________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંકઃ ૧]
સિંહપુરુષ જાણું છું. રાજાની શક્તિ યુદ્ધની પરંપરા જગાડશે. સાધુની શક્તિ શાંતિને જન્માવશે.” રાજકુમારના ઉત્તરમાં હૃદયપરિવર્તનને આછો નાદ હ.
રાજન સંહારના માર્ગથી પાછા વળો, તમને જોયા, ને શિષ્ય બનાવવાને મને લેભ જાગે છે. કમે શૂરા, એ ધમ્મ શૂરા ! આ કંઠની અમેઘવાણુથી શ્રતને દીપાવે. ગંધહસ્તી જેવી કાયાથી ભગવાન મહાવીરના અહિંસાધર્મને પ્રચાર કરે ! અહિંસાના પાલન માટે હિંસાથી પણ મહાન શક્તિની જરૂર છે. બાર વર્ષના વાકછટાની ત્યાં કસોટી છે. તમારામાં મેં એ જોઈ છે. તમે ધારે તે વીરની અહિંસાને દીપાવી શકશે. દિવ્ય આ શક્તિથી દિવ્ય સર્જક, રાજકુમાર!' રાજકુમાર સાંભળી રહ્યો:
“રાજન ! રાજપદ કરતાં મુનિપદ શ્રેષ્ઠ છે. એનું શ્રેષ્ઠત્વ સિદ્ધ કરી આપો. ધર્મ તમને પામીને સાર્થક થશે. ધર્મને પામીને તમે કૃતાર્થ થશે.” મુનિ ખીલ્યા હતા.
શક્તિ કદી ચાલતે ચીલે ચાલવામાં માનતી નથી ! એનું નિયંત્રણ બળવાન મુનિઓને પણ દુષ્કર છે. પણ એક શક્તિવાને પુરુષ મુનિ બને તે ધર્મશાસનને સે વર્ષને વેગ મળે છે. તેજમૂર્તિ છે! તાપમૂર્તિ છે, હવે ધર્મમૂર્તિ બને ! બધું સાર્થક થઈ જશે !' મુનિરાજના શબ્દોમાં તીરની વેધકતા હતી. “શક્તિની ઘેલછા સંહાર ને સર્વનાશ લાવે છે. એ શક્તિને વિનિમય કરી નાખે !'
ગુરુદેવ! તમારે ચરણે છું. મેં મારી શક્તિમાં છુપાયેલી અશક્તિ જોઈ લીધી. હાથીને મારી શકવાની વિદ્યા મેળવી, પણ પગ નીચે ચગદાયેલી કીડીને જિવાડવાની મારી અશક્તિ પણ નીરખી લીધી ! હું મુનિ બનીશ ! મારી શક્તિ પુષ્કરાવર્ત મેઘ બનીને સર્જન ને શાંતિના ક્ષેત્રમાં વરસશે.”
ભાઈ!” દૂરથી પિકાર પડયો. એક તરુણી શ્વાસભેર દોડી આવતી હતી. “સરસ્વતી! આવ બેન ! ખરા વખતે તું આવી !' કુમારે પિકાર કર્યો.
ચાલ ભાઈ ચાલ! ધારાના રાજકુંવરને વરવા રાજકુંવરીઓની અકૂટ ધારા વહી રહી છે! એકને જોઈશ—એકને ભૂલીશ.”
“બહેન ! તું યેગ્ય વર પસંદ કરીને વરી લે! ચાલ! તારે સ્વયંવર રચીને જાઉં !'
અને તું?” “હું તે મુનિ બનીશ. અહિંસાનો ઉપાસક બનીશ.” શું કહે છે? ને આ તારી બાર વર્ષની સાધના?”, અહિંસાના પાલનમાં વાપરીશ.” તું ચોરને ક્ષમા કરીશ?' હા બેન !”
૩
For Private And Personal Use Only