________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫ ૩૪ શમ્ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात)
વર્ષ : ૨૭ || વિક્રમ સં. ૨૦૦૮: વીર નિ. સં. ર૪૭૮ ઈ. સ. ૧૯૫૨ બંક : ૨ | ભાદરવા વદ ૧૨: સોમવાર: ૧૫ સપ્ટેમ્બર
क्रमांक २०३
સત્વર મદદ કરવાની જરૂર [ તા. ૧૫-૮-પરના “જૈન સત્ય પ્રકાશ અંકમાં “ અમારી વાત” શીર્ષક નિવેદનના આધારે સાથી પત્ર “જૈન” સાપ્તાહિકના તા. ૩૦-૮-પરના અંકમાં તેના સંપાદક મહાશયે આ સમિતિ માટે જે સહાનુભૂતિના બેલ પ્રગટ કર્યા છે અને આ ઉપયોગી માસિકને ટકાવી રાખવા જૈન સંઘને અગ્રલેખ રૂપે જે તટસ્થ દષ્ટિએ નિવેદન કર્યું છે તે જ અમે અહીં વાચકેની જાણ માટે આપીએ છીએ. અમારી સ્થિતિની વધુ એ.ખવટ કરવા માટે આ ૧૭માં વર્ષના ૧રમા–છેલ્લા અંકમાં કશું વધારે કહેવાનું નથી, અમે આશા રાખીએ કે જે આ નિવેદન ઉપર જૈન સંઘ લક્ષ આપશે. તે નવા ૧૮મા વર્ષથી આ માસિક વધુ સમૃદ્ધ વાચનસામગ્રી આપવાને જે ઈરાદે રાખે છે તેને વેગ મળશે. –સંપાદક]
પહેલાં પણ એક વખત આ સંબંધમાં લખવા છતાં આજે ફરીથી લખીએ છીએ તે ખાસ હેતુસર લખીએ છીએ. જેન સંઘના ધ્યાન ઉપર આ વાત લાવવાની ખાસ જરૂર અમને લાગી છે. અને જૈન સંઘે આ વાત ઉપર તરત અને પૂરતા પ્રમાણમાં લક્ષ આપવાની જરૂર છે.
સં. ૧૯૯૦ની સાલમાં અમદાવાદમાં મળેલ આપણુ મુનિસમેલને પિતાના પાંચમા કરાવઠારા એક પ્રતિકાર સમિતિની સ્થાપના કરી હતી. આ સમિતિ શ્રી, જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ તરીકે કામ કરી રહી છે, અને પિતાનું કામ પાર પાડવા માટે “શ્રી જૈન સત્ય પ્રકાશ” નામક માસિક પત્ર ચલાવે છે. આ માસિક ૧૭ વર્ષથી નિયમિત રીતે પ્રગટ થાય છે અને જૈનધર્મ સંબંધી આક્ષેપોના જવાબ આપવાની સાથોસાથ જૈન સાહિત્ય, કળા કે તત્ત્વજ્ઞાનને લગતું સાહિત્ય પ્રગટ કરે છે. આ હકીકત જૈન સંઘના આગેવાને સારી રીતે જાણે છે.
આ સમિતિએ આ માસિક દ્વારા પિતાનું કામ કરતી વેળાએ કદી પણ આંતરિક વિવાદમાં પ્રવેશ કર્યો નથી અને હમેશાં પિતાના મૂળ ધ્યેયને પોતાની દષ્ટિ સામે રાખીને જ કામ કર્યા કર્યું છે. આ રીતે આપણી અંદર અંદરના કોઈ પણ વિવાદમાં જરા પણ પ્રવેશ
For Private And Personal Use Only