SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭-૮] શ્રી કેશ્વરીયાજી તીર્થને વિકટ પ્રશ્ન [ ૧૭૧ આત્માને ઘણું દુઃખ થયું. તપાસ કરતાં આ બધાનું કારણ જૈનધર્મના અજાણ કાર્યકર્તા અને અમારવામાં તથા પંડયાઓની પખુદીથી હમણું થોડાંક વર્ષોથી અવ્યવસ્થા વધી રહેલ છે.' આ સાથે આ બહેને સ્ટેટ પાસે ન્યાય માગતાં જણાવ્યું છે કે “આ અવ્યવસ્થા ટાળા હિન્દુસ્તાનના સરલ જેતસંધને વિશ્વાસ ઉત્પન્ન કરવા (૧) સંવત ૧૯૩૪માં સ્ટેટ તરફથી જાહેરાત થયા મુજબ કમિટી હસ્તક સંપૂર્ણ વહીવટ વ્યવસ્થા પૂરી સત્તાથી સોંપવામાં આવે યા તે (૨) આ તીને વહીવટ જે સમાજ તરફથી એની પાસે આવેલ છે તે સમાજને પાછો સંપી દેવાય.” તપસ્વીના બહેનની આ માગ તદ્દન ન્યાચિત અને વાજબી છે. આ બહેને ઉદેપુરના મહારાણાજીને ઉપયુંકત પત્રને ઉત્તર તા. ૧૧-૪-૪૮ સુધીમાં આપવા જણાવ્યું હતું અને ત્યાં સુધી માં જવાબ નહિ આપવામાં આવે તે તા. ૧૨-૪-૪૮ થી ચોવીહાર ઉપવાસ ઉપર ઊતરવાનું જણાવ્યું હતું. દુઃખની વાત છે કે ઉદેપુરના મહારાણાજીએ આ પત્રને જવાબ તા. ૧૧ મી સુધી ન જ આપે એટલે આ બધે તીર્થની રક્ષા ખાતર તા. ૧૨-૪-૪૮ થી આમરણાંત ચેવિહાર ઉપવાસ શરૂ કર્યો છે. ગૌબ્રાહ્મણ પ્રતિપાલ, સૂર્યવંશી, શિદીયા કુદી પડે અને પ્રજાપાલકનું માનવંતું બિરુદ ધરાવનાર મહારાણાજીએ એક ન્યાયે ચિત પત્રને જવાબ ન આપી એમના બિરુદને શોભતું કાંઈ જ નથી કર્યું. આવાં તીર્થોની રક્ષા કરતાં આવાં અનેક બલિદાન જૈન સંઘને આપવા પડશે અને જૈન સંઘ અનિદાને આપશે જ, કિન્તુ આ મામવંતાં બિ ધરાવનાર મહારાણાજીને તે આ બલિહાનેથી કલંકન ટકે જ લાગશે એ યાદ રાખવાની જરૂર છે. મહારાણાજીને હાથે ન્યાયનું ખૂન થાય-ન્યાયનું અપમાન થાય અને એક નિર્દોષ તપસ્વિની બહેનનું ન્યાયની રક્ષા કરતાં, ન્યાયને આદર અને ગૌરસ જાળવતાં, મૃત્યુ થાય એમાં ઉદેપુર સ્ટેટની કે મહારાણાજીની લગારે શોભા નથી. મહારાણાજીને અને ઉદેપુર સ્ટેટની કાઉન્સીલને અમે સવેળા ચેતવણી આપીએ છીએ કે તમે એમ ન સમજશો કે કાન બહેરા કરવાથી કે આવી ઘેર તપશ્ચર્યા પ્રતિ ઉપેક્ષા કરવાથી તમારી સલામતી છે. કિન્તુ ન્યાયના ખૂનની અને આ તપસ્વિની બહેનના જીવનને લગારે આંચ આવી તે તેની આપણું ફરજ હિન્દના દરેક ગામના જૈન સંઘ ઠરાવ કરે કે, શ્રી કેસરીયા તીર્થના રક્ષણ માટે સમય આવ્યે અનશન કરશું-બલિદાન આપીશું. આ માટે સ્વયંસેવક મંડલ તૈયાર કરે અને ગામડે ગામડે પ્રચાર માટે પિતાના સભ્ય મોકલે. For Private And Personal Use Only
SR No.521642
Book TitleJain_Satyaprakash 1948 04_05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy