SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૮ થએલ હોવાથી ઐતિહાસિક દષ્ટિએ અગણે તેર વષઁ પ્રાચીન છે; અને વધુમાં આ પટને ઘડનાર શિપી પણ કાઈ ખાસ શિલ્પી હોય એવું લાગે છે, કારણકે પટમાંની એકેક જિનપ્રતિમા તથા એકેક આકૃતિનું શિલ્પ સુંદર પ્રકારનું તેણે રજુ કરેલું છે, જે વર્તમાનમાં આરસમાં ઘડાતા શત્રુજ્યના પદ્યની સરખામણીમાં વધારે સુંદર છે. સભામાંડમાંથી આગળ જતાં રગમંડપમાં જવાના રસ્તે આવેલું છે. રગમંડપમાં જવાના રસ્તાની બન્ને બાજુએ, રંગમડપના પ્રવેશદ્વારના દરવાજાની બહાર પાષાણુની નાની મેટી ૧૪ જિનપ્રતિમાએ, શાસનદેવી અંબિકાની એક પાષાણુની મૂર્તિ તથા ધાતુના માટી ૪ જિનપ્રતિમાએ આવેલી છે. આ ધાતુની ચાર પ્રતિ પૈકીની શ્રી સુમતિનાથ ભગવાનની પરિકરવાળી પત્તન નગરના રહેવાસી સં.પતિએ કરાવેલી અને સંવત ૧૫૩૬ના ફાગણ સુદિ ના દિવસે ખરતગચ્છીય શ્રી જિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિ બહુ જ સુંદર છે અને કલાની દિષ્ટએ એક ઉત્તમ પ્રકારની કલાકૃતિ છે. આ પ્રતિમાજી કાઇ વિશાળ જિનમંદિરના મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવા લાયક છે. રગમ ડષના પ્રવેશદ્વારાની બંને બાજુએ સફેદ આરસની પાર્શ્વનાથ ભગવાનની ફણાવાળી માનુષી આકારની ઊભી એ સુંદર પ્રતિમાઓ છે, જેના ઢીંચણુ સુધીના ભાગ સુધી આડા પત્થર ચણી લીધેલા હોવાથી લેખે! હાવા છતાં લઇ શકાયા નથી. પ્રવેશદ્વારમાં દાખલ થતાં જ રંગમ′ડપની બંને બાજુએ પણ જિનપ્રતિમાએ આવેલી છે. રંગમ`ડપમાં પાષણની ૩૧ જિનપ્રતિમા, પાલ્ગુની ૨ ગુરુમૂર્તિએ, પાષણની ૨ ચરણ પાદુકાઓ, ધાતુના ૧ સમવસરણની સુંદર આકૃતિમાં બેઠેલ ચારે બાજુ એકેક જિનેશ્વરદેવની પ્રતિમા, ૧ ધાતુની પંચતીર્થી તથા ૧ ધાતુના કનક પર બિરાજમાન એક જિનપ્રતિમા આવેલી છે. રંગમંડપમાંની આ ધાતુપ્રતિમાઓ પૈકીની ધાતુની કમલપર જે એક જિનમૂર્તિ બિરાજમાન છે, તે ધાતુના કમલપર સંવત ૧૧૪ની સાલને આધુનિક લિપિમાં લખાએલા લેખ છે, જે જૈન લે. સ. ૩ ભાગમાં લેખાંક ૨૧૨૪માં પ્રસિદ્ધ થશ્કેલ છે. આ કમલની ધાતુ પણ એટલી પ્રાચીન નથી તેમ તેની લિપિ પણ ૧૧૪૭ની લિપિની સાથે મલતી આવતી નથી, જે સામાન્ય લિપિ વાંચનારને પણ જોતાંની સાથેજ જણાઈ આવે તેમ છે. મારી માન્યતા પ્રમાણે ગચ્છના કદાગ્રહને વશ થએલ કાઇ માણસનું આ કા છે. આવા બનાવટી લેખા લખવાથી નથી તે કાઇ ગચ્છની મહત્તા વધતી કે નથી વધતી જૈનધર્મની મહત્તા; આ કમલની લિપિ સેાલમા સૈકા પછીની લિપિએને મળતી છે, મારા પ્રવાસ દરમ્યાન આવા તેા કેટલાયે લેખા જિનપ્રતિમા પર ગચ્છના મમત્વથી લખાએલા મલી આવે છે; આવા ખાટા લેખા લખવાથી આપણી સાચી વસ્તુએ પણુ ભવિષ્યમાં જૈનધર્મીના ટીકાકારીને ટીકા કરવાનું એક મજમુત સાધન પૂરું પાડશે. એવું બનવા ન પામે તે માટે જ મારે આટલી નોંધ આ લેખ માટે અહી લખવી પડી છે. જૈસલમેરના જિનમંદિરની આ જિનપ્રતિમાના એકલા કમલ ઉપર જ આવે લેખ લખવામાં આવ્યેા છે, એટલું જ નહિ પણ જૈસલમેરના કિલ્લા પરના ઐતિહાસિક તાડપત્રીય ગ્રંથભંડારની કેટલીક તાડપત્રીય હસ્તપ્રતાની પ્રશસ્તિઆમાં પ ગચ્છના વ્યામેાહને વશ થએલા કાઇ ભાઈએ ગુચ્છના નામના For Private And Personal Use Only
SR No.521586
Book TitleJain_Satyaprakash 1943 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy