SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - અંક ૩] મૌન એકાદશીના અપૂર્વ પ્રભાવ [૮૭] કુટુઓની અગિઆર કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. અને પિતાએ પુત્રને સવ' ભાર સોંપી પ્રવજ્યા અંગીકાર કરી આત્માના કલ્યાણને માર્ગ ગ્રહણ કર્યો. 'સુવત શ્રેષ્ઠીએ પોતાના દેવભવ પહેલાંના ભાવમાં અગિયારસનું રૂડી રીતે આરાધન કર્યું હતું તેથી તે અગિયાર કોડ સોનૈયાને ભક્તા, દાનવીર, રાજ્યનો માનીતો થયો અને ધર્મકાર્યથી દીપ થયો. આ રીતે સાંસારિક સુખોને અનુભવતાં સુવ્રત શ્રેષ્ઠીને ત્યાં અગિયારે વધુઓએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. સુવતશેઠ અગિયાર પુત્રોના પિતા થયા. એક સમયે ઉદ્યાનમાં ધર્મઘોષ નામના મુનિ સપરિવાર પધાર્યા. રાજા વગેરે તથા સુવત શેઠ સૌ વંદનાર્થે ગયા. પૂ. આચાર્ય મહારાજે ઉપદેશ આપતાં તપનું ખૂબ જ સમર્થન કર્યું. અને પ્રાંતે જણાવ્યું કે-પંચમીના તપ વડે પાંચ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અગિયારસના તપ વડે અગિયાર અંગ સુખપૂર્વક આવડે છે, ચતુર્દશીના તપ વડે ચૌદ પૂર્વ આવડે છે અને પર્ણિમાસીના તપ વડે સર્વસ્વનું આગમન થાય છે. આ રીતે તપને અનુપમ મહિમા સાંભળી સુવ્રત શ્રેષ્ઠીના મનમાં ઊહાપોહ થવા લાગ્યો. તેમને એકદમ મૂછ આવી અને જાતિસ્માનું જ્ઞાન ઉત્પન્ન થયું અને એના પ્રતાપે તેમણે પિતાને પૂર્વભવે નીહાળ્યો. અને પોતે મૌન એકાદશીની આરાધના કરી હતી તે જણાયું. આ ભવમાં પણ મારે તે વ્રતની જિંદગી પર્યત આરાધના કરવી એવો સંકલ્પ કર્યો. એટલે ગુરમહારાજે કહ્યું “હે શ્રેષ્ઠી ! પૂર્વભવે તમે તેને રૂડી રીતે આરાધી છે તેથી આ ભવમાં તમને નિમલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, તમે અગિયાર છો નૈયાના માલિક થયા છે અને ધર્મની દઢ શ્રદ્ધા વગેરે પામ્યા છે. માટે હવેથી તે વ્રતનું વિશેષ કરીને આરાધન કરે. હવે શ્રેષ્ઠી કુટુંબ સહિત આઠ પહેરના પૌષધ પૂર્વક મૌન એકાદશીનું આરાધન કરવા લાગ્યા, એટલે લોકમાં પણ મૌન એકાદશીનો ખૂબ ખૂબ પ્રસિદ્ધિ અને માન્યતા થઈ. જે ફિ નિ એ ઉક્તિ અનુસાર સારા કાર્યમાં પણ વિદન આવે છે. પણ જ્યારે તેમાંથી પસાર થઈ જવાય છે ત્યારે તે કાર્ય માફલાથી થાય છે. દ4 શ્રદ્ધાવાન સુત્રત શ્રેષ્ઠી એકદા પૌષધ લઈ તેનું સમ્યગ્ર રીતે આરાધના કરી રહ્યા છે. રાત્રિમાં સૌ કાયોત્સર્ગમાં લીન થયા છે. આ બાજુ ચોરને ખબર પડી કે સુવ્રત શ્રેષ્ઠી મહાધનવાન છે, અને મૌન એકાદશીએ વ્રત કરીને મૌન રહે છે, લેશમાત્ર પણ બોલતા નથી. માટે આપણને ઠીક લાગ મળ્યો છે. એમ વિચારી ચેરેએ સુત્રત શ્રેષ્ઠીના ઘરમાં પ્રવેશ કર્યો. એક તે રાત્રિ એટલે ઘોર અંધારું તેમાંય સૌ પૈષધમાં એટલે દિવાનું તે નામ નિશાન નહીં. ચોરોએ દાવો કર્યો એટલે દીવાના તેજમાં જ્યાં દષ્ટિ નાખે ત્યાં સેનાના જ ઢગલા દેખાયા. એ જોઈને ચોરે તે આભા જ બની ગયા. વાહ ! આજ તો ખૂબ જ માલ મળશે. પણ જ્યાં કર્મરાજા રુઠ હોય ત્યાં મનની ભાવના મનમાં જ અદશ્ય થઈ જાય. સુબત એકઠીનું પુણ્યબળ પણ જબરજસ્ત તપતું હતું. વળી તે મૌન એકાદશી જેવા વ્રતમાં તલ્લીન થયા હતા. એટલે તુરત જ શાસનદેવીએ બધાય ચોરોને તંકિત કરી દીધા. - પ્રભાતકાલ થશે, એટલે ખંભિત થયેલા ચોરેને જોઈ સર્વે લોકો ભેગા થયા. કોટવાલને ખબર આપી. કોટવાલો આવીને ચોરને બાંધી ઊભા રહ્યા. કુટુમ્બસહિત સુવત શ્રેષ્ઠ સ્થાપનાચાર્ય સમીપે પૌષધ પારી ઉપાશ્રયે જઈ ગુરુ મહારાજને વંદન-નમસ્કારાદિ કરી દેશના સાંભળી પાછા ઘેર આવ્યા. અને એ બધું જેવા છતાં મૌન જ રહ્યા. For Private And Personal Use Only
SR No.521596
Book TitleJain_Satyaprakash 1943 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy