SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૪ ] શ્રીદશવૈકાલિક.............દિનાગ [ ૭૫ જ મુખ્યતો તેની પ્રસિદ્ધિ થઈ છે. બાકી વસ્તુતઃ તો તેનું નામ વિત્ર અથવા વૃત્ત હતું. ભૂતકાળમાં કવિતા (અક્ષર), મૂત્રવિન્દ્ર (મૂતરત્ત) વગેરે ઘણું નામે પ્રચારમાં હતાં. તેવા પ્રકારનું આ તેનું લિ નામ હતું. સંસ્કૃતમાં વૃત્ત નામ હતું અને પ્રાકૃત ભાષામાં તેનું કિન્ન રૂપાંતર હતું. આ હકીકત અનેક પ્રમાણથી સિદ્ધ થાય છે. નયચક્રવૃત્તિ, અનેકાન્તજયંપતાકા વગેરે અનેક જૈન ગ્રંથોમાં તેનો ટ્રિક્સ નામથી ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આ દ્વિજ શબદનું સંસ્કૃતનાષામાં પત્ત એવું રૂપાંતર કરીને તવાર્થ સૂત્રની વૃત્તિમાં આચાર્યપ્રવર ગધહસ્તી પ્રસિદ્ધસેનગણીએ તથા વાત્તઋમિશ્કરે એ પ્રમાણે તેને રત્તમ એવા નામથી ઉલ્લેખ કર્યો છે. આ જ હકીકત, એક બીજા પ્રમાણુથી પણ સિદ્ધ થાય છે. સાતમી શતાબ્દીમાં ભારતવર્ષનું પર્યટન કરનારા ચીની પ્રવાસી હ્યુનત્સાંગ તથા ઈસિંગે પિતાના પ્રવાસ વૃત્તાંતમાં દિનાગને ચેન્ન નામથી ઉલ્લેખ કર્યો છે. તેમજ બીજા પણ અનેક ચીની ભાષાના ગ્રંથમાં દિન્નાગને ચૈન્ન નામથી ઉલ્લેખ છે. શરૂઆતમાં ઘણું પાશ્ચાત્ય વિદ્વાને આ જ શબ્દ મૂળ સંસ્કૃત ઝિન શબ્દને ચીની ભાષામાં બરાબર ઉચ્ચાર કરતાં ન આવડવાથી થયેલે અપભ્રંશ છે, એમ માનતા હતા પરંતુ હ્યુનત્સાંગના ચીની વૃત્તાંતના ઈંગ્લીશ ભાષાંતરમાં વેટ (Wattels ) બિલકુલ સ્પષ્ટ કર્યું છે કે નિત શબ્દને અપભ્રંશ જ નથી જ. કારનું કે ચીની ગ્રંથની અંદર જ જ શબ્દ ઉપર ટિપ્પ કરતાં જણાવ્યું છે કે જે શબ્દનો અર્થ “ આપેલ' (Given=7) એ થાય છે. આ બરોબર આપણું રિત્ર અને રત્તનો અર્થ પણ “આપેલો' એવા જ થાય છે. એટલે ચીની ગ્રંથમાં આવતા જ શબદ જૈન ગ્રંમાં આવતા વિજ અને દ્રત્ત શબ્દો એ બધા જ દિનાગાનાં ભૂલે નામે છે અને “દિક્નાગ” એ તેનું વિશેષણ છે. ઐતિહાસિક સંશોધનની દષ્ટિએ વિચાર કરીએ તે મારે એમ કહેવું જોઈએ કે દિનાગનું મૂળ ટ્રિા નામ સાચવી રાખવાને યશ જૈનગ્રંથને જ ફાળે જાય છે. કારણ કે જૈનેતર ગ્રંથોમાં કોઈ પણ સ્થળે ત્રિ નામ જોવામાં આવતું નથી. એટલું જ નહિ, પણ ખુદ બૌદ્ધદર્શનના ગ્રંથોમાં પણ વિત્ર નામ જાળવી રાખવામાં આવ્યું દેખાતું નથી. એ બધા ગ્રંથમાં દિનાગ નામે જ જોવામાં આવે છે. દિલ્લા પ્રમાળામુપૈય (પત્ત વૃત્તિ સંહિત), ચામુલ, ચાત્રા, ગાત્રમ્પના ( પત્ત વૃત્તિ સહિત), ત્રિકારતક્ષા તથા હેતુ વગેરે ન્યાયગ્રંથની રચના કરી છે. તેમાં પ્રHIળતyય સૌથી મોટો અને તેને સૌથી વધારે મહાને (Masterpiece) ગ્રંથ 1. doi: On Yuan-Chawang's Travels in India (By WATTERS) Vol. II, p. 210 ૨. આ ગ્રંથ સંસ્કૃતમાં નષ્ટ થઈ ગયો છે. તેને ટિબેટન ભાષામાં અનુવાદ મળતું નથી. પરંતુ તેનો ચીની ભાષામાં અનુવાદ મળે છે. તેના ઉપરથી રોમ(ઇટાલી)ના પ્રોફેસર Giuseppe tucci એ ઈંગ્લીશ ભાષામાં અનુવાદ કરીને જર્મનીની HE DELBERGની યુનિવસીટીના JARBUCH des instituts fir Buddhismvs-Rande Vol. 1. માં પ્રકાશિત કર્યો છે. 3. સંસ્કૃતમાં નષ્ટ થઈ ગલા આ ગ્રંથને ટિબેટન તથા ચીની ભાષાંતર ઉપરથી સંસ્કૃતમાં અનુવાદ કરીને અયાસ્વામી શાસ્ત્રીએ મદ્રાસની આડથર લાયબ્રેરી તરફથી પ્રગટ કર્યો છે. ૪. સંસ્કૃતમાં નષ્ટ થઈ ગયેલા એ ગ્રથના ટિબેટન અનુવાદ ઉપથી દુર્ગાચરણ ચટ્ટોપાધ્યાયે સંસ્કૃતમાં અનુવાદ કર્યો છે, અને તે કલકત્તાના Indian Historical Quarterly નામના ત્રેતાસિકમાં Vol. X. pp. 262-272 તથા 511-51માં છપાયા છે. તેનું નામ “હેતુકનિય” રાખવામાં આવ્યું છે, For Private And Personal Use Only
SR No.521683
Book TitleJain_Satyaprakash 1952 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1952
Total Pages30
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy