SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫-૬ ] ચચરી (ચચરિકા), [૫૫ બીજા બધા અથીને એ વૃક્ષની શાખાપ્રશાખા રૂપે ગણું છું. હવે આ વિષયને વિશેષ ન બાવતાં “ચચરી' એ શીર્ષપૂર્વક લગભગ સવા પાના જેટલું જે સંસ્કૃત લખાણ . લાલચી ભગવાનદાસે અપભ્રંશ કાવ્યત્રયીની સંસ્કૃત ભૂમિકા (પ. ૧૧૪–૫)માં આપ્યું છે તેમાંથી હું નીચે મુજબની બાબતો નેધું છું – (૧) પ્રાકૃત અપભ્રંશ વગેરેમાં ચર્ચારીને “ચરી' અને “ચાચરિ' તરીકે હલેખ છે. (૨) સંસ્કૃતમાં “ચર્ચરી' સંજ્ઞા વડે પ્રસિદ્ધ ગતિની નૃત્યપૂર્વકની ગાનદી અને ગુનાદિ ૫ પદ્ધતિ પ્રાચીન છે, કેમ કે કાલિદાસે વિક્રમોર્વશીય નાટકના ચેથા અંકમાં ચર્ચરી' પડ્યો અપભ્રંશમાં રચ્યાં છે. વળી હરિભસૂરિએ સમરાઇચકહાના પ્રાર ભમાં, દાક્ષિણ્યચિઠ ઉ ઉશોતનાચાયે કુવલયમાલાની શરૂઆતમાં, શીલાંકરિએ ચઉપન્નમહાપુરુષયમાં અને કવિ શ્રીહર્ષ રત્નાવલી નાટકની આદિમાં ચર્ચરીને યાદ કરી છે. વિશેષમાં પગલનાગે અને હેમચન્દ્ર પિતપતાના છન્દઃશાસ્ત્રમાં ચર્ચારીનાં લક્ષણ આપ્યાં છે. (૩) પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહમાં કવિ સેલણ દ્વારા રચાયેલી ચર્ચરી પ્રસિહ થઈ છે. પાટણના જૈન ભંડાર વગેરેમાં “વેરાઉલી” રાગમાં ગવાતી, “શત્રુંજયના મંડનરૂ૫ આદિનાથની સ્તુતિપ, પાંત્રીસ ગાથા જેટલા પ્રમાણુવાળી અને વિક્રમની પ્રાયઃ ચૌદમી સદીમાં રચાયેલી એક બીજી ચર્ચારી છે. આ ઉપરાંત “ગુર્જરી' રાગમાં ગવાતી, ગુની સ્તુતિ રૂપ, સંક્ષિપ્ત અને પંદર ગાથા જેટલી પ્રમાણુવાળી એક ચર્ચરી છે. (૪) જિનવલલભસૂરિની સ્તુતિરૂપ અને યમક વડે વિભૂષિત એવી ૪૭ પદની એક ચર્ચારી છે. એની રચના જિનદત્તસૂરિએ “અપભ્રંશ'માં કરી છે. એના ઉપર ઉપાધ્યાય જિનપાલે સંસ્કૃતમાં (વિ. સં. ૧૨૯૪)માં વૃત્તિ રચી છે. વૃત્તિકારના સૂચન મુજબ નાચ. નાર પઢાંઢ)મંજરી ભાષામાં એ ગાય છે. “પટમંજરી' રાગને નિર્દેશ સંગીતમકરન્ટ વગેરેમાં છે. “પઢમંજરી' ભાષામાં વિ. સં. ૧૩૬૮માં રચાયેલું ગૌતમચરિતફલક પાટણના ભંડારમાં છે. ( ૭ પલની આ ચર્ચરી વાજા (વાગડ) દેશમાં “વ્યાઘપુર માં રચાઈ છે એમ વૃત્તિકારે તેમ જ સુમતિમણિએ ગણધસાધશતકવૃત્તિ (ભૂમિકા, પૃ. ૫૦)માં સૂચવ્યું છે. એને રચનાસમય વિક્રમની બારમી સદીને ઉતરાર્ધ છે. આ ચર્ચરીના ૧૬, ૧૮, અને ૨૧-૨૫ એ ક્રમાંકવાળાં પઘો સુમતિએ વિ. સં. ૧૨૯૫માં રચેલ ગણ વરસાદ શતકવૃત્તિમાં ઉદ્ભુત કયી છે. આ ચર્ચારીના પ્રથમ પાની વૃત્તિમાં એ “ન' નામના કદમાં રચાયેલા ઉલ્લેખ છે. આમ પં. લાલચન્ટે ચાર ચચરીને પરિચય આપ્યો છે. વિશેષમાં એમણે છેલ્લી ચર્ચારી છાયાસહિત સંપાદિત કરી છે, એ અપભ્રશ કાછત્રિયીમાંનું પહેલું કાવ્ય છે. બીજા બે કાવ્યે તે ઉપરશરસાયનશાસ' અને “કાલરૂપકુલક' છે. અપભ્રંશપાઠાવલીમાં શ્રી. મધુસુદન મોદીએ અમામા ઉહરણ તરીકે પુરુરવાનાં ભાદ-વચને છાયાસહિત પૃ. ૧૪૩–૧૪૭માં આપ્યાં છે. આમ એમણે સેળ પડ્યો હણત ૧ છત્રીસ જોઈએ. આ ખલન છે. - - For Private And Personal Use Only
SR No.521629
Book TitleJain_Satyaprakash 1947 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy