________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ વળી આ દુર્જનશલ્ય વિષે શંખેશ્વર મહાતીર્થ નામે પુસ્તકમાં મુનિરાજ શ્રી ૦ અંતવિજયજી આ પ્રમાણે કહે છે –
વિધિસારાહારક ચન્દ્રપ્રભસૂરિના પટપર ધર્મષસૂરિના પટધર અભયદેવસૂરિના મૂખ્ય શિષ્ય વિઘાકમારના પ્રતિબધથી જે નિત્તદેવીએ આ પ્રતિ લખાવી હતી, તે નીતાદેવીએ પાર્શ્વ પ્રભુનું ચિત્ય તથા પિષધશાળા કરાવી હતી. અને તે ક્ષત્રીય શિરોમગ્નિસૂરાકના ભાઈ શાંતિમદેવના પુત્ર વિજયપાલની પ્રીયતમાં રાણી હતી. તેમનો પુત્ર રાણે પસિંહ હતું. અને તેમની શુરવીર પુત્રી રૂપલા દેવી, એ પ્રસ્તુત દુર્જનશલ્યની પ્રેમવતી પની હતી. આ દુર્જનશલ્યને શ્રીદેવીની કુક્ષિયી થએલે ઉદયસિંહ નામે પરાક્રમી પુત્ર હતું. આ ઘટના વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધની છે. તેમજ ઉપર્યુંકત વિદ્યાકુમારના દાદાગુરુ શ્રી ધર્મષસૂરિજી મહારાજા સિદ્ધરાજ જયસિંહના સમકાલીન અને સન્માનિત હતા, એવો ઉલ્લેખ મળે છે. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના મંદિરને ઉદ્ધારક આ જ દુર્જનશક્ય હોય તેમ જણાય છે. એટલે આ દુર્જનશ૯૫ ઝીંઝુવાડાનો હોવાનું અને તેને સમય તેરમી સદીના ઉત્તરાર્ધ અને ચૌદમી સદીનો પૂર્વાધ હોવાનું માનવું ઉચિત જ છે. આના પુરાવા તેઓ તાજિક અને મંડલ પદ્ધતિનાં આ પ્રમાણે આપે છે.
इति प्रतिभासर्वज्ञ-विद्यवृन्दादक-महामण्डलेश्वर-राणकशल्य-श्रीदुर्जनशल्यदेवगुरुभिः प्रणतपादश्रीदेवेन्द्रशिष्यैः श्रीहेमंप्रभसूरिभिः विरचिते त्रैलोक्यप्रकाशे ज्ञानदर्पणापरनाम्नि नव्यताजिके दिन-मास-वर्षार्धकाण्डमण्डलपद्धतिः समाप्ता ॥
(પાટણ જૈનભંડાર ડિ. કર્યો. વૈ. ૨-ગાયકવાડ એરીયંટલ સિરીઝ). ઉપરના અવતરણનો અર્થ શ્રીમાન જયંતવિજયજી હેમપ્રભુસૂરિને દુર્જનશલ્ય ગુરુ માનતા એ કરે છે, પણ નીચે પ્રમાણથી બન્ને પુરુષના અસ્તિત્વમાં બાધ આવે છે–
श्रीदेवेन्द्रसूरिशिष्यश्रीहेमप्रभसूरिविरचितमर्धकाण्डं सं. १३०५ माघ सुदि १३ गुरौ निष्पन्नमिदं ताजिकं ॥
-વડોદરા પ્રાચ વિદ્યામંદિર નં. ૧૨૦૮૭, સં.૧૫૪૫ની હરતલિખિત પ્રતિ પા. ૧૮.
ઉપર આપેલાં બન્ને અવતરણો વિષે અત્રે પ્રથમ વિચાર કરી લીધા પછી ગુજરાતી અવતરણનો વિચાર કરીશું. કવિશ્રીએ આપેલે દુર્જનશલ્પજીનો સમય સંવત ૧૨૧થી૪૧ છે. અને તાજિકની નોંધ સં ૧૩૦૫ની છે. એ બંને વચ્ચે ચેસઠ વર્ષને અંતર પડે છે. તેથી 2લેક્યપ્રકાશની પ્રશસ્તિનાં બધાં જ વિશેષણે દેવેદ્રસૂરિજીનાં જ માનવાં જોઈએ. એ બાબતમાં જગડુચરિત્રમાં સર્વાનંદસૂરિજી પણ સમંત છે. વળી આ પ્રશસ્તિઓના લખવા મુજબ હેમપ્રભસૂરિને સીધા જ દેવેન્દ્રરિજીના શિષ્ય માનવા પડે છે. પરંતુ સર્વાનંદસૂરિજીએ જગડુચરિત્રમાં એમણે પટધર તરીકે શ્રીષેણસૂરિજીને સ્થાપ્યાનું જણાવ્યું છે. તેથી આ બન્ને પુરુષો વચ્ચે આ પુરુષને ઉમેરીએ તે કશો વિરોધ રહેતા નથી, અને સીધા જ તેમના વિદ્વાન લઘુ શિષ્ય માનીએ તે તેમનું આયુષ્ય ઓછામાં ઓથે ચેર્યાસી વર્ષ માન્યા સિવાય સંગતિ થાય નહિં.
હવે ગૂર્જર પેરામાંની બાબતનો વિચાર કરીએ. તેમાં લખવા મુજબ વંશતાલિકા આ પ્રમાણે થાય.
For Private And Personal Use Only