SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેને સત્ય પ્રકાશ | [ વર્ષ : ૧૮ માનીએ છીએ અને આ માસિકના વિકાસમાં એ જ રીતે ફાળો આપતા રહે. એવી વિનંતિ કરીએ છીએ. સત્તર વર્ષના અનુભવ પછી અમે એટલું જરૂર કહી શકીએ કે જે લેખકોએ અમને નિશુષ્ક મદદ કરી છે તેઓ આ પત્ર માટે એવી જ મમતા રાખી રહ્યા છે એટલું જ નહિ, આ માસિકને નક્કર અને નૂતન સામગ્રી દ્વારા તેની પ્રગતિમાં સાથ આપવાની તૈયારી પણ દાખવી રહ્યા છે. પરંતુ અમારી પ્રગતિ આર્થિક મૂંઝવણને આડે અટકી રહી છે અને એ જ કારણે અમારે મદદ માટે વારંવાર ટેલ નાખવી પડે છે. અમારી ટેલને સાથી પત્ર સાપ્તાહિક “જેન'ના સંપાદક મહાશયે અગ્રલેખ દ્વારા સહાનુભૂતિ પ્રગટ કરી છે તે બદલ અમે અહીં તેમને આભાર માનવાનું ચૂકતા નથી. બીજા શ્રીયુત મોહનલાલ ભાઈ ચોકસીએ પણ આ પત્રમાં જુદા લેખ દ્વારા સહાનુભૂતિ પ્રદર્શિત કરી છે તે તરફ વાચકે ધ્યાન દોરે એટલી વિનંતિ કરવા ઉપરાંત આ પ્રસંગે અમારે વધુ કંઈ જ કહેવાનું નથી. – સંપાદક [ અનુસંધાન પૃષ્ઠ : ૨૪ થી ચાલુ ] આમ જ્યારે હાંસી અનિષ્ટ છે તો પછી વીતરાગતા પ્રાપ્ત કરવા માટે તે એને – એના ભાઈ હાસ્યને દેશવટે દેવો જ પડે ને ? આ હસી તે જ ઉપહાસ’ એને “હાસ્ય' સાથે સંબંધ રાખે છે. “હસવાનું ખસવું થાય’ એ જાણીતી વાત છે. આ હિસાબે હાસ્યરૂપ નેકષાય પણ શત્રુ જ ગણાય. શેક શેને કરે અને શા માટે કરે એને તાત્વિક દષ્ટિએ વિચાર કરનાર એને પક્ષપાતી ન જ બની શકે-શોકાતુર થવાનું પસંદ ન કરે. કઈ પણ વસ્તુ વસ્તુસ્વરૂપે સવશે લાભદાયી કે હાનિકારક નથી એતો એને જે ઉપયોગ કરાય તેવું ફળ આવે. તે પછી આ મને પ્રિય છે અને આ અપ્રિય છે એવી સાંકડી અને અનુચિત મને દશા-આસકિત મુમુક્ષને સેવવી પાલવે ખરી ? આ રીતે વિચારતાં વીતરાગતા માટે શેકને પણ શેક મગ્ન જ બનાવવો એ ઈષ્ટ છે અને એ આવશ્યક પણ છે. વસ્તુ એકતિ જ્યારે ખરાબ કે સારી નથી એ વસ્તુ સ્વભાવથી પરિચિત જનને જુગુપ્સા અર્થાત ધૃણા શાની ? નવ નેકષામાં તરતમતાની દષ્ટિએ જે ક્રમ છે તે વૈજ્ઞાનિક અને યથાર્થ જણાય છે. ને કષાયોને દબાવવા કે એને ક્ષય કરવા માટે એક જ રીત છે. સૌથી પ્રથમ તે અનુદીર્ણ બે માંથી જે વધારે અધમ હોય તેને પહેલાં અને પછી બીજાને અને ત્યારબાદ સમકાળે હાસ્યાદિ છને અને અંતે જે વેદનો ઉદય હેય તેને સામને કરાય છે. [ચાલુ ] For Private And Personal Use Only
SR No.521693
Book TitleJain_Satyaprakash 1952 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1952
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy