SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [3] અંક ૧ | આરંભસિદ્ધિ પ્રયે રસ છે. પાશ્રિ માને તે રસ છે એટલું જ નહિ પણ આધુનિક સાધન-સામગ્રીના ઉપયોગથી તેમણે તેમાં વિકાસ પણું સાથો છે. પ્રાચીન પદ્ધતિ પ્રમાણેના એકધારે ગોખણીયા ઉપયોગથી પ્રાચીન તિષની પ્રતીતિ અને પ્રગતિ અટકી પડે છે, તેમાં દેશ તિજનો નથી, તેના ઉપયોગ કરનારાઓને છે. જેમ આર્યાવર્તનું વૈદક ઘણું જ વિશિષ્ટ અને સુલભ છે છતાં ઉચિત જાણકાર અને તેને વ્યવસ્થિત રીતે ઉપયોગમાં લેનાર વ્યકિતઓને અભાવે દબાઈ ગયું છે તે જ પ્રમાણે જ્યોતિષનું બન્યું છે, જે આર્યાવર્તે ગાયું છે કે – કાતિ પૃત્ત તિષ એ આંખ છે; જેમ આંખથી પદાર્થોનું ન થાય છે, તે જ આર્યાવર્તમાં આજે જ્યોતિષ મશ્કરીને વિષય-હાસ્યનું વાહન થયું છે. હાલતા ચાલતા લેભાગુ માણસો પણ પેટનું પૂરું કરવા તિષને સાધન બનાવી ચરી ખાય છે, બબ્બે પૈસામાં જતિષ જેવાય છે. જ્યોતિષને નામે લેકે છેતરાય છે. પિતાનું ભવિષ્ય જાણવા માટે આતુર જનતા ઠગ તિષીઓ પાસે જાય છે, તેમના વચનની મીઠાસથી રાજી થાય છે, ધન આપે છે ને સંતોષ અનુભવે છે. શ્રમ વગરના ધન મેળવવાના ઉપાયો-ધંધામાં રાચતા લેકને જતિષ પ્રત્યે સારું આ fણ હોય છે. જ્યોતિષ જાણે તેમને ધન એકદમ અપાવી દેશે એમ તેઓ માને છે કે તે માટે ખૂબ ફાંફાં મારે છે. આમ તિષનો ઉપગ ઘણો જ અતિ થઈ રહ્યો છે. અને એ રીતના ઉપયોગથી અમુક શિષ્ટ વર્ગ તષ તરફ થ્રો-સૂગ પણ ધરાવે છે. પણ જેમ જ્યોતિષ દુરુપત્ર અનિરછનીય છે તેમ તે તરફ સૂગ રાખવી-અરુચિ કરવી તે પણ ઇચછનીય નથી. તિષ એ દિવ્ય છે. જોતિષના લાભો પણ મહાન છે. જ્યોતિષ એ ખરેખર જોતિઃ-ત્રકાશ છે. એ પ્રકાશને ઝીલવાનું સામર્થ્ય આવે તો અનેક અપૂર્વ વાતો અને પદાર્થોનું ભાન થાય એ નિઃસંદેહ છે. તિષના મુખ્યત્વે બે વિભાગ છે એક ગણિત વિભાગ અને બીજો ફલિત વિભાગ. ગણિત વિભાગમાં ફલાદેશ કરતાં ગણત્રીને વિશેષ ઉપયોગ હોય છે. ગણિત વિભાગના જ્યોતિષને પણ બે ભાગમાં વહેંચી શકાયએક જન્મકુંડલી વિષયક જ્યોતિષ અને બીજું મુહૂર્ત વિષયક જ્યોતિષ. તેમાં જન્મકુંડલી વિષયક જ્યોતિષ-યારે કોઈને પણ જન્મ થાય ત્યારે ગ્રહચાર કેવા પ્રકારનો હતો, કયા કયા ગ્રહ કયે કયે સ્થાને હતા, કયું લગ્ન ચાલતું હતું, ગ્રહ ઉપર અને ભાવો ઉપર કોની કેની કેટલા પ્રમાણમાં દષ્ટિ પડે છે, કઈ દિશામાં જન્મ થયો છે, તે દશા કેટલા કાળ સુધી ચાલશે. તેમાં અન્તર્દશાઓ ટલી આવશે, નવમાંશ, હેરા, દશાંશ, પડિશાંશ, સતાંશ ઈત્યાદિ ષહૂવર્ગ–દશવર્ગ–કાઢવામાં ઉપયોગી થાય છે. મુદત વિષયક તિષનો ઉપયોગ મુખ્યત્વે જુદાં જુદાં કાર્યો કરવાનાં હોય ત્યારે તિષિવાર-નક્ષત્ર-ચોગ-કરણ-વગેરે જોવામાં થાય છે. આ બન્ને પ્રકારના ગતિ જ્યોતિષમાં મુખ્યતયા ઉપયોગી પંચાંગ અને પંચાંગને સ્પષ્ટ કરનારા ગણિત પ્રકારો થાય છે. એ ગણિત સૂક્ષમ અને કષ્ટસાધ્ય છે. પણુ પંચાગ તયાર પ્રાપ્ત થતાં હોવાથી બહુધા એ શ્રમ કરવાનું રહેતું નથી. For Private And Personal Use Only
SR No.521647
Book TitleJain_Satyaprakash 1948 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy