SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ લાલજીએ આર વગેરેની પ્રતિમાં મળતા સમકાદિ- ગામાદિ–સનવારંવાળે વિમા પન્નત્તા પર આ પાઠમાં સંસદ શબ્દનો ઉમેરો કરીને सम्मामिच्छाइट्ठि-असंजदासम्माइहि-संजदासंजद-संजदट्ठाणे णियमा पज्जत्तियाओ (Rા એવો પાઠ સાચો હોવાની ટિપણમાં સુચના કરી. આથી દિગંબર સમાજના કદર વર્ગમાં જબરજસ્ત ખળભળાટ પેદા થયો કે “પ્રો. હીરાલાલજી દિગંબર જૈન હેવા છતાં પણ દિગંબર સંપ્રદાયને મૂલેછેદ કરી રહ્યા છે. એ વિષે ખૂબ લખાણ સામસામાં લખાયાં, પુસ્તિકાઓ પણ પ્રગટ થઈ. છેવટે શ્રીહીરાલાલજીના પક્ષ તરફથી સુડબદ્રીની જે પ્રતિ ઉપરથી ધવલની પ્રતિલિપિ લખાઈને ગુપ્તપણે બહાર આવી હતી અને તેના ઉપરથી બીજી સાક્ષાત યા પરંપરાએ નકલો તૈયાર થઈ હતી તે મૂળ પ્રતિને જ તપાસવાનો નિર્ણય થયો. મુબદ્રીમાં તાપત્ર પર લખાયેલી ધવલગ્રંથની બે પ્રતિઓ છે. તેમાં એકમાં આ ૯૩ મા સત્રવાળું પાનું જ ગૂમ ગઈ ગયું છે. એટલે એ પડત પ્રતિને આધારે કરશે નિર્ણય થઈ શકે નહીં. પણ જે બીજી પ્રતિ હતી તે સંપૂર્ણ હતી, અને તેમાં ચંદ્ર શબ્દ પણ નીકળ્યો. એટલે હીરાલાલજીના પક્ષના હર્ષનો કોઈ પાર જ ન રહ્યો. હીરાલાલજીની જે ધારણુ હતી તે સર્વથા સાચી ઠરી. આથી વિરોધીઓના હાથ નીચા પડ્યા. તે પણ તેમણે યેન કેન પ્રકારે પિતાને પ્રચાર ચાલુ રાખે. આમાં મેરેના ગામના દિગંબર વિદ્યાલયના પંડિત મકખનલાલજી વિરોધીઓમાં અગ્રેસર હતા. તેમણે વર્તમાન દિગંબર પરંપરાના આચાર્ય શ્રી શાંતિસાગરસૂરિ આ વિવાદને જે ચુકાદો આપે તે સ્વીકારવાની ભાવિક જનતા પાસે વાત રજુ કરી. ઘણું ચે સારા સારા સમજુ માણસ આની વિરુદ્ધમાં હતા કે જે આ શ્રી શાંતિસાગરસૂરિજીને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન જ નથી તેમને ચુકાદો માન્ય શી રીતે રાખી શકાય ? તેમણે શાંતિસાગરજીને કહ્યું પણું ખરું કે “સાહેબ! આમાં આપે પાવાની જરૂર નથી’ પણ આથી વાત છેડી જ અટકવાની હતી? આ૦ શ્રી શાંતિસાગર દિગંબર સંપ્રદાયના અતિશય કદ્દર પક્ષપાતી છે. એમને જરા પણ ઉદારતા ખપતી નથી. અને શ્વેતાંબર સંપ્રદાય ઉપર ખૂબ સૂગ ધરાવનારા છે. પૂજ્યપાદ સ્વર્ગવાસી આગાહારક આચાર્ય પ્રવર શ્રી ૧૦૦૮ સાગરાનંદસુરીવરજી મહારાજે જે સુરતમાં તામ્રપત્ર ઉપર આમ કોતરાવ્યાં તે જોઈને તે પહતિએ દિગંબર સંપ્રદાયના ગ્રંથોને તામ્રપત્ર ઉપર કાતરાવવાની દિગંબર સમાજને ઈચ્છા થઈ આવી છે. એટલે કે તરતી વખતે સત શબ્દ રાખવે કે કેમ એ નિર્ણય કર્યા સિવાય ટકા જ ન હતો. ગજપથ તીર્થમાં મળેલ દિગંબર જૈનવાણી જીર્ણોદ્ધારક સંસ્થાની વાર્ષિક સભામાં આચાર્ય શાંતિસાગરજીએ—માત્ર પિતાને વધું આવે છે તે કારણે—ાર શબ્દને ૩. આ જોતાં એક અનુમાનને અવકાશ છે કે જે દિગંબર પંડિતે મુડબદ્રીની મૂલ કાતડી પ્રતિ ઉપરથી દેવનાગરીમાં પ્રતિલિપિ કરી હતી. તેમણે જ સંગર શબ્દથી દિગંબર પરંપરાની ચીમુક્તિની માન્યતામાં વિરોધ આવશે એવા ડરથી પ્રતિલિપિ (નકલ) કરતાં સંગર શબ્દ કાઢી નાખ્યો હોય એ પણ બનાવાય છે. કારણ કે આદર્શ ભૂત મૂવ કાની પ્રતિમાં સંગ્રહ શબ્દ હતો જ, For Private And Personal Use Only
SR No.521664
Book TitleJain_Satyaprakash 1950 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1950
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy