SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org અંક: ૪-૫ ] મુદ્રા-વ્યાપારને સુસંગત અર્થ શિલાલેખમાં પણ વર્ષ સાથે વપરાયેલ પૂર્વ શબ્દને “તે વર્ષ–પૂર્વક તે વર્ષથી શરૂ કરીને એવા અર્થમાં ઘટાવા જોઈએ. જયતસિંહ અને તેજપાલ સંબંધમાં વર્તમાન કૃદન્તની સપ્તમી અને તૃતીયા વિભકિતવાળા પ્રયોગ રાષ્ટ્રવૃતિ સતિ' અને “ચાકૃવતા' દ્વારા વર્તમાન કાળની તેમની પરિસ્થિતિ જણાવી છે, ત્યાં તેમના ભૂતકાળને કે તેમના તેવા ધંધાને અર્થ કાઢવો અનુચિત છે. દુષ્યન્ત રાજાએ પિતાની નિશાની તરીકે આપેલી નિજ નામાંકિત મુદ્રાના અભાવમાં શકુંતલાને સ્વીકાર કર્યો ન હતો અને પાછળથી એ મળતાં સ્વીકાર કર્યો હતો એ હકીક્તા અભિજ્ઞાન શાકુન્તલ' નાટકના અભ્યાસીઓ જાણે છે. મુદ્રા શબ્દ સાથે સંબંધવાળું મુદ્રારાક્ષસ' નામનું પ્રાચીન નાટક પણ પ્રસિદ્ધ છે. " આચાર્ય શ્રી હેમચંદ્ર પિતાના શબ્દાનુશાસનના અંતમાં ચૌલુક્યવંશી મહારાજા મૂલરાજને પરિચય કરાવતા શ્લોકમાં મુદ્રા શબ્દ પ્રયોગ કર્યો છે– “ आसीद् विशांपतिरमुद्रचतुःसमुद्रमुद्राङ्कितक्षितिभरक्षमबाहुदण्डः।" આચાર્ય શ્રી હેમચંદ્ર રચેલી “અન્ય વ્યવચ્છેદ' કાત્રિશિકા (લે. ૫)માં “મારીનાથ્યોન સનવમા સ્થાવા-મુકાડનતિમે િવત્તા' મુદ્રા શબ્દ પ્રયોગ કરે છે, મલિષેણસૂરિએ જેના પર સ્યાદ્વાદમંજરી નામની વિસ્તૃત વ્યાખ્યા રચેલી છે એ સર્વને લક્ષ્યમાં લેતાં તેને સુસંગત અર્થ ઘટાવવો જોઈએ. | વિક્રમની બારમી સદીથી ચૌદમી સદી સુધીના મહારાજા સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ, [તુ]િ વીસલદેવ, તેિજસિંહ,] અર્જુનદેવ, સારંગદેવ વગેરેના સમયના જે શિલાલેખે, તામ્રપત્રો અને તાડપત્રીય ગ્રંથોમાં આશુક, ગાંગિલ, મહાદેવ, કુમારસીહ, ધર્મદેવ, નાગડ, સમુદ્ધર, માલદેવ, માધવ, કાન્હ, મધુસૂદન, વાયૂય વગેરે મહામાત્યને નામ-નિર્દેશ મળી આવે છે, ત્યાં તેમને શ્રીકરણાદિમાં સમસ્ત વ્યાપાર અથવા મુદ્રા-વ્યાપાર કરતા જણાવ્યા છે, તેનો અર્થ “તેઓ નાણાનો વેપાર કે નાણાવટીને ધંધો કરતા હતા' એવો કરે અસંગત છે; પરંતુ મહારાજા તરફથી મળેલી મંત્રિ–મુદ્રા ( અધિકારાણા) દ્વારા રાજ્યકારભાર કરતા હતા એવી રીતે કરવો સુસંગત જણાશે. એ વિચારવા માટે બીજા તેવા ૧૪ ઉલ્લેખ અહીં દર્શાવું છું— [૧] સં. ૧૧૭૯ વર્ષે શ્રી સિદ્ધચક્રવતી શ્રીજસિંહના રાજ્ય-કાલમાં શ્રીશ્રીકરણમાં મહામાત્ય શ્રી આશુક સમસ્ત વ્યાપાર કરતા હતા–એ કાલમાં લખાયેલ તાડપત્રીય પુસ્તકના અંતમાં સંસ્કૃતમાં તે ઉલ્લેખ છે– "श्रीश्रीकारणे महामात्यश्रीआशुकः समस्तव्यापारान् करोतीत्येतस्मिन् काले..." -વનસ્થાનૈનમાઝારીયાભ્યસૂવ (જા. કો. લિ. ૬, g. ૧૨) [૨] સં. ૧૧૯૧ ભાદ્રપદ શુ. ૮ સિદ્ધચક્રવતી જયસિંહદેવના રાજ્ય-કાલમાં, તેના પાદપ્રસાદથી મહ શ્રોગાંગિલ શ્રીકરણદિમાં વ્યાપાર કરતા હતા-એ સમયમાં લખાયેલી તાડપત્રીય પુસ્તિકાના અંતમાં સંસ્કૃતમાં ઉલ્લેખ છે-- “ મહું છmiળ થી જાળવી રાખવું જાતિ.” –પત્તનભાં ગ્રંથસૂચી [ગા. ઓ. સિ. નં. ૭૬, પૃ. ૧૮૩] For Private And Personal Use Only
SR No.521696
Book TitleJain_Satyaprakash 1953 01 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1953
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy