા વાહન
For Private And Personal Use Only