SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ વિચારોને એક મત ચલાવ્યો ને તેમાં ભદ્ર જીવોને જોડવા માંડયા. કુંઅરપાલ, અમરચંદ, ચન્દ્રભાણુ, ઉદયકરણ, થાનમલજી વગેરેનું એક જૂથ જામ્યું ભગવાનની પાસે મૂકેલ નવા ભક્ષણ કરવા સુધી એ અધ:પાત પહોંચ્યો હતો. એ બધા એકઠા થતા ને કેવળ અધ્યાત્મની વાત કરતા, ઓરડીમાં નગ્ન બની પોતાને દિગમ્બર મુનિ માની મસ્ત રહેતા. ચુસ્ત શ્રાવક તે સર્વને ખોસરામતી તરીકે સંબોધતા. સમયસાર નાટકનું ભાષાવતર, જ્ઞાનપીસી, ધ્યાનબત્તીસી, અબ્બામબત્તીસી, શિવમંદિર, વગેરે પોતાના મતના પિષક ગ્રન્થ લખ્યા. પાછલી અવસ્થામાં ૧૬૯૨ પછી કાંઈક વિચારપરિવર્તન થયું હતું. ૧૯૯૮માં પોતાના પૂર્વજીવનને અત્યન્ત મલીન દેષોથી ભરેલું જણાવેલ, ને તેને ૬૭૩ દુહામાં ગૂંથેલ છે. પૂ. મહધાય શ્રી મેઘવિજયજી મહારાજે તો યુકિતપ્રબોધમાં ખાસ કરીને બનારસીદાસે કરેલ વ્યવહારના ખંડન નીરાસ કરેલ છે, ને તેને અનુરૂપ તેમનો પરિચય આપેલ છે. [૩] ગ્રંથકાર મહોપાધ્યાય શ્રીમેદ્યવિજયજી મહારાજને ટૂંક પરિચય મહોપાધ્યાય શ્રીવવિજયજી મહારાજ સત્તરમી શતાબ્દિમાં થયેલા પ્રસિદ્ધ વિદ્વાનેમાંના એક છે. મૂળ તો તેઓશ્રીએ કાગચ્છમાં દીક્ષા ગ્રહણ કરી હતી ને ત્યાં પ્રતિભા તથા પુણ્યને યોગે ગપતિ બન્યા હતા. પણ પછીથી સાચો રાહ સમજાતાં પોતાના અનુયાયિઓ સાથે વેતામ્બર તપાગચ્છમાં આવ્યા હતા. તેમના ગુરુમહારાજનું શુભ નામ બીપીવિજયજી છે. તેઓશ્રી અકબર બાદશાહ પ્રતિબોધક શ્રી હરસૂરિજી મહારાજની પરમ્પરમાં આવે છે, તે આ પ્રમાણે–પૂ. શ્રી હીરસૂરિજીના શ્રી કનકવિજયજીના શ્રીશીલવિજ્યજીના શ્રીકમલવિજયજીના શ્રીસિદ્ધિવિજયજી ને તેમના શ્રીકૃપાવિજયજી છે. - મહે. શ્રીમેધવિજ્યજી મહારાજને વ્યાકરણ, આગમ, સાહિત્ય ને જ્યોતિષ એ ચાર વિષયનું તો અદ્વિતીય જ્ઞાન હતું. તે તે વિષમના તલસ્પર્શી ગ્રન્થ હાલ પણ ઉપલબ્ધ થાય છે. આ “યુકિતપ્રબોધ’ નાટક એ આગમ વિષયનો ગ્રન્થ છે. આ એક જ ગ્રન્થથી તેમનામાં કેટલી તર્કશકિત હતી, આગમનું કેવું ઊંડું અવગાહન હતું તે જાણી શકાય છે. પ્રસંગે પ્રસંગે સાહિત્યની રમકજમક-છટા તો છે જ. ૨૫ ગાથાના મૂળ ગ્રંથ ઉપર વિસ્તૃત વૃત્તિ છે. તેનું પ્રમાણુ ચાર હજાર ત્રણસો કનું છે. તેમાં મૂળમાં જણાવેલ વિષયોને સ્વપક્ષ ને પરપક્ષની ઠેઠ સુધીની દલીલો છમ્યા છે. આ ગ્રન્થ તેઓશ્રીએ પૂ. શ્રી વિજયરત્નસૂરિજી મહારાજના રાજ્યમાં રચ્યો છે. તેમની હયાતી ૧૮મી સદીના ઉત્તરાર્ધ સુધી હતી. [ ] ચર્યાશી મતભેદોની યાદી. દિગમ્બર ને આવેમ્બર વચ્ચે જે મતભેદો છે તેમાંના ઘણાખરા આ ગ્રન્થમાં આવી જાય છે. આમાં મુખ્યત્વે ૮૪ મતભેદોની ચર્ચા કરી છે. તેની ટૂંક યાદી નીચે પ્રમાણે છે(તેમાં જણાવેલ હકીકત વેતામ્બરોને માન્ય છે, ને તે દિગમ્મરોને માન્ય નથી) ૧ મુનિઓએ વસ્ત્ર વાપરવાં. ૬ અન્ય લિંગે મુકિત. ૨ જિનપ્રતિમાને આંગી આદિ. છ બાર દેવલોક દળ માને છે.) એક સ્ત્રીને મુક્તિ મન. ૮ નીચકુલે૫ન્નને મુક્તિ. ૪ કેવળીને કવળાહાર. ૯ સામાન્ય કેવળોને રોગ. ૫ ગૃહસ્થલિંગે મુક્તિ. ૧૦ સામાન્ય કેવલીને ઉપસર્ગ, For Private And Personal Use Only
SR No.521628
Book TitleJain_Satyaprakash 1947 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy