SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ ૧૯૮ ] [ વર્ષ : ૧૭ ન થઈ જાય, એ અંગેની સતત જાતિ એ આ સમિતિની નોંધપાત્ર વિશેષતા છે અને એ વિશેષતાને કારણે એ સહુ કાઈની સક્રિય સહાયતાની અધિકારી બની જાય છે. અત્યારે સામાન્ય રીતે બધે બન્યું છે તેમ, આ સમિતિ પણ ભારે આર્થિક ભીસ ` અનુભવતી હેય એમ ‘શ્રી જૈન સત્ય પ્રકાશ'ના તા. ૧૫-૮-પરના સપાદકીય નિવેદન ઉપરથી જણાય છે. આ સંબંધમાં લખતાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોની ચાલુ મોંધવારીથી સમિતિ વાર્ષિક ખર્ચને પહેાંચી શકતી નથી ત્યારે એના પગભર થવાની તે। વાત જ શી કર્વી ? સમાજને અમે આ વિશે વારવાર વિનંતી કરી છે અને તેના અમુક પ્રમાણમાં જવાબ મળવા છતાં અમે આર્થિક ચિંતામાંથી મુક્ત થયા નથી, પણ અત્યારે ભારે આર્થિક મૂંઝવણુ અનુભવી રહ્યા છીએ, એટલું' નમ્રભાવે તો જણાવવાની રજા લઈએ છીએ. આથી અમે આ પર્યુષણાપ પ્રસંગે તે તે સ્થળે વિરાજતા આચાર્યાદિ મુનિવરાને તે તે સ્થળના જૈન સધને સારી એવી મદદ આપવાના ઉપદેશ કરવાની વિનંતિ કરીએ છીએ. એઉપદેશ જ પરપરાએ ધણા પ્રદેશોમાં પઢોંચી શકશે અને સાધુસ મેલનની સ્મૃતિનું' આ શુભ ચિહ્ન અખ'ડિત બની રહેશે, એવી અમારી આશા છે. “ આવા પપ્રસંગે પૂજ્ય આચાર્યાદિ મુનિવરો અમારી વિનંતીને ધ્યાનમાં નહિ લે તા સમિતિ આ માસિકને શી રીતે ચાલુ રાખી શકશે એ મૂંઝવણુ ઊર્જા થયા વગર રહેવાની નથી. અને એમ થશે તેા એ સ્થિતિસ ંપન્ન જૈન સધને ગેાભાદાયક નહિ ગણાય." નિવેદનમાં સમિતિની આર્થિક સ્થિતિ અંગે એટલું સ્પષ્ટતાપૂર્વક લખવામાં આવ્યું છે કે એ સ'ધિમાં વધારે લખવાની જરૂર નથી. અમે જૈન સંધના ધ્યાન ઉપર આ વાત લાવીએ છીએ તે એટલા માટે કે(૧) આ માસિક જૈનધર્મની આજાઓ દ્વારા કરવામાં આવતી નિંદાનું નિવારણ કરવા માટે હંમેશાં જાગ્રત રહે છે અને એક પહેરેગીર તરીકેની ફરજ બજાવ્યા કરે છે. (૨) ઐતિહાસિક ઘટના તરીકે ગણી શકાય એવા આપણા મુવિસમ્મેલનનુ એ એક ઉત્તમ સ્મારક છે. (૩) આપણા સંધમાંના કાઇ પણ વગતે અણુમમા ઉત્પન્ન થાય એ રીતે એ કદી પણ પક્ષાપક્ષીમાં કે આપસના વાદાવાદમાં પડતું નથી. પોતાની તટસ્થતા એ અખંડ રીતે જાળવ્યા કરે છે. (૪) બધાય સમુદાયના મુનિવરોનુ' એ એક નિઃસકાચ મિલનસ્થાન છે, બંધાય સમુદાયના મુનિવરોના લેખા આ માસિકમાં ભેગા જોવા મળે છે. (૫) અતે આ માસિકમાં પીસવામાં આવતી વાચન-સામગ્રી એક યા બીજી રીતે જૈનધર્મીનુ ગૌરવ પ્રગટ કરે એવી હોય છે. આ માટે આ ઉપરાંત બીજું પણ કારણા આપી શકાય, પણ એની જરૂર નથી. ટૂંકમાં કડ઼ેવાનું એટલું જ આ સમિતિ અને આ માસિક મેં આપણા આખા જૈન સંધની સ'પત્તિરૂપ છે તેથી એ સારી રીતે નિભાવ થયા કરે એવી આર્થિક વ્યવસ્થા કરી આપવી એ આપણી-આપણુા સમસ્ત જૈન સઘની ફરજ છે. તેથી પર્યુષણુપર્વ નિમિત્તે અને બીજા બીજા પ્રસંગેત્રે પણ આપણે આ સમિતિને સારી રીતે સહાયતા મોકલીએ અને એ માસિક વધુ પગભર થાય અને વધુ સમૃદ્ધ બનીને વધારે પ્રમાણમાં સાહિત્ય સામગ્રી આપી શકે એવી જોગવાઈ ઊભી કરીએ. આપણા માટે ઉપયોગી એવી આ સસ્થાને પગલર કરવા માટે જૈન સંઘને આથી વધું કહેવાની જરૂર ન હેાય. For Private And Personal Use Only
SR No.521692
Book TitleJain_Satyaprakash 1952 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1952
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy