SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ આવશ્યકનિયુક્તિકાર શ્રુતકેવળીભગવાન શ્રી ભદ્રબાહુવામાં જેટલી પ્રચીન છે. જૈનધમ માં ઘેાડા પણુ રસ ધરાવનાર બાળથી વૃદ્ધૃત અને સ્ત્રીથી પૂરુ પર્યંત તમામને અતિચારની આઠ ગાથાઓના નામથી એગાથાએ આજે પણ પ્રસિદ્ધ છે. આ પ્રત્યેક રાત્રિક, દેવાસિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં તે ગાથાએ અતિચારની શુદ્ધિ માટે આજે પણ તેટલા જ ભાવ પૂર્ણાંક યાદ કરાય છે. અને તે ગાથાએના વિષેરણ રૂપેજ પાક્ષિકાદિના દિવસે સભામાં ખેાલવા કે મનમાં સભારવા માટે નાના કે મેટા અતિચાર સૂત્રેા ભાષામાં પણ, સાધુ તથા શ્રાવકો માટે, ઉતારાયેલાં છે અને તેના તે તે દિવસ અને સમયે ચોક્કસ વિધિ તરીકે ઉપયાગ કરવામાં આવે છે. જૈન સાધુ તથા ગૃદ્ધસ્થાના સમસ્ત આચારેનુ ધડતર એ ગાથાઓ, એમાં કહેલા માચાર અને એ આચારાની પાછળ રહેલા આત્માના મૂળ ગુણોના પ્રકટીકરણના ઉદ્દેશને અવલખીને રહેલુ છે. ગે આચારનું વણુન અને એનું વિભાગીકરણ એવી ખૂબીથી થયેલું છે કે જે દિવસે જૈન સ ંધરૂપી સૂતેલા સિદ્ધ નિદ્રાને ત્યજી, એ આચારાની ગર્જના અને તેની પાછળ રહેતા ભાવેાના પ્રતિધ્વનિ-પડધાને ધ્યાન દઈને સાંભળવા લાગ્યું, વિચારા લાગ્યા, જીવનના પ્રત્યેક વ્યવહારમાં આચરવા લાગ્યું, એ દિવસે એન બાસપાસ એકત્ર રચેલાં લડા, વિવાદો, વૈમનસ્યારૂપી ક્ષુદ્ર જંતુઓના જૂથેાના જાથા એક પળવારમાં પલાયન કરી જવાને સરાયેલા જ છે. આધ્યાત્મિક સાસરવેલ અને શણુગાર ( લે. પ્રા. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. ) ભારતીય તેમ જ અભારતીય સાહિત્યસૃષ્ટિનું અવલોકન કરનારને એ વાત સુવિદિત છે કે રૂપ'ના ઉપોગ અનેક લેખકાને હાથે થયેલા છે. તેમાં જૈનમુનિ સિદ્ધ િની કૃતિ નામે ઉમિતિભવપ્રપંચાકથા એ સંસ્કૃતમાં રચાયેલી રૂપક કથાના મેનમૂન નમૂને છે. એમના પછી જયશેખરે વિ. સ. ૧૪૬૨માં પ્રમેાધચિન્તામણિ નામની ‘રૂપક' કૃતિ રચી છે અને એ જ વિષયની ( વિક્રમની ) પંદરમી સદીના ઉત્તાની ગુજરાતી કૃતિ તે ત્રિભુવનદ્વીપકપ્રબન્ધ છે. એને પરમહંસપ્રમધ તેમ જ પ્રખેાચિન્તામણિચાપાઈ પણ કહે છે. સ્વ. કેશવલાલ હ. ધ્રુવે આને ગુજરાતીમાં જૂનામાં જૂના રૂપક તરીકે ઉલ્લેખ કર્યાં છે. ( જુએ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઈતિહાસ, પૃ ૪૯૦) ∞ામ રૂપક' કૃતિશ્મા કેટલીયે સદીઓ થયા રચાય છે. તેમાંની એક કૃત તે વિનય--- પ્રભસૂરિએ રચેલી આત્મોપદેશસજ્ઝાય છે. એ ખીમજી ભીમસિંહ માણેકે છપાવેલી સાયપાલા (પૃ. ૧૯૪)માં છે. આ કડીની આ કૃતિ ‘પ્રભાત' રાગમાં મીરાંબાઇએ રચેલા અને મુજ અબળાને મેટી મીરાંત ભાઈ”થી શરૂ થતા પદનું તેમ જ ‘વિદે પ્રશ્ અમારા ' એ આ કવિયત્રીના અન્ય પદમાંની નીચે મુજબની ૫'ક્તિનું સ્મરણ કરાવે છે. “ સાસુ મારી સુષુમસ્જીા રે, સસરા પ્રેમ સતાષ જેઠ જગજીવન જગતમાં, માટે! નાવલીએ નિર્દોષ. .. For Private And Personal Use Only
SR No.521625
Book TitleJain_Satyaprakash 1946 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy