SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧ ] તપાલન [ ૨૪૭ ચોરે પિતાનું ઠેકાણું બતાવ્યું અને બંને જણે પિતપતાના રસ્તે પાયા. રાજ મહેલમાં જઈને સુઈ ગયો. સવારે બધાને માલમ પડ્યું કે મહેલમાં ચોરી થઈ છે, મંત્રી તરત દેડી આવ્યો અને બધા સામાનની તપાસ કરવા લા. તપાસ કરતાં બધો સામાન તેને જેમને તેમ જવા. છેવટે તેની નજર પેલી ડબ્બી ઉપર પડી. બી ખાલીને જોયું તો તેમાં માત્ર ત્રણ રને જ હતાં. મંત્રીને વિચાર આવ્યો કે ચોર કઈ ભૂખ માણસ લાગે છે, જે ત્રણ રને બાકી છેડી ગયો. તેણે એ ત્રણ રસ્તે ઓહિયાં કરી લેવાને સુંદર અવસર જઈ ખીસામાં મૂકી દીધાં અને બીજે ઠેકાણે મૂકી દીધી. રાજાની પાસે જઈને મંત્રીએ નિવેદન કર્યું કે, “મહારાજ! બીજી બધી વસ્તુઓ તે સલામત છે પરંતુ પેલી ડબ્બીનાં સાતે રસ્તે ચાર લઈ ગયો છે.” રાજાએ બીજું કઈ ન કહેતાં જણવ્યું: “ચેરિને પકડી તરત હાજર કરો.” કર્મચારીઓએ ચારને પકડવાની ખૂબ કાશીશ કરી પરંતુ ચાર કઈ પ્રકારે પકડી શકાય નહિ. આ તરફ આ ચોરે એ ચાર રત્નોમાંથી એક રત્ન કોઈ વેપારીને આપીને તેની સાથે નક્કી કર્યું કે જ્યાં સુધી આ રનની કીમત પૂરી ન થઈ જાય ત્યાં સુધી મારે ત્યાં હંમેશા ભોજન-સામગ્રી એકલતા રહેવું. જ્યારે હિસાબ પતી જાય ત્યારે મને કહેવાવવું. આ રીતે તેને ત્યાં હમેશાં ભેજનને સામાન પહોંચ્યા કરતો હતો અને તે નિશ્ચિત બની ખાઈ-પીને પિતાના ઘરમાં એક ખાટલા પર પાવો રહેતા હતા. બહાર નીકળને હું બેલવાનો પ્રસંગ આવે એવું કામ એણે રાખ્યું જ નહોતું. જ્યારે ચાર કોઈ પણ રીતે પકડી ન શકાય ત્યારે એક દિવસે રાજાએ દરબાર ભર્યો. રાજાએ કર્મચારીઓ અને મંત્રીને પૂછયું કે, “તમે ચેરને પકડી શકે તેમ છે કે નહિ?” તેમણે આટલા દિવસના પરિશ્રમ પછી નિરાશ બનીને ના પાડી દીધી. ત્યારે રાજાએ એક માણસને ચોરનું ઠેકાણું આપી તે માણસને બોલાવી લાવવા ફરમાવ્યું. એ માણસ જયારે તેના ઘેર ગયો ત્યારે એ પોતાના ઘરની બારી અધી ખુલ્લી રાખીને આરામથી સૂઈ રહ્યો હતો. કોઈ અજ્ઞાત માનવીને પોતાના ઘેર આવે જાણીને તેના હૃદયમાં એ આભાસ થયો કે હું પકડાઈ ગયો છું, એમ હોવા છતાં એના અંતરમાં ભય નહે. ” ચોરને પકડી રાજ પાસે લાવવામાં આવ્યો. ત્યારે રાજાએ તેને પહેલો જ પ્રશ્ન પૂછ્યું કે, “તુ કે ધંધે કરે છે?” અન્નદાતા ! હું ચેરીને ધંધો કરતા હતા.” કરતે હતો? હવે નથી કરતે ?” “ના મહારાજ ! પહેલાં કરતો હતો, હવે કરતો નથી.” “ જ્યારથી નથી કરતે ?” “ જયારથી રાજમહેલમાં ગેરી કરી ત્યારથી.” રાજમહેલમાંથી ચોરી કરી શું લઈ ગ?” For Private And Personal Use Only
SR No.521666
Book TitleJain_Satyaprakash 1950 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy