SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જીરાવલા તીર્થ [ મારવાડના એક પ્રાચીન તીર્થને ટૂંક પરિચય ] લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી) અમદાવાદથી મહેસાણું થઈને દિલ્હી જતી લાઇનમાં આબુરેઠ સ્ટેશન (ખરેડી) થી મોટર રસ્ત, આબુની તલાટીથી ૧-૧ માઈલ દૂર આણદા ગામ આવેલ છે. આ અણાદરાથી ૮ થી ૯ ગાઉ દૂર રાવલા ગામ છે, જે સિહેર સ્ટેટના મંડાર ગામથી સાત ગાઉ દૂર થાય છે. આ જીરાવલી ગામની બહાર ગામથી બી ફર્લામ દૂર બાવન જિનાલયનું વિશાલ, ભવ્ય અને ગગનચુખ્ય મંદિર છે, જે શ્રીજીરાવાલા તીયના નામે જાણીતું છે. મંદિરની સામે વિશાલ ચેક છે, અને બાજુમાં જ સુંદર વિશાલ ધર્મશાળા નવી બની રહી છે. ધર્મશાળાને પાયો ખોદતાં એક પ્રાચીન સુંદર સફેદ જિતેંદ્રપ્રભુની મૂર્તિ પ્રગટ થઈ છે. આ મતિ અત્યારે તત્કાલ પૂરતી કર્મ શાળાના એક ઓરડામાં બિરાજમાન કરી છે. હમણાં આ ભવ્ય પ્રાચીન તીર્થરૂપ મંદિરનો જીર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું છે. ગામમાં નાનો ઉપાશ્રય છે અને શ્રાવકનાં આઠ દસ પર છે. મામની ચારે તરફ ફરતી પાડી છે; દૂર દૂર સુધી પહાડો સિવાય કાંઈ જ નજરે પડતું નથી. જીરાવલીજીની પહાડી ઠેઠ અણુદરા સુધી દેખાય છે, અને આબુ ઉપર ચઢતા પશુ જીરાલાજનો ટોરી દેખાય છે. આ આખે પ્રદેશ પહાડી હોવા છતાં ખૂબ ફળદ્રુપ છે. પહાડનાં ઝરણુની મહેરથી પ્રદેશ લીલાછમ છે, ખારેક, ખજૂરી અને માંજા ઘણી જ સારી સંખ્યામાં આ પ્રદેશમાં નજરે પડે છે, તેમજ ખેતરો પણ લીલાંછમ અને હર્યભર્યા લાગે છે. અમે વૈશાખની ગરમીમાં આ પ્રદેશમાંથી વિહાર કરી રહ્યા હતા, છતાંયે મધરની લૂવાતી ગરમી કે ઉકળાટનો અહીં અભાવ જણાતો હતો. યદ્યપિ ઋતુ ગરમ હતી એટલે ગરમી તે હતી જ, કિન્તુ ભયંકર લૂ અને ઉકળાટ અનુભવ નહોતો કરવો પડશે. આ તીર્થસ્થાનનું મંદિર ૫૯ ડીના નીચાણમાં આવ્યું છે. જાણે પર્વતની તળેટીમાં જ વસ્યું હેબ એવાં અદ્દભુત દશ્યો નજરે પડે છે. આ સ્થાને વર્ષો ઋતુની અદ્દભુત કલ્પના કરે ! ચારે બાજુ લીલાછમ પર્વતેમાંથી ખળખળ વહેતા પાણીના ઝરણું, પ્રવાહો અને જોધો માર કરતા પડી રહ્યા હોય ! કલાપીના મધુર કેકાર થઈ રહ્યા હોય અને પાણીના તળાવમાં દેકા દકારા કરી રહ્યા હોય! આવા સમયે કોઈ ભય મુમુક્ષુ જીવાત્મા આ પવિત્ર તીર્થસ્થાનમાં જાય અને ભયભંજન દુઃખહર શ્રોજીરાવાલાજી પાર્શ્વનાથજીની પ્રતિમાનાં દર્શન કરે છે એના અંતરમાં સહજ રીતે આ ભાવના (કુરાયમાન થાય છે, - “ અમીય ભરી મતિ રચી રે, ઉપમા ન ધટે કેય. ” હવે આપણે આ પ્રાચીન તીર્થના મંદિરમાં પ્રવેશ કરીએ. મૂલ મંદિરમાં પેસતાં જ મંદિરમાં બિરાજમાન પરમાત્માનાં દર્શન થાય છે. ભક્ત એમ જ સમજતા હોય છે કે હું તીર્થનાયક શ્રીજીરાવવા પાર્શ્વનાથ ભગવંતનાં જ દર્શન કરું છું પરંતુ બે મુમુક્ષ જક્તજન સૂલ ગભારા પાસે આવે છે, અને સાંભળે છે કે આ મૂયનાયકછ તો યદુકુલતિલક બાલબ્રહ્મ ચારી ઝીનેમનાથજી ભગવંત છે, ત્યારે તેને આશ્ચર્ય થયા વિના નથી રહેતું. તર્થ છે તે For Private And Personal Use Only
SR No.521651
Book TitleJain_Satyaprakash 1949 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy