SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧ ] તીર્થ યાત્રા સ્તવન [ ૧૭ તથા શ્વેતાની વસ્તી ન રહેવાથી તીહાર આદિના અભાવમાં અનેક તીર્થી વિચ્છેદ પામ્યાં. ચંદ્રાવતી આદિનાં ધ્વસાવશેષો અને લાખેાની લાગતનાં સ્થાપત્યે આપણી આંખ સામે સ્થાનાંતરત થઈ ગયાં અને જૈનેતર એવાં શૈવ વૈષ્ણુવ મદિરા અને મસ્જિદોમાં પરિવર્તન પામ્યાં. પુરાતત્ત્વ વિભાગ અથવા રાજ્યાની અસાવધાનીથી અસંખ્ય પ્રસ્તરકળાનાં પ્રતીકા ઠેકેદારો અને જનતાએ ઉપાડી જઈ પેાતાના ધરાના નિર્માણુ કામમાં લઈ લીધાં. ગેઝેટિયર અને રિપોર્ટથી પત્તો લાગે છે કે આજે પણ ભારતના ખૂણેખૂણામાં સખ્યાબંધ જૈત ખડિયેરા વીખરાયેલાં પડયાં છે. એમાંથી પ્રાચીન તેમજ કલાત્મક વસ્તુને સ ંગ્રહ કરીએ તે કેટલાંયે મોટાં મોટાં સંગ્રહાલયે નુ` નિર્માણ થઈ શકે, જે યુગો સુધી ભારતીય ભક્તિભાવનાની ગાથા મૂર્તિરૂપે પ્રદર્શિત કરતાં રહે. જે પ્રકારે ભારતવર્ષ વિશાળ છે તેમ તેનાં તી મદિરાના પ્રાસુર્યની સાથેાસાથ તત્સબંધી સાહિત્ય પણ પર્યાપ્ત ઉપલબ્ધ છે, મધ્યકાલીન ચૈત્યવાસી યુગતુ તે તીર્થોં સંબંધી સાહિત્ય મળતું નથી પર ંતુ બારમી સદીથી બનેલાં ‘તીમાલા ' આદિ સાહિત્ય ઇતિહાસના આવરિત પૃષ્ઠો પર પ્રકાશકિણા પ્રસારિત કરે છે. રાજા આમ-નાગભટ્ટ, કુમારપાત્ર, વસ્તુપાલ-તેજપાલ સંબંધી સાહિત્ય ‘ તીર્થંકલ્પ, પ્રશ્નધા, તીમાળાઓ' તથા જેનાચાયાનાં ‘જીવનવૃત્ત’૪ તેમજ ગુર્વાવલી ' આદિ સાહિત્ય જૈન તી- મદિરાની સામગ્રીથી ઓતપ્રોત છે, સ'સ્કૃત-પ્રાકૃતના સાહિત્ય ઉપરાંત અપભ્રંશકાળમાં અને તે પછી દેશ્ય ભાષામાં તીથૅ સંબંધી રાસ ઈત્યાદિ બનવા લાગ્યા. · રાસ, ગિરનારરાસ ' ઈત્યાદિ વિચ્છ તી વિષયક રાસ તથા તી - માલાએ, ચૈત્યપરિપાટીએ' ઇત્યાદિ સમુચ્ચય તીર્થીનાં નામ અને સક્ષિપ્ત પરિચયવાળા સાહિત્યનું પ્રચુર નિર્માણુ થયું છે. - આ પ્રાચીન તીર્થંમાળાએવુ અનેક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ છે. ભૌગાલિક દષ્ટિએ સ્થાનનિહ્ય, પ્રાચીનતા, ભાષાવિજ્ઞાન, ઇતિહાસ, સમાજ અને સાંસ્કૃતિક દષ્ટિકાણુથી પણુ આમાં બહુમૂલ્ય અધ્યયન સામગ્રી નિહિત છે. આજસુધી અધિકાંશ તીર્થમાળાઓ સાળમી શતાબ્દીથી નિર્મિત જ પ્રકાશમાં આવી છે. પરંતુ પ્રાચીન તીર્થમાળાઓમાં એથી પૂર્વ મુસલમાતા દ્વારા ધ્વસ્ત અને વિચ્છેદ પામેલાં તાથેના પરિચય અને નામેા વગેરે મળી આવે છે. વિશ્વસ્ત અને વિસ્તૃત તીર્થોનુ' ઇતિવ્રુત્ત પ્રાપ્ત કરવા માટે તેનુ' અસાધારણ મહત્ત્વ છે. એવા સાહિત્યનું અનુસંધાન અને પ્રકાશન ઇતિહાસ માટે પરમાવશ્યક છે. : અહી ચૌદમી સદીના એક વિશિષ્ટ વિદ્વાન વિનયપ્રભાધ્યાય, જેમને ગૌતમરાસ ' જૈન સમાજના ઘેરે ઘેર પ્રસિદ્ધ છે, તેમણે રચેલી તીમાલા પ્રકાશિત કરવામાં આવે છે. તેમની કેટલીક કૃતિઓ ધિબીજ 'ના ઉપનામથી ઉપલબ્ધ છે. પ્રસ્તુત પ્રતિની અંતે પણ એ જ નામ લખેલું છે. આ કૃતિ ૨૫ ગાથામાં છે. આમાં હાંસીથી માંડીને દિલ્લી, મથુરા, હસ્તિનાપુર, રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્રનાં સમસ્ત તીર્થોનાં નામ આપીને ખંભાતનાં મંદિરનું વર્ણન કરતાં આતે પૂર્ણ કરવામાં આવી છે. તેમાં વર્ણિત સ્થાને અને ત્યાંનાં જિનાલયેા તેમજ મૂળનાયકની નામાવિલ નીચે આપવામાં આવે છે:~~~ ૩. જૈનેતર પુરાણ સાહિત્યમાં તા સ્થાનાના મહાત્મ્ય સંબંધમાં બહુ વિશાળ સાહિત્ય મળે છે, ૪. તુએ; અમારા ‘દાદા શ્રી જિનકુશળ સૂરિ' ગ્રંથ, For Private And Personal Use Only
SR No.521680
Book TitleJain_Satyaprakash 1951 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1951
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy