________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ ૯ તેઓ!મીએ કહ્યું. “ વત્સ ! બિન્દુ જેટલું થયું છે અને સાગર જેટલું અવશિષ્ટ છે.’ શ્રી આરક્ષિત સ્થાને પૂર્વક ભણવા લાગ્યો, પણું મને ઇરાપુર જવા સુક થયું હતું. ફરી એક વખત પૂછયું. શ્રી સ્વામીએ વિચાર્યું કે બાકી ત મારામાં જ રહી જવાનું છે. આથી વિશેષ આ પ્રહણ કરી શકે તેમ નથી. એટલે તેઓશ્રીએ રજા આપી. એટલે શ્રી આર્યરક્ષિતજી, પિતાને વધુ વગેરે કેટલાક મુનિઓ સાથે, પાટલિપુર નગરમાં શ્રી સલિપુત્ર આચાર્ય મહારાજ પાસે પધાર્યા. આચાર્ય મહારાજને તેમના શ્રુતજ્ઞાનથી આનન્દ થયે, પિતાના પટ્ટ પર શ્રી આર્ય રક્ષિત અને સ્થાપન કરી તેઓશ્રી સ્વર્ગ પધાર્યા. પછી શ્રી આર્યરક્ષિતજી, વિહાર કરી દશપુર પધાર્યા. તેઓશ્રીના આગમનના સમાચાર શ્રી શુરક્ષિત માતાપિતાને જણાવ્યા. સર્વ સમ્બન્ધિઓ વન્દન માટે આવ્યા અને આનન્દ્રિત થયાં. તેઓશ્રીના પિતાએ સાંસારિક વાતો કરીને વિવાહ માટે આગ્રહ કર્યો. તેમને સમજાવતા શ્રી આર્ય રક્ષિતજી બોલ્યા
રાજ! સં મોરવાતા વાપી ના શrator, આt fસ ફર્ષમ્ भवे भये पिता माता, भ्राता मामिः प्रिया सुता । तिरबामपि नायम्ने, हर्षस्तखेतुरत्रकः॥
પિતા, તમે મોહથી વિરલ થયા છો. મજૂરની માફક જ શાસ્ત્રોને ન ઉચકી શકાય એ બેજ વહન કર્યો છે. માતા પિતા ભાઈ ભગિની સ્ત્રી કુટુમ્બ તિયને પણ ભવોભવમાં થાય છે. તેથી કયે આનન્દ છે?).
ઇત્યાદિ ઉપદેશ આપી સને દીક્ષા આપી. માતા પ્રવતિની થયાં, પિતા સમદેવને વાહણધર્મના ચિર સંસ્કાર હતા, તેથી દીક્ષામાં પણ તેઓ કછ (કાછડી), પાદુકા ( લાકડાની ચાખડી), છત્ર, જનોઈ વગેરે છૂટ લઈ રાખતા હતા.
શ્રી આર્ય રક્ષિતજીએ બાળકેને શિખડાવ્યું. બાળકે સર્વ સાધુઓને વંદન કરી, “હ મુનિ પાસે આવી કહેતા કે “છત્રીવાળા મહારાજને કોણ વન્દન કરે?” વૃદ્ધ મુનિએ વન્દનિક થવા માટે અનુક્રમે છત્ર પાદુકા જઈ આદિને ત્યાગ કર્યો. છેવટ બાળકો કહેવા લાગ્યા કે “અમે કાછડીવાળા મહારાજને નહીં વાંધીએ.' વૃદ્ધ મુનિએ શ્રી આર્ય રક્ષિતજી પાસે જઈને કહ્યું કે “મને ન વાંદે તે કાંઈ નહિ, પણ હું કાછડી કાઢી નાગ નહીં થાઉં.'
એકદા ગચ્છમાં કોઈ મુનિ કાળધર્મ પામ્યા. તેમને ગામ બહાર સાધુઓ જ લઈ જતા. તે સમયે એવી પ્રવૃત્તિ હતી. શ્રી આર્યરક્ષિતજી મહારાજે સાધુને ગામ બહાર લઈ જવામાં મહાન લાભ બતાવ્યું. સાથે માર્ગમાં ઉપદ્રવ પણ થાય છતાં રસ્તામાં તેને મૂકી દેવાય નહી, માર્ગમાં. મૂકવાથી મહાપાપ લાગે, ઇત્યાદિ કહ્યું. તેમના આ અસરકારક વકતવ્યથી વૃદ્ધ મુનિ લઈ જવા તયાર થયા. લઈને ચાલ્યા. ભરબજારમાં આવ્યા ત્યારે બાળકોએ આવી કાછડી કાઢી નાખી અને ચોળપટ્ટો પહેરાવી કન્દોરે બાંધી દીધો. વૃદ્ધ મુનિએ એ સર્વ સહન કર્યું, ને ચલિત થયા વગર મુનિના મૃતકને નગર બહાર લઈ જઈ પરઠવ્યું. ઉપાશ્રય આવ્યા ત્યારે શ્રી આર્ય રક્ષિતજી મહારાજે ખૂબ આશ્વાસન આપ્યું ને કહ્યું કે “આ લ્યો મોટું વસ્ત્ર-ચોળપો કાઢી નાખે,' વૃદ્ધ મુનિએ કહ્યું. “થવાનું હતું તે થઈ ગયું. ભરબજારમાં હું નગ્ન થયો. હવે શું હવે તે જે છે એ જ ઠીક છે..
૧ સાધઓમાં ત્યાથી કદરે બાંધવાની પ્રવૃત્તિ થઈ, એવી પરંપરા છે.
For Private And Personal Use Only