________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] એક ઝાલાવંશીય નૃપતિશાખા અને જૈનધર્મ [ ૧૯ અનુમાન ઉદભવે છે કે કદાચ તેઓ માખણુવાળે -શ્રીકચંદ્રને–વંશ યાદવમાંથી પણ જુદી પડેલી શાખા હોય.હાલ યાદવે દૂભવ વંશ જાડેજા કહેવાય છે.યાદવ તરીકે સીધી રીતે ઓળખાતા પણ ક્ષત્રિય છે. એમનાથી આ વંશ અત્યારે તો વાત્ર મનાય છે. પરંતુ અમારું અનુમાન છે કે અવટંક ફેર થવાથી ઘણું એક જ જાતિઓના પણ પ્રાચીન કાળે ભાગલા પડેલા હોવાનું ઈતિહાસમાં જોવાય છે, તે આ વંશનું તેમ બનેલું કેમ ન હોય,
આ વંશનું ગુજરાતમાં આગમન મહારાજા કર્ણદેવ સોલંકીના વખતમાં થયું અને તે આવનાર રાજા હરપાલદેવ હતા. “વારિધિ'માં વર્ણવ્યા પ્રમાણે તો સિંધના કીર્તિ ગઢની ગાદી હમીર સુમરા સાથેના યુદ્ધમાં રાજ કેસ રદેવનું મરણ અને હાર થવાથી ખોઈ બેસવાથી તેઓ સીધા જ ચૌલુકાની છત્રછાયામાં આવ્યા. પણ અમારું એવું અનુમાન છે કે તેઓ અથવા તેમના જતિબંધુઓ કેટલેક લાંબો વખત કચ્છના ડુંગરાળ પ્રદેશમાં વસેલા હોવા જોઈએ, જેથી કચ્છને ડુંગરાળ પ્રદેશ આજે પણ માંખપટ કહેવાય છે. આ બાબતને સદરહુ ઈતિહાસ જ પ્રમાણભૂત માનવને આપણને કારણ આપે છે, કે રાજ માનસિંહજી શત્રુઓથી ઘેરાયા ત્યારે તેઓ એ જ પ્રદેશમાં જઈ ભુજથી ચાર ગાઉ દૂર માનકુવા ગામ વસાવી ગુજરાત સુધી બહારવટું કે લુંટ કરતા. બીજું કચ્છી અથવા સિંધી ભાષામાં માંખ શબ્દને અર્થ ડુંગર થી હેય તે પણ સંભવિત છે. પરંતુ એ ભાષાનો અમને ખાસ ચક્કસ પરિચય ન હોવાથી અમે કહી શકતા નથી. પરંતુ ખાતરથી જે ધારવા મુજબ એ ભાષામાં એ અર્થ મનાતે હોય તો એનો અર્થ ડુંગરમાં વસનારાના વંશના એવો અર્થ થાય તો પ્રાચીન કાળે રાઠોડ જાતિમાંથી આ જાત જુદી પડેલી છે એમ માનવાને કારણુ મળે. બાબતને અમે વધારે ને લંબાવતાં માત્ર એટલું જ કહીએ છીએ કે આ બાબત વિદ્વાનોએ લક્ષમાં લઈ તપાસવા જેવી છે.
આ વંશના સ ધ કીર્તિગઢના રાજા કેસ રદેવ વિ. સં. ૧૧૪પમાં હમીર સુમ સાથેના યુદ્ધમાં માર્યા ગયા અને પાટડીમાં ગાદી સ્થાપી સં. ૧૧૫૬માં; સંક્ષિપ્ત રાજકાળ નિર્ણય તરંગ ૧૪, પૃ. ૩૬૧. આ બન્ને ને ઉપરથી સિંધ રાજ્યનો નાશ થયા પછી ત્યાંથી નાસી હરપાલદેવ ચૌલુકય મહારાજા કર્ણદેવની સેવા દરમ્યાન અગ્યાર વર્ષમાં જ પાટીની ગાદી સ્થાપે છે. તરંગ પંદરમાના વર્ણન મુજબ રાજા કર્ણદેવે તેમને ક્ષત્રીય પુને ધનુર્વેદનું અધ્યયન કરાવવા માત્ર પગાર બાંધી રાખ્યાની નોંધ પૃ. ૪૫૧માં છે. રાજા કર્ણદેવને રાજ્યકાળ વ. સં. ૧૧૨૦થી ૧૧૫૦ સુધીનો છે. તરંગ ૧૬માની આદિમાં પૃ. ૪૧૭ માં કર્ણદેવની રાજ્યસભામાં પોતાને બલીષ્ટ દેખાડવા માટે જમીનમાં ભાલો મારવાની વાત તથા ગુપ્ત રીતે રાખેલેં લેઢાની પાટ લેવાની નેધ છે.
એના વિરુદ્ધ પ્રબંધચિંતામણિમાં એ જ વાત એમના પુત્ર ઝાલા માંગુજીના વિષે નેધેિલી છે, અને ત્યાર પછી પૃ. ૪૨૭માં ઝાંઝમેર તળાજાના રાજાની કુંવરી દુલાદેવી, અને કાલુબા બારોટના ચોપડાની નોંધ પ્રમાણે કર્ણદેવની સત્તરમો રાણુ સીહી રામની કવરીને બાબરાભૂતના વળગાથી મુક્ત કરવાના બદલામાં ૨૩૦૦ ગામને ગાગરખેડી બાંધી એક રાતમાં તેવીસ ગામ બક્ષીષ મેળવ્યાની વાત લખી છે. અને તેમાંથી ૫૦૦ ગામ કાંચળી પેટે પાછા આપ્યાનું વર્ણવ્યું છે.
હરપાલદેવના ત્રણ પુત્રો સોઢાજી, માંગુજી અને શેખરાજીને સેઢાજી ગાદીએ આવતાં
For Private And Personal Use Only