________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન સાર્થવાહ
[ ૧૭
અંક ૧ ] નવરંગી એ નારી-વેલડીનાં સુરંગી સુવૃત્ત ફળો અને તેની સ્પર્શમર્દનમીઠાશ સજાવે એ સુખને મૃત્યુ આ સંસારમાં સદાને માટેય. નિર્વિવેકી નરકીટને અજ્ઞાનના અંધારામાં અમૃતથી ભર્યા આભાસતા વામાઓના વદનાદિ કુંડા હેય છે અશુચિપૂર્ણ અને અંતે દારૂણુ વિપાકી. હેય છે એમાંનું કે સૌને બીભત્સ તરીકે સમજાતું અતી શરમજનક સંસારમાં. ન સમજવા દે સત્યને શીઘ્રતાથી માયાવી આચ્છાદન. કુત્સિતનાં જ કુતૂહલ હેય નિવિવેકી માનવતાને સૂમકંટાળાં ને ખુજલીયાળા કામિની-કૌવચનાં આલિંગન તનતાપને દેનારાં હેય નરકાદિ દુર્ગતિઓમાં જીવને જનમોજનમ. પામતી અનંતાં મૃત્યુ પુરુષની આકર્ષણ છુરીથી માનવંતી ય મહિલાઓ. શાણુમારથી ય વધારે શોભતી એ જાતવાનની કુલ મર્યાદાઓ તોડી ફાડી નાખતાં કામુકેના મલિન કરનાં દાન. યારોના ઉરમાંના ભય અજુગતાં સાહસ આદરાવી ભાન ભૂલેલી એ મહામાયાઓને પાડતા પાપાનુબંધી પતિપુત્રાદિની હત્યાના પાપમાં. વિષય-પ્રપંચની મેલી મીઠાશથી
રગદોળી નાખતા નર પિશાચો પિતાના પંજામાં પડેલી પ્રમદાનું માનવતાભર્યું સુંદર જીવન. આર્તધ્યાનની અટવીમાં નાખી દુર્ગતિના દુર્ગમ પંથે દોરતા ભમરાઓની માફક ભમતા નવ નવ નેહી નર નફો કે કે કમનસીબ નારીઓને. વિષની વેલડીએના કરતાં જરાય ઓછાં નથી ઝેરી નરજાતિનાં ઝાડનાં ઝેર. અસ્થિર કરી મેલે બિચારી બાળાઓનાં અંતર પુરુષની છુપી ચંચળતા ભરી અવસરે આછી એાછી જણાતી ઇન્દ્રજાલીય સ્થિરતા જ. સળગાવી દે એ પુરુષે જ સ્વાભાવિક શરમાળ નારીએાની ગુણસમૂહની જનેતા આર્યજનની શી શરમને. નિર્લજજ બનાવી એમને કરાવે નારકીનાં પતન એઓ જ વિષયના ધૃષ્ટાઓ. સબળાને નબળી પાડી નારીજાતની મુસીબતમાં મેલી તેમને નસાડનારા નો નથી નસાડતા, કેવલ કાયાને જ, પણ નસાડે છે તેમના ચિત્તને ય દેવગુરુથી દૂર સુદૂર. પાતિવયના કારાગૃહમાં પૂરી ચૂરી નાખે ક્યારેક તેમની ભલેરી ધાર્મિક ભાવનાઓ એ જ અધાર્મિક સત્તાધારીઓ. ઈરછાએ કે અનિચ્છાએ ધકેલી દે અનર્થની ગર્તામાં આધીન બનેલી નારીઓને પુરુષનાં બલ પરાક્રમ.
For Private And Personal Use Only