________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩-૪] શ્રી સરિમ–કલ્પસંદેહ”
[ ૫૩ સર્વ સાવવ( સાધુધર્મમાં ઠીક ન ગણાય-તેને સેવનારો હું છું. મને તેવા પ્રકારનો (એટલે મંત્ર-વિદ્યાના આખાયોને જાણકાર) ગુરુ મળ્યો નથી, તેમ તેવા પ્રકારના મંત્રગુરુ ૫ણ મળ્યું નથી. લિંગ ઉપર આવનાર હું હણાયો છું.'
આ સ્પષ્ટ ભાવને બદલે જે કેવળ શબ્દાર્થ જ કરવામાં આવે કે અન્વયને આઘોપાછો કરવામાં આવે તે ઊધું જ સમજાય એ સ્વાભાવિક છે. આ ભાષાન્તરમાં તેવી જ વિચિત્રતા થઈ છે, તે નીચેના અનુવાદથી જોઈ શકાય છે.
“હું બધી સાવદ્ય (પાપકારી વસ્તુઓ)ને સેવનારો છું, એવા પ્રકારને મારે ગુરુ નથી, અને એ મંત્રગુરુ પણ થયું નથી. ખરેખર લિંગ-વેશ ઉપર છવનાર ગુરુ નાશ પામ્યો છે.”
મૂળમાં નથી છતાં ભાષાન્તરમાં “ગુરુ' શબ્દ છેલ્લે ઘરનો ઉમેરવામાં આવ્યા છે. ને અય તે કેટલાયે અજૂગતા ખ્યાલો બંધાવે એવો કરાય છે. વળી આગળ જઈએ – (૨) “સર્વત્ર તુયાયી પ્રવિ, પરે શાન્તિપુષ્ટિ છે
માયા વરલોમે શ્રીજ્ઞાનશ્રીમતિઋ(7)ā I 3 II” આ શ્લોક શ્રીમતુંગરિવિરચિત “સુમુિખ્યમંત્ર૯૫ ના આરંભમાં નવમો છે. તેને અર્થ આ પ્રમાણે છે –
પ્રણ–8કારે સ્તુતિની શરૂઆતમાં સર્વ સ્થળે પોતાની અને પરની શાતિ અને તુષ્ટિને માટે છે. માયા-હંકાર વશીકરણ અને ક્ષોભને માટે છે, અને શ્રી (શ્રી) કાર જ્ઞાનલક્ષમી (શોભા) મતિ તથા સિને માટે છે '
અનુવાદમાં અર્થ નીચે પ્રમાણે કર્યો છે-- સર્વત્ર સ્તુતિ વગેરેમાં પ્રણવમંત્ર પિતાની તથા બીજાની શક્તિ અને સંતોષ માટે, માયા વશીકરણ અને ક્ષોભમાં જ્ઞાન અને બુદ્ધિની તૃપ્તિ માટે હેય છે'
આ ઉપરથી જોઈ શકાશે કે અનુવાદકારને લોક નથી સમજાય એટલે જેમ તેમ અર્થ લખી નાખે છે.
આવું ડગલે ને પગલે આખા ગ્રન્થમાં થયું છે. એટલે હવે તે અવસરમાણ એટલું કહેવું જરૂરી છે કે આ ગ્રંથને કઈ પણ વાંચનાર ગુમ સિવાય ભૂલેચૂકે પણ એ મન્યને સ્વયં ઉપયોગ કરવાનું સાહસ ન કરે.
જાણકારની સહાય વગર જનતા સમક્ષ આવાં રહસ્યો મૂકવાનાં સાહસો પણ જનતાના હિતને માટે ફરી કઈ ન કરે, એટલું આ ઉપરથી તાત્પર્ય કાઢવું જોઈએ.
સાથે આવાં રહસ્ય મહાનુભાવો પાસે રહે ને ઉચિત રીતે જળવાય એ જ હિતકર છે. હિતને માટે જાયેલાં વિધાને અનુચિત રીતે ફેલાય અને અહિત કરે તે કરતાં એ અપ્રગટ રહે અથવા કોઈ કારણસર નામશેષ થઈ જાય તે પણ એમાં વિશેષ હાનિ નથી. સં. ૨૦૦૫, કાર્તિક કૃષ્ણ , ગુરુ તા. ૨-૧૧-જા
For Private And Personal Use Only