SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭ | આર્ય કાલકના સહાયક શક સાહિઓ સાથે તેમની લશ્કરી કામગીરી બજાવતા હિન્દીમાં આવ્યા હતા, તેમના આગેવાન મિનેજરના વતન કાબુલ તરફ ચાલ્યા ગયા બાદ સત્રપી-સુબેદાર ભોગવતા હિન્દમાં જ રહ્યા હતા. પાછળથી એમાંના ક્ષહરાટોએ રાજસ્થાનન–હાલના ચીતડથી સાતેક માઈલ આવેલી–મધ્યમિકા નગરીમાંથી લગભગ સ્વતંત્ર જેવું શાસન કરવા માંડયું હતું અને શોએ સિ - ધુના દોઆબમાં સિલ્વના કિનારે વસેલા મિનનગરમાં ક્ષહરાટની જેમ શાસન કરવા માંડયું હતું. સિન્ધમાં સાસર કરતાં એ શકલેકે સિવા જ વસાફતી બની સ્થિર થઈ ગયા. એમની વસાહત ઇન્ડો-સ્કૃથિયા-હિન્દી શકસ્થાનના નામે પ્રસિદ્ધ થઈ. આ વખતે તેઓ મેકિટ્સન સત્તાને તાબે હશે, પણ પાછળથી તેઓને પાર્થિયન સત્તા પણ સ્વીકારવી પડી હશે એવો સંભવ છે. પણ લાગે છે કે તે સર્વોપરી સત્તા નામની જ હશે. આમ છતાં હીન્દી શકે એ કેવા સંજોગોમાં પિતાના પૂર્વ સ્થળને છેડી સિન્ધના નવા સ્થળમાં આવીને વસહી કરી છે અરિષ્ટ ને પ્રામાણિકપણે ન જાણવામાં આવે ત્યાં સુધી, એ ઈન્ડો-સ્કૃથિયા કયારે ને કેવી રીતે ઊભું થયું એ ચોક્કસપણે તો કહી શકાય જ નહિ. શક પ્રજાને ઇતિહાસ જ મહુધા અંધારામાં છે. શાતિ, તેનું મૂળ વતન, તેની વસાહત અને તેના અવર જવરના માર્ગે વગેરેના સંબંધમાં ઘણાય જાણીતા સંશોધકોએ પ્રયત્ન કર્યો છે, પણ તે અત્યાર સુધી અધૂરે ને અનિશ્ચિત રહ્યો હોવાથી તેમાંથી છૂટીછવાઈ હકીકતો સિવાય વિશ્વાસપાત્ર એ કોઈ પણ જાતનો ઇતિહાસ મેળવી શકાય તેમ નથી. સામાન્ય રીતે શક જાતિનાં સ્થિતિસ્થાન ત્રણ કલ્પવામાં આવ્યાં છે. પહેલું-હાલના ઇરાનની પૂર્વે અફઘાનીસ્તાનની નૈઋત્ય ને બલુચીસ્તાનની વાયવ્યમાં હમમ નામના સરાવરની અંદર પડનારી હેલમન્ડ નદીની ખીણને લગતે હાલમાં કહેવાતો સી-તાનનો પ્રદેશ. બીજુ-એશિઆઈ રૂશિ આના નિત્યમાં એરલ સરોવરની અંદર પડનારી સીરદરિયા નદીને બન્ને કિનારાની આજુબાજુનો પ્રદેશ. અને ત્રીજુ–કાશ્મીયન સમુદ્રના ઉત્તરમાં, તેને જ લગતે એશિઆઈ રૂશિયાના એકદમ નૈઋત્યને પ્રદેશ. આ ત્રણે સ્થાનમાં સી–રતાનને શકનું હેમ–ઘર કહેવામાં આવ્યું છે. ઉત્તરમાંથી આવેલા શકાની સૌથી વહેલી વસાહતને લઈ, કે ત્યાં એક લાંબાકાળ સુધી શકજાતિ સ્થિરતાથી રહી તેને લઈ અથવા તો અન્ય ગમે તે કારણે સી–સ્તાન–કસ્થાન કહેવામાં આવતું હશે, પણ સંશોધકેની દષ્ટિએ ખરી રીતે તેય સ્થાન બીજા બે સ્થાનની માફક મૂળ વતન નહિ પણું પાછળની વાહિતનું જ સ્થાન હતું. કહે છે કે, યુરોપ અને એશિઆના ઉત્તર પ્રદેશમાં જયાં ત્યાં ભટકતી શિથીયન તરીકે ઓળખાતી આ જંગલી જાતને મૂળ વતન જેવું કાંઈ હતું જ નહિ! આ વિષયમાં સ્ટ્રેના કથનને અનુસરી સર વિન્સેન્ટ સ્મીથ લખે છે કે –“શામજ અને તેને મળતી જાતિઓ જસ્ટિસના પાડેશમાંથી આવી હતી અને તે ઇરાની શહેનશાહ ડેરિયસના રાજ્ય અમલે કાશ્મર અને મારકંદના પ્રદેશમાં પથારો કરીને પડી રહી હતી.” મી. સ્મીથ ડેરિયસને સમય દ. સ. પૂર્વે પર૧ થી ૪૮૫ નોંધે છે. ૬ એક્ષસનદી કે જેનું નામ આમુનદી પણ છે. ૭ અતિ હીસ્ટરી ઓફ ઈન્ડિયાની ઉપ પરથી ભાષાન્તરિત. For Private And Personal Use Only
SR No.521621
Book TitleJain_Satyaprakash 1946 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy