________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात)
क्रमांक
વર્ષ : ૨૭ || વિક્રમ સં. ૨૦૦૮ : વીરનિ. સં ર૪૭૮ ઈ. સ. ૧૫ર સંવ : ૪ || પિષ વદ ૩ : મંગળવાર : ૧૫ જાન્યુઆરી ||
જૈન સંતને પ્રભાવ લેખક:–છે. પુરષોત્તમચંદ્ર જૈન શાસ્ત્રી. એમ. એ. એમ. ઓ. એલ.
ભારતીય ઈતિહાસમાં જૈનધર્મ, જૈનસંસ્કૃતિ અને જૈન દર્શનનું કેટલું ઊંચું સ્થાન છે એ કેઈનાથી છૂપું નથી. જે ભૌતિકવાદની ભયાનક્તાથી તંગ બનીને આજે વિશ્વનાં બધાં રાષ્ટ્ર આધ્યાત્મિકવાદના સર્વોત્તમ સંદેશ “વિશ્વશાંતિની સ્થાપનાના મહત્વને સમજવા લાગ્યા છે તે વિશ્વશાંતિનો સંદેશ જૈનધર્મ અનાદિકાળથી આપતે આવ્યા છે. જેનધર્મના સિદ્ધાંતની ઉત્કૃષ્ટતા નિર્વિવાદ સિદ્ધ છે. આ મહાન ધર્મના અહિંસાવાદ, કોમવાદ અને અનેકાંતવાદના સિદ્ધાંતે હંમેશાં વિશ્વમાં તેની કીતિને પ્રસારિત કરતા રહેશે, પરંતુ સમયનું ચક્ર ખૂબ વિચિત્ર છે. જે જૈનધર્મ કે સમયે વિશ્વધર્મ બનવાને દાવે કરતે હતું, તે કેટલીક સદીઓથી અવનતિ તરફ જઈ રહ્યો છે અને તેને પ્રચાર એ છે કે જાય છે. x x x
જૈન સાહિત્યને જોતાં એ સ્પષ્ટ પત્તો લાગે છે કે, જેનધર્મ કઈ સમયે વિદ્વાનો ધર્મ હતું પરંતુ અહિંસાપ્રધાન ધર્મ હોવાના કારણે એના અનુયાયીઓ ન્યૂનતમ હિંસાવાળા વ્યાપાર-વ્યવસાયને અપનાવ્યું. વ્યાપારથી લક્ષ્મીનું આગમન સ્વાભાવિક છે અને લક્ષ્મીના ચક્કરમાં પડેલે માનવી પોતાના ધર્મ અને સંસ્કૃતિને ભૂલી જાય અથવા તેની ઉપેક્ષા કરી દે એ આશ્ચર્યજનક વાત નથી. અસ્તુ.
વર્તમાન સમયમાં જૈનધર્મ વ્યાપકરૂપે વેપારીઓને ધર્મ બની રહ્યો છે. જે કંઈ પણ જૈનધર્મનો પ્રચાર જ્યાં ત્યાં દૃષ્ટિગોચર થાય છે તેનું શ્રેય: જેના મુનિરાજોના ફાળે જાય છે. લોક જૈન સંતે તરફ ટીકા અવશ્ય કરે છે, પરંતુ હું દાવાની સાથે કહી શકું કે જે જૈન મુનિરત્નોએ જૈન ધર્મના પ્રચારને ભાર પિતાના માથે ઉપાડી લીધે ન હોત તો જે કંઈ જૈનધર્મને પ્રચાર અને જેનાગનું પઠન-પાઠન આજે દૃષ્ટિગોચર થાય છે તેને પણ અભાવ બની જાત. વેપારી કે જૈનધર્મના વર્તમાન પ્રચારને કાયમ રાખવામાં સમર્થ ન બની શકત.
(લેખકના બ્રાળ-સંસ્કૃતિથી હારેલા "નામક પુસ્તકના “નમ્રનિવેદન’માંથી)
For Private And Personal Use Only