SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ નામની કૃતિની પાંચમી અનુક્રમણિકામાં ઉપર્યુક્ત આઠમાંથી એકૃત ધાયેલી જણાતી નથી. જો આ કૃતિ પૈકી થાવસ્થાકુમારભાસના કર્તા વિ. મેં ૧૫૦૧થી ૧પ૩૪ સુધીમાં વિવિધ કૃતિઓ રચનારા કવિ શ્રાવક દેપાલ (દેપા) હોય તો એ એક કુત અહીં નોંધાયેલો ગણાય. જે. સા. સં. ઈ. (૫. પર૩)માં આ કૃતિને થૂલભદ્ર કક્કાવાળી, ધૂલિભદ્રકાન, હરિયાળી અને સ્નાત્રપૂજા જેવી નાની કૃતિ ગણું છે. જન ગુજર કવિઓ (ભા. ૩, મું. ૨)માં પદ્યકૃતિઓની અનુક્રમણિકામાં નીચે મુજબના ભાસની નધિ છે – (૧) આદિનાય-ભાસ જે. ગૂ, ક (ભા. ૭, નં. ૧, પૃ. ૫૧૩) (૨) કાલરિભાસ એજન (ભા. ૩, ખં. ૧, પૃ. ૪૫૯) (૩) ચોવીસ જિન-ભાસ એજન (ભા. ૩, નં. ૨, ૧૧૨૬૭) (૪) રતનશી ઋષિ-શાસ એજન (ભા. ૭, નં. ૨, પૃ. ૧૫૨૦) (૫) શત્રુજય-ભાસ એજન (ભા. ૩, ખં ૧, પૃ. ૪૯૩) આમાંની બીજી અને ચોથી એ બે કૃતિને ઐતિહાસિક કૃતિ' તરીકે ઓળખાવાઈ છે. “જૈન સત્ય પ્રકાશ” (વ. ૧૩, અં. ૧૧)માં “આયણ-ભાસ' છપાયેલ છે. આમ મેં જે અહીં કેટલીક કૃતિઓ ભાસ તરીકે નિદેશાલી નેધી છે એની હવે હું આછી રૂપરેખા આલેખું છું— (૧) આદિનાથ-ભાસ પ્રાચીન તીથમાળા સંગ્રહ (ભા. ૧, પૃ. ૧૬૬-૮)માં આ કૃતિ પ્રસિદ્ધ થયેલી છે. એનો પ્રારંભિક ભાગ નીચે મુજબ છે – સરસતિ સરસતિ દિઉ વયણું ગાઈસિ ગિરૂઆ ગુણ “ગુજિ' તણું'' આમાં “સનુંજયના સાત ઉદ્ધારનું વર્ણન છે. કર્મસિંહે (કસ્મશાહ) સાતમો ઉદ્ધાર કરાવ્યાને અહીં ઉલ્લેખ છે. કર્મસિંહ વિ સં. ૧૫૮૭ના વૈશાખ વદ પાંચમે પ્રતિષ્ઠા કરાવી એમ જે અહીં કહ્યું છે એ ઉપરથી આ કૃ એ સાલ પૂર્વેની નથી એમ અનુમાન થઈ શકે છે. સાતમા ઉદ્ધારને અંગે આ કૃતિના કર્તા લાવણ્યસમયે જે બહુ લાંબી પ્રશસ્તિ સંસ્કૃતમાં રચી છે તે સિદ્ધાચળ ઉપર સૌથી મોટા અને મુખ્ય મંદિરના પૂર્વ ધારના એક થાંભલા ઉપર વિદ્યમાન છે(જુઓ પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભા. ૧, સંક્ષિપ્ત સારનું પૃ.૪૩). આ સમગ્ર ભાસ હું જોઈ ગયા, પણ એમાં કોઈ સ્થળે “ભાસ' શબ્દ લાવયસમયે વાપર્યો નથી. તો પછી આને શા આધારે “ભાસ' તરીકે ઓળખાવાયેલ છે એ પ્રશ્ન ઉદ્દભવે છે. (૨) આલોયણ-ભાસ આ આદીશ્વર વિનંતિના તેમજ આદિનાથ-ભાસના ક્ત મુનિ લાવણ્યસમયની કતિ છે. એ એમણે “ક્લલ તાલુકામાં આવેલા “વાજ' ગામમાં વિ. સં. For Private And Personal Use Only
SR No.521650
Book TitleJain_Satyaprakash 1949 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy