SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગિરનાર તીર્થની પાજ કાણે અંધાવી ? [ એક વિચારણા ] લેખક—પૂજ્ય મુનિમહારાજ શ્રીન્યાયવિજયજી (ક્રમાંક ૮૮ થી શરૂ ગતાંકથી ચાલુ ઃ આ અકે સંપૂર્ણ) અર્વાચીન વિદ્વાને એ પાજ બંધાવનાર અંગે કરેલી વિચારણા:— ગિરનાર તીની નવી પાજ બંધાવનાર અંગે અર્વાચીન ત્રણ વિદ્વાનોએ કેટલીક વિચારણા કરી હોવાનું મારા જાણવામાં આવ્યું છે: [1] શ્રીમાન જિનવિજયએ, તેમણે સંપાદિત કરેલ પ્રાાન હેલ સંગ્ર ’ ભાગ ખીજામાંના લેખ ન. ૫૦ તથા પ [જે બન્ને લેખા ગિરનારની પાજ સબંધી શિલાલેખસ્થ ઉલ્લેખેા તરીકે મે ક્રમાંક ૮૮ ના પૃ. ૧૩૨ માં આપ્યા છે તે] ના અવલોકનમાં; [૨] પંડિત બેચરદાસ ભાઇએ ‘પુરાતત્ત્વ’ માસિકના વર્ષ ૧ ના અંક ૩૧માં સંપાદિત કરેલ - શિરનાર ચૈત્ર પ્રવાડી 'માં અને [૩] શ્રીયુત રામલાલ ચુનીલાલ મેાદીએ, ‘ ફ્રાંસ ગુજરાતી સભા મહાત્સવ ગ્રંથ માં • મંત્રી ઉદયન અને તેને વશ ' શીર્ષીક લેખના પૃ૦ ૧૩૪ ઉપર. શ્રીમાન જિનવિજયએ પેાતાના અવલેાકનમાં રૃ. ૮૩ માં ગિરનારની પાજ મહામાત્ય ઉદયનના પુત્ર મંત્રી વાગ્ભટ કર્યાની બિનાને ભ્રાન્ત બતાવી છે અને શિલાલેખી પ્રમાણ મુજબ રાણિગના પુત્ર આંબાઅે પાજ બંધાવ્યાનું જણાવ્યું છે. પંડિત બેચરદાસભાઇએ પણ વાગ્ભટે પાજ બધાવ્યાની વાતના ઇન્કાર કર્યા છે. અને શ્રી રામલાલ મેદીએ ઉડ્ડયનસૂત આંબડ અને પાજ બંધાવનાર આંબાક એ બન્નેને ભિન્ન વ્યક્તિ બતાવેલ છે. આ રીતે આધુનિક આ ત્રણે વિદ્વાનેએ આ સંબંધી ઘેાડીક વિચારણા કરી છે અને ગિરનારની પાજ બંધાવનાર કોણ ન હેાઇ શકે, એને નિર્ણય જણાવ્યા છે. આપણે ઉપર જોયેલા ઉલ્લેખાના આધારે આ સંબંધી કાંઈક વધુ વિચાર કરવા પ્રયત્ન કરીશુ. ગિરનારની પાજ બંધાવનારને આળખવાનાં મુખ્ય મુદ્દાઃ— ગિરનાર તીની પાજ બંધાવ્યા સબંધી જુદા જુદા પ્રાચીન ગ્રંથોમાંના ૧૬ ઉલ્લેખા અને શિલાલેખચ એ ઉલ્લેખે આપણે જોયા તે બધા ઉપર વિચાર કરતાં નીચેના ત્રણ મુદ્દામાંથી, ત્રણેયને અથવા કમમાં કમ એક મુદ્દાના પણ જો આપણે નિર્ણયાત્મક અને બરાબર સાચા ખુલાસા મેળવી શકીએ તેા પાજ બંધાવનાર વ્યક્તિ સબંધી છેવટના નિર્ણય આપણે કરી શકીએ. મા મહત્ત્વા ત્રણ મુદ્દા નીચે મુજબ છે:—— ૧. વિ. સ. ૧૨૨૦-૨૩ ના અરસામાં ગિરનારની નવી પાજ અપાઈ તે પર સામાં મહારાજા કુમારપાલે સારના સૂબા તરીકે કેાની નિમણૂક કરી હતી ? ૨. પાજ બંધાવનાર જે આંબાક યા આમ્રાકના પિતાનું નામ રાગિ આપવામાં આવ્યું છે તે રાણિગ કાણુ હતા ? 3. ગિરનારની પાજ બંધાઇ તે વેળા ગિરનાર ઉપર પરબ બંધાવનાર તરીકે જેનુ નામ અપાયું છે તે ધવલ નામના ભાઇ જેને હાય તે આંબા યા આંબાકુ કયા ? આ ત્રણે મુઠ્ઠા સબંધી આપણે વિચારણા કરીએ. (૧) વિ. સ. ૧૨૨-૨૩ માં સારઠના દંડનાયક કોણ હતા ? મહારાજ કુમારપાળનો આદેશ મળ્યા પછી, જે વ્યક્તિના હાથે ગિરનારની જૂનાગઢ તરફની નવી પાજ બંધાઇ તે વ્યકિતને સાદ્નના સૂબા તરીકે નિમવામાં આવી હતી એટલું For Private And Personal Use Only
SR No.521588
Book TitleJain_Satyaprakash 1943 03 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy