SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક: ૧૨ ] જીવનશોધનનાં સોપાન... [ ૨૯ એ દ્વારા ઔપશમિક સમ્યકત્વનું કાર હંમેશને માટે ઊઘાડું કરે છે. કહેવાની મતલબ એ છે કે આ પથમિક સભ્યપૂર્વ જતું રહે તો એ આગળ ઉપર એ મળી જ શકે એવી પરિસ્થિતિ આ વ્યક્તિ ઊભી કરે છે. આ વાત બે દષ્ટાંત દ્વારા હું સ્પષ્ટ કરીશ – (૧) ધારો કે એક મોતીમાં કાણું પડાયું છે. કોઈક કારણસર એ કાલાંતરે પુરાઈ જાય એવું બને તે પણ એ વિંધાયેલું તે અણુવિધાયેલું ને રહે. (૨) સયમાં દોરી પિરવી હોય તો એ સંય ખોવાઈ જતાં એને શોધવી સહેલી પડે. પશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ કાર્ય સિદ્ધ થતાં એ ફરીથી ઉપયુંકત ત્રણ કરો. કરે છે. યથાપ્રવૃત્તિકરણ સાતમાં ‘અપ્રમત્ત સંયત' નામના ગુણસ્થાનમાં, અપૂર્વકરણ એ નામના આઠમા ગુણસ્થાનમાં, અને અનિવૃત્તિકરણે ગુણસ્થાનમાં આરૂઢ થયા બાદ થોડાક વખત પસાર થતાં એ વ્યક્તિ ૨૧ મોહનીય-પકૃતિઓનું અંતરકરણ કરે છે અથતિ વચ્ચે આંતરું પાડે છે. આ અંતરામાં ચારિત્ર-મેહનીય કર્મનાં કોઈ દૂળિયાં રહેતાં નથી કે જે ભેગવવા પડે. ત્યારબાદ એ અંતર્મુહૂર્તમાં આ ૨૧ પ્રકૃતિઓ પૈકી નવ કષાયને નીચેના ક્રમે દબાવી દે છે. (૧) નપુંસક-વેદ; ત્યારબાદ (૨) સ્ત્રી-વેદ; એના પછી સમકાલે (૩) હાસ્ય, (૪) રતિ, (૫) અરતિ, (૬) રોક, (૭) ભય અને (૮) જુગુપ્સાઅને અંતે પુરુષ-વે. આ ક્રમ તે ઉપશમ-શ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિ પુરુષ હેય તે તેને અંગે ઘટે છે. જો એ સ્ત્રી હોય તે પ્રથમ નપુંસક-વેદ, પછી પુરુષ-વેદ, ત્યાર બાદ સમકાલે હાસ્યાદિ વક અને અંતમાં સ્ત્રી-વેદને દબાવી દે છે. એવી રીતે ઉપશમ-ણિ ચઢનાર નપુંસક હોય તે સૌથી પ્રથમ સ્ત્રી-વેર, પછી પુરુષ-વેદ ત્યાર પછી સમકાલે હાસ્યાદિ ષક અને છેલ્લે નપુંસક–વેદ એ ક્રમે આ કાર્ય કરે છે. નવ નકષાયોને પરાસ્ત કરી એ વ્યક્તિ અપ્રત્યાખ્યાનાવરણ-ક્રોધ અને પ્રત્યાખ્યાનાવરણ-ધને સમકાલે દબાવી કાલાંતરે સંજવલન ક્રોધને દબાવે છે. ત્યાર પછી અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એમ બંને પ્રકારના માનને સમકાલે દબાવી અને આગળ ઉપર સંજવલન માનને સામને કરી એને દબાવે છે. , ત્યારબાદ ઉપર્યુક્ત ક્રોધ અને માનની જેમ એ જ ક્રમે ત્રણ પ્રકારની માયાને એ આ કાર્ય થઈ રહેતાં અપ્રત્યાખ્યાનાવરણ-લાભ અને પ્રત્યાખ્યાનાવરણ-લેને એ દબાવે છે. સંજલિન-લેભને એ જાતના ક્રોધાદિ કષાયોની જેમ દબાવાય તેમ નથી. એથી એ માટે એને નવીન યૂહ રચવે પડે છે. સૌથી પ્રથમ તે એ સંજ્વલન-લાલાને ત્રણ વિભાગમાં વિભકત કરે છે. પછી એના પહેલા બે વિભાગોને સમકાલે એ દબાવે છે. પછી ત્રીજા વિભાગના સંખેય ખંડ કરી એને એક પછી એક એ દબાવે છે. આ સંખ્યય બંને ‘કિટ્ટી' કહે છે. એ પૈકી છેલ્લી કિટ્ટીને સંખેય ટુકડા કરી એ પ્રત્યેકને સમયે સમયે એ દ લાવે છે. આમ કરવાથી એ સૂક્ષ્મ-સંપાય” નામના દસમા ગુણસ્થાને આરૂઢ થાય છે. સંજવલન લેભને છેલ્લો સૂક્ષ્મ અંશ એ દબાવી રહે એટલે એ “ઉપશાંત મોહ” નામના ૧૧મા ગુણસ્થાને આરૂઢ થાય ૧. કર્મના મુખ્ય જે આઠ પ્રકારે ગણાય છે તેમાંના એકનું નામ “મેહનીય કર્મ છે. એના જે ઉપપ્રકારે છે તે બેહનીય પ્રકૃતિઆ કહેવાય છે. એમાં સેળ કષાય, નવ નેકષાય અને સમ્યક્ત્વને બાધક વણ પ્રકૃતિએ છે. ૨. કરણમાં કરણ તે “અંતરકરણ” For Private And Personal Use Only
SR No.521692
Book TitleJain_Satyaprakash 1952 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1952
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy