SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ ને આવસ્મય ઉપર એમણે સંસ્કૃતમાં રચેલી ટીકામાં મુખ્યતયા ઉપર્યુક્ત સૃષ્ટિના શબ્દોમાં મળે છે. આ ટીકાના સંપાદક મહાશયે એની સંસ્કૃતમાં છાયા આપી છે. આવસ્મયના ઉપર મલયગિસૂિરિએ સંસ્કૃતમાં ટીકા રચી છે. એને ત્રીજા ભાગમાં પત્ર પર અ-પર૨ આમાં ગુણગત શબ્દને જાણે પલ્લવિત કરતા હોય તેમ આ ચેડગનિહાણુ’ કયા જઈશું મરહદીમાં આ સૂરિએ આપી છે, જયારે નદીની વૃત્તિ (પત્ર ૧૫૭ આ-૧૫૮ અ )માં તો એમણે આ કથા સંસ્કૃતમાં આપી છે. આ ઉપરથી એમ ભાસે છે કે શ્વેતાંબર કૃતિઓમાં જઈ મરહદીમાં કથા આપનાર તરીકે આવસ્યગુણિ પ્રથમ છે અને સંસ્કૃતમાં એ રજુ કરનાર કરી મલયગિરિસરિત નવૃત્તિ પ્રથમ છે. હિન્દી માટે “શ્રીમદ સત્રમ' ની આવૃત્તિ પહેલી હશે. “ હજાર વર્ષ પુરાની કહાનિ ” માં પૃ. ૮લ્માં આ કયા હિન્દીમાં ડે. જગદીશચંદ્ર જેને આપી છે. અને એનું ‘ભડકે બન્નર હે ગયે!' એવું શીર્ષક યોજવાની પહેલ એમણે કરી હોય એમ લાગે છે. હિનદી પુરતકના પ્રાસ્તાવિક (પૃ. ૨૨)માં એમણે કહ્યું છે કે આ કયા કથાસરિત્સાગર (પૃ. ૩૧૫) અને શુદસપ્તતિ (૩૯)માં તેમજ કંઈક રૂપાન્તરપૂર્વક કુટવાણિજ' જાતકમાં મળે છે. કથાસરિત્સાગરમાંથી અનેક કથાઓનું મૂલ ગુણુયે રચેલી બિહાહા (બકથા) છે. એટલે એમાં આ પ્રસ્તુત કથા હશે. જાતક કથા ઈ. સ. પૂર્વે પાંચમી સદીથી ઈ.સ. ની બીજી સદીમાં રચાયાનું મનાય છે. આમ આ કથાની ભારતદેશની અપેક્ષાએ પ્રાચીનતા છે. આવસ્મય મિાં આ કથા સંક્ષેપમાં પણ એ સમજવા માટે જરૂરી એવી તમામ બાબતો પૂર્વક અપાઈ છે. જેમ તાર વાંચતી વેળા પૂર્વાપર સંબં, જોડવો પડે છે, તે પ્રમાણેનું આ લખાણ છે. એ હું અહીં ગુજરાતીમાં ઉતારું છું બે મિત્રો હતા. (એક દહાડો) તેમણે નિધાન જોયું. (એકે કહ્યું: ) આવતી કાલે શુભ નક્ષત્રમાં આપણે એ લઈશું. (સરળ સ્વભાવવાળા બીજાએ ૮ પડી પણ) પેલાએ તે રાત્રે હાને (એ બહાર કાદી લીધું અને એ સ્થાનમાં કાલસ મૂકી દીધા. બીજે દિવસે બને (સાથે) ગયા. જુએ છે તે કોલસા હતા. પેલા લુચ્ચાએ કહ્યું અહો આપણા ભાગ્યની મદતા ! (નિધાનના) કાલસા થઇ ગયા. (એ ધૂને બીજા મિત્રના સુખ સામું ફરી ફરીને જોયા કર્યું. એટલે) એને સમજ પડી (કે આ મિત્રનું આ કારસ્તાન છે.) એણે (પિતાના મનની વાડ કરી નહિ. (જાણે તે જાણી ન ગયો છે તેમ એણે મિત્રને કહ્યું કે બેક કરવાથી શું છે તેમ છે ? આખરે બંને પોતપોતાને ઘેર ગયા.) | (ચકા બાજુ) પેલા મિત્રે પેલા (લુયા)ની (લેપની) પ્રતિમા કરાવી, અને બે વાંદરા લીધા (પાળ્યા). પ્રતિમાના ઉપર (ખેાળામાં, હાથ પર અને માથા ઉપર) એ ખાવાનું મૂકે, અને ભૂખ્યા થયેલા (પેલા) બે વાંદરા પ્રતિમા ઉપર ચઢીને એ ખાય. (આમ ઘણું દિવસ ચાલ્યું. ) For Private And Personal Use Only
SR No.521647
Book TitleJain_Satyaprakash 1948 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy