SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગણિ” શબ્દની ઉત્પત્તિ ઇત્યાદિ (લે. પ્ર. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ.) જેને સંસ્કૃત સાહિત્યમાં અને જેને જનતામાં પ્રસિદ્ધ એવા કેટલાક શબ્દો છે જે અન્યત્ર જણાતા નથી. પ્રરતુત ગણિ' શબ્દ એ પ્રકારનો છે. અભિધાનચિત્તામણિ (કાંડ ૧, શ્લો. ૭૮) માં એ નોંધાયેલો છે. પ્રસ્તુત પદ્ય નીચે મુજબ છે – ___“अनुयोगकृदाचार्य उपाध्यायस्तु पाठकः । અનૂવનઃ પ્રવરને કથીતી જf aઃ ૭૮ .” વેદ અને વેદાંગમાં પ્રવીણ એ અર્થ માં આ શબ્દ કુમારસંભવ (સ . . ૧૫) માં વપરાય છે. અહીં “અંબસહિત પ્રવચનમાં નિષ્ણુત” એ અર્થવાળા ગણિ' શબ્દના પર્યાયપે એ અપાયો છે. અભિધાનચિન્તામણિની પs વિશ્વતિ (પૃ. ૨૫) માં ગાણું શબ્દની વ્યુત્પત્તિ અને નિષ્પત્તિ નીચે પ્રમાણે અપાયેલી છે. જપથ પૂતળા પાસ નિ “ ૪ (૩r. ૬. ૬) " પૂજ્યપણે ગણાય તે “ગણિ. “ગણિ' એ જૈન મુનિવરની પદવી છે, અને એ પદવી પ્રાચીન સમયથી તે આજ દિન સુધી અપાતી આવી છે. વાચકવર્ય ઉમાસ્વાતિકત તાર્યાધિગમસૂત્રની ભાષ્યાનુસારિણી ટીકાના ત્રણેતા ગંધહસ્તી’ સિદ્ધસેનમણિના ગુરુના પ્રગુરુ આ પદવીથી વિભૂષિત હતા એમ આ સિદ્ધસેનગણિની ઉપર્યુક્ત ટીકાની પ્રશરિતના પ્રથમ પદ્યની નિમ્નલિખિત પતિ ઉપરથી જોઈ શકાય છે “આ વિઃિ માત્રમાં કાપત્ વ ાઃ ” આ સંબંધમાં વિશ્વ એવું પાઠાંતર છે. એ ઉપરથી તેમજ શ્રી. ભાયાણી જેવા મણિશબ્દના પ્રયોગને ભૂલ ગણે છે એ ઉપરથી અહીં એ પ્રશ્ન વિચારવા સમુચિત જણાય છે. અજૈન સંસ્કૃતમાં “ગણિન’ શબ્દ છે અને એ નામ તેમજ વિશેષણ એમ બંને પ્રકારનો છે. નામરૂપ ગણિન’ શબ્દને અર્થ “શિક્ષક' છે, જ્યારે વિશેષણરૂપ “ગણિન’ શબ્દનો અર્થ “સમૂહ ધરાવનાર છે. રઘુવંશ (સ. ૯, સ્લે પ૩) માં પવિત્ર એવે યોગ છે. નામરૂપ “મણિન’ શબ્દના અર્થમાં જૈન સાહિત્યાદિમાં ‘ગણિ શબ્દ પ્રચલિત છે એટલે શું મૂળમાં શબ્દ હશે અને એનું પાઇય રૂ૫ ગણિ' પ્રચારમાં આવતાં એ પાઈયમાં અને સાથે સાથે એ પાઈય ભાષા અને સાહિત્યની સાથે વિશેષ સંબંધ ધરાવનારા જૈન લેખને હાથે સંસ્કૃતમાં પણ સ્થાન પામ્યો હશે? પાઇય ભાષામાં અન્ય વ્યંજનનો લેપ થાય છે એ નિયમનો વૈદિક સંસ્કૃત સાહિત્યમાં પણ અમુક રમશે અમલ થયેલ જોવાય છે. જેમકે “પશ્ચાત’ને બદલે “પચ્યો ઇત્યાદિ. વેદમાં પણ અનાર્ય શબ્દો દાખલ થઈ ગયા છે અને શુદ્ધ ઉચ્ચારણ માટે ખૂબ પ્રયાસ અને સાવચેતી રાખવા છતાં અશુદ્ધ ઉચ્ચારણું ફૂટી નીકળ્યાં છે અને એ ચાહને પણ શુહ માની ચલાવવું પડયું છે તો ગણિનીનું ગણિ રૂપાન્તર છે એમ માની લઈએ તોપણ હવે એને બેટો પ્રયોગ ગણવાનું કહેવું એ પ્રાકૃતીકરણની વ્યા૫ક્તાની અનબિઝતા અને ચોખલિયાપણાને અતિરેક સૂચવે છે. સંસ્કૃતમાં–અને સંસ્કૃતમાં પણ એક જ અર્થવાચા (પંડિત) સુરિ અને અરિન જેવા શબ્દો છે તો ગણિ અને મણિન માટે વાંધો ઉઠાવ કયાં સુધી ન્યાય ગણાય? ગોપીપુરા સુરત, તા. ૪-૬-૪પ ૧ જુઓ “શ્રી ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક” (પૃ ૮, . ૧-૨ ૫. પહ) ૨ વિશેષ ઉદાહરણ માટે જુઓ ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ (પૃ. ૫૪-૫૫). For Private And Personal Use Only
SR No.521617
Book TitleJain_Satyaprakash 1945 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy