________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
tō]
શ્રી જૈન સત્ય' પ્રકાશ
રહ્યા છીએ, અથવા સ્પષ્ટપણે વૈરાગ્ય જ તે સુખનુ` નિમિત્ત છે, તો તે ખીજે નથી, કારણ કે સંપૂર્ણ પણે વૈરાગ્ય તમારામાં જ છે.
[ વર્ષ : ૧૮
તમારા સિવાય
(૨૬) કર્મ કર્તાને છેડીને રહેતુ' નથી, જે કર્યાં છે તે જ ફળને ભાગવે છે, તે દુગલની આકૃતિરૂપ કનુ ફળ આઠ પ્રકારનુ` છે. આ વાત તમે જે પ્રમાણે કહી છે તેવી પૃથ્વીમાં જા કાઈ એ કહી નથી.
(૨૭) કેવળ મનથી વચનથી કે કાયાથી જુદું. જીદું કરાતુ ક શુભ કે અશુભ ઉત્કૃષ્ટ ફળને આપનારું નથી; એ તમે જે પ્રમાણે સમજાવ્યુ છે. તેથી જ વિચારપૂર્ણાંક પ્રવૃત્તિ કરનારા સંતપુરુષો, હૈ શરણ્ય ! તમારા વિષે નાથ બુદ્ધિવાળા છે.
(૨૮) સત્ત્વનું સ્વરૂપ કેાષાદિથી સર્વથા રહિત નથી તેમ કાપાદિથી સર્વથા યુક્ત નથી પણ પરિણામૠક્ષણ છે; એમ તમે કહ્યું છે તે, હેવીર1 તમારા વિશિષ્ટ ખેોધને જણાવે છે.
(૨૯) જ્ઞાન વગરની નિષ્ફળ ક્રિયાને અને ક્રિયા વગરની મેડી જ્ઞાનસપત્તિને નિરર્થક સમજાવતા આપે કલેશસમૂહની શાંતિરૂપ મેાક્ષના માર્ગ સ્પષ્ટ ને શુદ્ધ આલેખ્યા છે.
(૩૦) અમને ખરેખર નિશ્ચિત છે કે પરતંત્રની યુક્તિમાં જે કાંઈ સારી ઉક્તિઓની સપત્તિ વિલસે છે તે તમારા જ પૂર્વ શ્રુતરૂપ હસમુદ્રમાંથી જન્મેલા વચનબિન્દુ-કા છે. તેંથી જ, હૈ જિન ! તે જગને પ્રમાણ છે.
(૩૧) સૌધર્મેન્દ્રથી લઈ તે સર્વાર્થસિદ્ધિના પરમ દેવા સુધીના દેવાને તમે નાના મેટા એમ તરતમરૂપે જોયા છે, તેથી તમારા યાગ અને આગમથી મુગ્ધ શક્તિવાળા આત્મામ લાકમાં જન્મ લેવાથી જન્મેલા માનને પણ ત્યજે છે.
;
(૩૨) જગત્ એક સ્વરૂપ નથી, છતાં તમને એકસાથે અનન્ત વિષયવાળું આ પ્રત્યક્ષ છે, પણ તમે કાઈ પણ ( સંસારી ) તે પ્રત્યક્ષ નથી, તેથી વિદ્યાતાની અચિંત્ય પ્રકૃતિની રસસિદ્ધિનું આ ( ગુણકથાનુ' ગાન )દ્વાર છે એમ વિચારીને અમે પણ ગુણકથામાં ઉત્સુક થયા છીએ, આ બત્રીશીના ગૂર–ભાવ વિચારવાથી ખ્યાલ આવશે કે એ ભાવ શ્રી. સિદ્ધસેનના મૂળ શબ્દોમાં કેટલાં. ગભીરપણે યે જાયેલ હશે.
આ બત્રીશીએ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિજીને પ્રેરક ખની છે. તેએશ્રીએ આના અનુકરણ રૂપે એ બત્રીશીઓ રચી છે. તેમાં તેઓશ્રી સ્પષ્ટ ઉલ્લેખ કરે છે કે— 'क्व सिद्धसेनस्तुतयो महार्था, अशिक्षितालापकला क्व चैषा "
66
Ο
તેઓશ્રીનો આ ઉલ્લેખ જેમ પેાતાની વિનમ્રતાનો સૂચક છે તે જ પ્રમાણે શ્રીસદ્ધસેનની સ્તુતિઓનુ' યથાર્થ મૂલ્યાંકન કરનારા છે.
આ બત્રીશી ઉપર ટીકા રચવાનુ ભગીરથ કાર્ય ચાલે છે, તેમાં યથાસાષ્ય ગ્રંથ કારનો આશય વ્યક્ત કરવા માટે પૂરતા શ્રમ કરાય છે, છતાં-કયાં તે સ્તુતિઓની ગંભીરતા અને કર્યા ભાવેાદ્ધ'ટનની સ્વલ્પશક્તિ! તેપણ નહિ ખેડાયેલ આ મામાં કરાતો પ્રયત્ન અનેકને પૂરક બનશે એવી અભિલાષા સ્થાને છે.
For Private And Personal Use Only
*
ટિપ્પણ: આ લેખ અમને મળ્યેય એ જ સમયે પૂ આ. શ્રી. વિજયલાવણ્યસૂરીશ્વરજીએ આ દ્વાત્રિ'શિકા ઉપર રચેલી ‘કિરણાવલી' નામની વિદ્યુતિ અને તેના ઉપર પૂ. પં. શ્રી. સુશીલવિજય”એ કરેલા ભાષા–અનુવાદ સાથેની પુસ્તિકા મળી છે. મતલબ કે, એક જ દ્વાત્રિંશિકા ઉપર અને પન્યાસ મુનિરાજોએ લગભગ સમકાળે જુદે જુદે સ્થળે રહીને અનુવાદ કરવાનો પ્રયત્ન સેવ્યેા છે; એ જોતાં પૂ. આ શ્રી, સિદ્ધસેનસૂરીશ્વરજીના ગહન ગ્રથા લોકભાગ્ય થતા જશે એવી આશા રખાય છે, તંત્રી