________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
તે નિર્વિવાદ છે. પણ સૂબા તરીકે નિમાનાર આ વ્યકિત કોણ એટલે કે વિ. સં. ૧૨૨૦–૨૩ માં સેરઠના સૂબા તરીકે કોણ વ્યક્તિ હતી એને સ્પષ્ટ ઉત્તર ક્યાંય મળતો નથી. અત્યાર સુધીમાં સોલંકી યુગ સંબંધી જે શોધખોળ થઈ છે તેમાં આ સંબંધી કશો ખુલાસો કરવામાં આવ્યો નથી. “મારતીય વિવા” નામક સૈમાસિકના ભાગ ૨ અંક ૧ ના પૃ. ૯૮ અને તે પછીનાં પાનાંઓમાં શ્રી. રામલાલ ચુનીલાલ મોદીએ તૈયાર કરેલ “સોલંકી સમયના રાજપુરુષોની નામાવલિ' શીર્ષક લેખમાં મહારાજા કુમારપાળના સમયમાં જુદા જુદા પ્રાંતમાં સૂબા તરીકે નિમવામાં આવેલ કેટલીક વ્યકિતઓનાં નામો આપ્યાં છે. પણ સોરઠના સૂબા સંબંધી કશે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, એ ઉપરથી એમ માની શકાય કે એને નિર્ણય થઈ શકે એવી કશી હકીકત નહીં મળી હેય.
આપણે જોયેલ શિલાલેખસ્થ અને ગ્રંથસ્થ ઉલ્લેખોમાં સોરઠના સૂબા તરીકે નિમાયેલ વ્યક્તિનાં આવા યા અવાજા (બે શિલાલેખે, પુરાતનકવંધલંબદ પૃ. ૩૪ અને ૪૭ અને ચતુરશીતિકવંધઘટ્ટ માં), મા (સુમારપાત્ર–તિરોધ પૃ. ૧૮૦, ૩રાસતતિા અધિકાર ૨ ઉપદેશ ૩ અને પુરાતનબંધસંદુ પૃ. ૩૪ માં), સંવ (વંરિરાજુમાં), આઇ (કુમારપાત્રમૂવારિત્ર સર્ગ ૯ શ્લેક ક૬૪ અને ગિરનારતીર્થમામાં) અને પદ (કુમારવાઝધ પૃ. ૧૦૫, ૩પેશતરંગિળી પૃ. ૧૨૨-૧૨૩ અને પુરાતનકવંધસંગ્ર૬ પૃ. ૧૨૬ માં) એમ જુદાં જુદાં નામ મળે છે. પણ આ બધાંય નામ એક જ વ્યકિતને ઉદ્દેશીને લખવામાં આવ્યાં હોવા છતાં તે એક જ વ્યકિતના ઘોતક થઈ શકતા નથી. બાદ અથવા માત્ર ને રાણિકના પુત્ર તરીકે ગણવામાં આવેલ છે, જ્યારે આંબડ એ મહામંત્રી વાભટ (બાહડ) ને ના ભાઈ અને મહામાત્ય ઉદયનને પુત્ર થતા હતા.
ખરી હકીકત એ છે કે આ જુદી જુદી વ્યકિતને બતાવતાં નાગેને એક વ્યકિતના દ્યોતક માની લેવામાં આવવાથી જ પાજ બંધાવનાર વ્યક્તિ કોણ એને સ્પષ્ટ નિર્ણય મળી શકતો નથી. એટલે એ સમયમાં-વિ. સં. ૧૨૨૦-૨૩ માં સોરઠને દંડનાયક કે હતો એનો સ્પષ્ટ ખુલાસે મળે તે ગિરનારની પાજ બંધાવનારનું નામ આપણે બરાબર જાણી શકીએ. પણ અત્યારે એવું કશું સાધન નથી મળતું એટલે આ પહેલે મુદ્દો આપણને ગિરનારની પાજ બંધાવનારને ઓળખવામાં સહાય કરી શકે એમ નથી. (૨) આંબા યા આંબાકના પિતા રાણિગ કેણુ?
આ સંબંધી પણ આપણને સ્પષ્ટ ખુલાસે ક્યાંય મળી શકતો નથી કે મહારાજા કુમારપાળના રાજ્યકાળમાં “રાણિગ” નામક કાણું વ્યક્તિ હતી. છતાં જે રાજ ને પર્યાયવાચી “M ” અથવા “રાળ” “શબ્દ ગણી શકીએ તે તે મહામાત્ય ઉદયનને ઘાતક થઈ શકે. પુરાતનકવંધસંઘમાં તેમજ ચતુરતિદ્રવંધસંઘટ્ટ (અપ્રગટ હસ્તલિખિત ગ્રંથ) માં કેટલેક સ્થળે રાજ શબ્દ મહામાત્ય ઉદયનના વિશેષણ તરીકે તેમજ તેના નામને બદલે–બીજા નામરૂપે-એમ બન્ને રીતે મળે છે, તે આ પ્રમાણે
મુખ્ય નામ તરીકે વપરાયેલ રાણક શબ્દ“ પુરાતનપ્રધસંઘર' માં પૃ. ૩૨ માં* રૂત વામન રાખવા –તતિ ... અર્થાત “ આ પછી વામદેવે શણુકને કહ્યું-પિતાજી!...”
For Private And Personal Use Only