SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક પ ] હોળી [ ૭૧ અલી અને તેના પુત્ર હસન તથા હુસેનના “ તાબૂત અને દહનવિધિ નહીં કિન્તુ દફનવિધિ એ કેટલેક અંશે હોળીની સાથે મેળખાતા તહેવાર છે. ઉપર દર્શાવેલ ગામો કથાઓ અને વિધિઓની વિભિન્નતા જોતાં હેળીને તહેવાર કેટલે કલ્પિત અસભ્યતામૂલક અચોક્કસ અને અનીતિવર્ધક છે તે સહેજે સમજી શકાય તેમ છે. જૈનધર્મમાં હોળી ખેલવાની મના છે. જેન પદેશિક સાહિત્યમાં ઢાં હોળી અને ધુળેટીને મેળ દર્શાવતી કથા છે. જયપુરમાં મનોરથ શેઠને ચાર પુત્ર અને હોળી નામે વિધવા પુત્રી હતી. હેળી કામપાળ ઉપર મોહિત થઈ વિરહથી પીડાવા લાગી. હુંઢા નામની ચાલાક સ્ત્રીએ, રવિવારના દિવસે સૂર્યમંદિરમાં પૂજાના બહાનાથી આ બન્નેનો મેળ કરાવી આપો. હવે હેળીએ સતીદાહને ઢોંગ કર્યો અને પિતાના આગ્રહથી તે વિચારને મુલતવી રાખ્યો. ફરીવાર ફા. શુ. ૧૫ની રાતે એક ઘાસના ઝુંપડામાં કામપાળ અને હળી મળ્યાં, અને ત્યારથી જ સાથે રહેવાની મુરાદ કરી. બંનેએ સુંઢા અને ઝુંપડાને બાળી નાખી પિબારા ગણ્યા. આ તરફ શેઠે અને લોકોએ સુંઢાના મડદાને હોળી માની હેળીએ સતીદાહ કર્યો છે એમ નક્કી કરી તેની રાખ શરીરે લગાવી. હવે કામપાળ હોળીના કહેવાથી અવાર નવાર મનોરથ શેઠની દુકાને જવા લાગ્યો અને એક દિવસે સાડી ખરીદવા માટે હોળીને પણ સાથે લઈ ગયો. શેઠ બોલ્યા કે આ મારી પુત્રી છે. કામપાળ બોલ્યો કે-શેઠજી તમારી હોળી અને મારી સ્ત્રી દરેક રીતે સરખાં લાગે છે. મને પણ એકવાર સૂર્યમન્દિરમાં તમારી પુત્રીમાં મારી પત્નીનો શ્રમ શો હતો. તમારી પુત્રી તો સતી બની ગઈ છે. મારી પત્ની આ જીવતી છે. હવે શેઠજીએ આ બન્નેને જમાઈ અને પુત્રી કરીને રાખ્યાં. આ તરફ ઢુંઢા મરીને પીશાચ થઈ હતી. તેણે ક્રોધથી જયપુરનો વિનાશ કરવા તૈયારી કરી. લેકાએ “બલિ” ધરી બચવાને “ઉપાય” માંગો. હુંઢાએ જણાવ્યું કે “મારા પૂર્વભવના ભાંડ અને ભરટક છે તે સિવાયના દરેકને મારી નાખી તા.” આ સાંભળી લોકોએ બચવા માટે ભાંડપણું આદર્યું, શરીરે કીચડ લીંપી ભરડકપણું વીકાર્યું અને જીવ બચાવ્યો. આમ દેખી ઢા પ્રસન્ન થઈ. બસ! ત્યારથી હેળી ટૂંઢાદહન અને ધુળેટીના તહેવાર શરૂ થયો છે. - આ જૈનકથાની રચના હેળીને પોષવા માટે નથી, કિન્તુ “આર્યોએ આ તહેવારને કઈ ઘટનામાંથી ઉપજાવ્યો છે તે સ્પષ્ટ કરવા માટે છે. આ તહેવારની પાછળ સ્વતંત્ર તાને સંદેશ નથી, કિન્તુ કાયરતાનું દિગ્દર્શન છે. આવા તહેવાર ઉજવવા એ “બુદ્ધિનું દીવાળું” કાઢવા જેવું છે. જેનાચાર્યો પોકારી પોકારીને કહે છે કે હેળીને પ્રચલિત તહેવાર સર્વથા ત્યાગ કરવા લાયક છે. આજના વિચારકે શું કહે છે ? જૈનાચાર્યો હોળીના અસભ્ય પ્રચાર સામે જેહાદ કરતા આવ્યા છે અને કરે છે, તેમ આજ કાલના વિચારક વિદ્વાન પણ હાળાને તજવાનું જોરશોરથી જણાવે છે અને તેમ કરવાથી જ દેશ સમાજ તથા આમાનું શ્રેય થશે એમ બતાવે છે. આ રહ્યાં તેમના લખાણમાંનાં ચેડાંએક ઉદ્દબેધક અવતરણે– શ્રીયુત કદી લખે છે કે–તેમાં વધતા ઓછા પ્રમાણમાં અનીતિ અને બિભત્સપણું જોવામાં આવે છે, ચોરી, ગાળાગાળી, શંખધ્વનિ, લેકના સામાનને નાશ, અસીલ સ્ત્રી-પુરૂષને સાથે લઈને ફરવું, દારૂ પીને મસ્ત બનવું, સ્ત્રીઓને અલીલ શબ્દોથી બોલાવવી, એકબીજાના કપડાં ઉપર ભૂંડા શબ્દો લખવા વગેરે જે પાશવ કૃત્ય કરવામાં આવે For Private And Personal Use Only
SR No.521607
Book TitleJain_Satyaprakash 1945 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages24
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy