SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ક ૮ ] ગુજરાતની મનેાહર જૈન પ્રતિમા i૪૩ [ ૨ ] આ પ્રતિમાની પાછળ નીચેના ભાગમાં, સંસ્કૃત ભાષામાં ૨ પદ્મોમાં રચાયેલ, ૧ ગાથા અને ૧ અનુષ્ટુપૂ ક્ષેાકમાં પ્રાચીન નાગરી લિપિમાં પશ્ચિમાત્રામાં પાંચ પક્તિમાં કાતરાયેલા નાના છતાં ઐતિહાસિક મહત્ત્વના લેખ છે. વિક્રમની ૧૧ મી સદીના પૂર્વાર્ધની ગુજરાતની જે જૈન–પ્રતિમાએ જણવામાં આવી છે, તેમાં તથા જેમાં સ્થાન, સંવત્, કરાવનાર વગેરેના સ્પષ્ટ નિર્દેશા મળી આવે છે, તેવી પ્રાચીન પ્રતિમાએમાં આની મુખ્યતા— મહત્તા જણાશે. . સ. ૧૯૭૨ માં આ પ્રતિમાની પાછળને પૂરા લેખ હું લઈ શક્યા ન હતા, તેમ છતાં ‘રાસંવત્ ૧૨૦ આલીન્નાનેન્દ્ર કે શીરુદ્રનિ પારિધર્ફોળિઃ ' આટલી મુખ્ય નેધ મેં કરી લીધી હતી, તે સદ્દગત બુદ્ધિસાગરસૂરિજીના જૈનપ્રતિમાલેખસંગ્રહ (સં. ૧૯૭૩ માં અધ્યાત્મજ્ઞાન પ્ર. મંડળ પ્ર. ભા. ૧, પૃ. ૧૭૨)માં કડીના પ્રતિમા–લેખામાં પ્રકટ થયેલ છે. સ, ૧૯૭૬-૭૮ માં વડાદરા-રાજ્યની ગાયકવાડ-પ્રાચ્યગ્રંથમાળામાં જેસલમેરના જૈનમ ચલ’ડારાની વર્ણનાત્મક ગંથ સૂચીનું આ સંશાધન-સંપાદન કરતાં, તેમાં પાર્શ્વિલગણુનું નામ આવતાં ઉપયુક્ત પ્રતિમા–લેખમાં આવેલ એ જ નામનું મ્હને સ્મરણ થયું. સમયની દૃષ્ટિએ વિચાર કરતાં મને લાગ્યું કે સં ૧૦૫૫ માં હરિભદ્રસૂરિનાં ઉપદેશની વ્યાખ્યા રચનાર ૧૧ માનસૂરિની ભક્તિથી સ્તુતિ કરનાર, અને એ વ્યાખ્યાનો પ્રથમ ૧. વધુ માનસૂરિ—ક-ક્ષય માટે, તથા લેાકાને બેધ કરવા માટે, વિરહાંક હરિભદ્રસૂરિનાં ઉપદેશ-પદેાની સં ૧૦૫૫ માં વિદ્યુતિ–ટીકા રચનાર આ વર્ષ માનસર વિક્રમની ૧૧ મી સદીના મધ્યકાળમાં પ્રભાવક મહાત્મા થઈ ગયા. પ્રસ્તુત જિનપ્રતિમા કરાવનાર પાર્શ્વિલગણિએ આદેવમુનિદ્વારા એમની ટીકાની પ્રથમ પ્રતિ લખાવી, તેના અંતમાં તેમની ભક્તિથી સ્તુતિ કરતાં જણાવ્યું છે કે- તેમા પ્રશાંત, નિરભિમાની, યશા–વિમુખ નિઃસ્પૃહ, સરળ, જિનવચનનાં વિચારમાં નિત્ય આસક્ત રહેનાર–જિનાગમની ભાવનાથી ભાવિત અંતઃકરણુ॰ાળા હતા. ગુજરાતમાં-અહિલવાડ પાટણમાં, મહારાજા દુર્લભરાજ(સ. ૧૦૬૫થી ૭૮)ની રાજસભામાં ચૈત્યવાસીઓ સાથેના વાદમાં વિજય મેળવી વસતિ–વાસને પ્રતિષ્ઠિત કરનાર આશાપલ્લી આસાવળ(અમદાવાદ વસ્યા પહેલાંનું સ્થાન)માં પ્રા. લીલાવતીથા રચનાર, અને જાવાલિપુ (જાલારગઢ-મારવાડ)માં સ. ૧૦૮૦માં હરિભદ્રસૂરિનાં અષ્ટકાની વૃત્તિ, પંચલિ ગીપ્રકરણ, ષસ્થાનક, પ્રમાલમ(લક્ષણુ), કચાશ વગેરે અનેક ઉપયોગી રચના કરનાર જિનેશ્વરસૂરિ; તથા સ. ૧૦૮૦માં જાવાલિપુરમાં ૫'ચત્રથી(બુદ્ધિસાગર વ્યાકરણ) રચનારે બુદ્ધિસાગરસૂરિ જેવા પ્રભાવક રધર સમથ શિષ્યા-પટ્ટધરાના એ ગુરુ હતા. સ. ૧૦૯૫ માં ચડ્ડાવિલ(ચંદ્રાવતી)માં પ્રા. સુરસુંદરીકથા રચનાર સાધુ વનેશ્વર (જિનભદ્રસૂરિ), સ’. ૧૧૨૫માં પ્રા. સંવેગર’ગશાલા રચનાર જિનચંદ્રસૂરિ, તથા ૧૧૨૦થી ૧૧૨૮ લગભગમાં પાટણુ, ધેાળકા, સ્તંભનપુર(ખંભાત) વગેરેમાં વાસ કરી જિનસિદ્ધાંતા( ૯ અગસ્ત્રા, ઉપાંગ વગેરે) પર વ્યાખ્યાઓ રચનાર સુપ્રસિદ્ધ અભયદેવસૂરિ જેવા વિદ્વરત્ના-પ્રશિષ્યા-આજ્ઞાંકિત અનુયાયી એમના પિરવારમાં થઈ ગયા. એ રીતે વિચારતાં મુખ્યતયા ગુજરાત પર અને મારવાડ વગેરે બીજા દેશા પર પણ તેમના અસાધારણ ઉપકારાનું ચિરસ્મરણીય ઋણ છે—એ આપણે ભૂલવું ન જોઈએ. For Private And Personal Use Only
SR No.521610
Book TitleJain_Satyaprakash 1945 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy