SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપધ્યાય શ્રીવિનયવિજયવિરચિત ‘ઇંદુદૂત’ [ એક જૈન ખંડકાવ્યના ટ્રૅક પરિચય ] લેખક:—પૂજ્ય મુનિ મહુારાજ શ્રી રધરવિજયજી ખડકાવ્યનું સ્વરૂપ ને તેની ઉપાદેયતા ‘ ઇન્દ્વદૂત ' એ એક ખંડકાવ્ય છે. ખંડકાવ્ય એટલે મહાકાવ્યના એક અંગનુ વિસ્તારપૂર્વકનું વર્ણન. મહાકાવ્યમાં શૃંગાર, વીર અને શાન્તમાંથી કાઈ પણ એક રસ પ્રધાન; તે પ્રસંગે પ્રસંગે વિવિધ રસાનું પાણુ; એક મુખ્ય નાયક; દેશ-નગર--નીતિ--ઋતુ વગેરેનું વન; આથી વધારે સર્વાં; કાર્ય એક સમાં જુદા જુદા છન્દો; યમક- ખડ્ગ-અન્ય-ચક્રબન્ધ-ધનુન્ધ વગેરે અન્ધા; શરૂઆતથી સમાપ્તિ સુધી એક સરખા રસ જળલાઈ રહે, વિરસપણું ન ઉપજે ઇત્યાદિ હાય છે. જ્યારે ખંડકાવ્યમાં તેમાંના કાઈ પણુ એક ભાગનું વિશદ વર્ણન હોય છે. આદિથી અન્ત સુધી પ્રાયઃ એક જ છન્દ હોય છે. કાઈ કાઈ સ્થળે અન્તમાં બે ચાર સૂક્તો જુદા છન્દમાં હોય છે. મહાકાવ્ય માટી નવલકથા સરખું છે તેા ખંડકાવ્ય નવલિકા-ટૂંકી વાર્તા સમાન છે. મહાકાવ્યથી ભિન્ન ભિન્ન વિયેાની સમજ જે એક સાથે પડે છે તે તેમાંના એક એક વિષયની વિશદ સમજ ખંડકાવ્યથી પડે છે. અર્થાત્ મહાકાવ્યના કાઈ પણ એક અંગને વિસ્તારથી જાણવા માટે ખંડકાવ્ય જ વિશેષ ઉપાદેય છે. દૂતકાવ્યનું સ્વરૂપ ખંડકાવ્યેા અનેક પ્રકારનાં હાય છે, છતાં સૌથી વિશેષે મળી આવતાં ખંડકાવ્યે દૂતકાવ્યા જ છે. સેંકડોની સંખ્યામાં દૂતકાવ્યો રચાયાં છે. દૂત-સંદેશવાહક, ખખરસમાચાર લઈ જનાર. જુદે જુદે સ્થળે રહેલા સંસારી આત્માઓને અરસપરસ સમાચારની લેવડદેવડ કરવાના પ્રયેાજના ગણનાતીત હાય છે. તેવા અસંખ્ય પ્રયાજના યશ લખાતા લેખાને મુખ્યત્વે સાત વિભાગમાં વહેંોંચી શકાય છે: ૧. વ્યાપારલેખ, ૨. મદન--કામદેવ-લેખ, ૩. સ્નેહલેખ, ૪. રાલેખ, ૫, શાલેખ, હું આનન્દેલેખ અને ૭ ધ લેખ—એમ સાત પ્રકારે સન્દેશ માકલવામાં આવતા લેખા છે તેમાં—— (૧) વ્યાપારલેખ—વ્યવહારિયા-વ્યાપારી વસ્તુના ક્રય વિક્રયને અંગે—માલની લેણાદેણી માટે જે પત્રવ્યવહાર કરે છે--સન્દેશ પાઠવે છે તે વ્યાપારલેખકહેવાય છે. આજ પણ વ્યાપાર માટે પત્રવ્યવહાર મેાટા પ્રમાણમાં ચાલે છે. (૨) મદન-કામદેવલેખ—વિષય રાગથી વિઠ્ઠલ અનેલાં નાયક-નાયિકા વગેરે કામિએ જે એક બીજા ઉપર લેખ માકલાવે તે અનંગ લેખ કહેવાય છે. નાયક કે નાયિકા સામા પક્ષ ઉપર દૂતીદ્વારા જે સન્દેશ પાઠવે છે તેને પણ આમાં જ સમાવેશ થાય છે. કાવ્યામાં આવા અનગ—મનલેખેાનું અનેક સ્થળે ચિત્રણ આવે છે. કાઈ કાઈ સ્થળે વન ઉપવનમાં વિહરતા વિલાસીએ પ્રણયીજન ઉપર ક્રમળના પત્ર પર કે અન્ય કાઈ વૃક્ષના સામળ પાંદડા પર લાકડાની સળીથી, નખથી કે છેવટ કંઈ પણ સાધન ન હોય For Private And Personal Use Only
SR No.521624
Book TitleJain_Satyaprakash 1946 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy