SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૪૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ ગામને પાદરે એક વૃક્ષતળે એ મુનિએ વિશ્રાન્તિ માટે બેઠા છે. તેમાં એકનુ નામ સુભદ્રવિજયજી છે, અન્યનું નામ ભદ્રવિજયજી છે. તેમના ગુરુ આ અમિત્ર હતા. આ અમિત્ર આ કૌડિન્યના શિષ્ય અને આય મહાગિરિ આચાર્યના પ્રશિષ્ય થાય. આ અશ્વમિત્ર મિથિલા નગરીમાં તેમના ગુરુ પાસે પૂને અભ્યાસ કરતા હતા. એક વિષયમાં વિચારભેદ થયા. ગુરુમહારાજે ધણી રીતે તે વિષય સમજાવ્યા, પણ તેમણે પેાતાને કદાગ્રહ ન છોડયા, એટલે ગુરુજીએ તેમને સમુદાય બહાર કર્યાં. તે સપરિવાર ગુરુજીથી જુદા વિચરવા લાગ્યા. મિથિલાથી વિહાર કરતા કરતા રાજગૃહ તરફ તે જઈ રહ્યા છે. તેમની પાસે ઉપરાત બન્ને મુનિએએ સાથે જ દીક્ષા લીધી હતી. બન્ને એક જ ગામના વતની હતા. બાલ્યવયથી સાથે રમેલા ને ભણેલા. બન્ને વચ્ચે ગાઢ મૈત્રી હતી. તેમાં મેાટા સુભદ્રવિજયજી ભણવામાં ચતુર હતા. આ અમિત્રને તેમના ઉપર પ્રેમ સારા હતા. ભદ્રવિજયજી અલ્પ અભ્યાસ કરી શકતા પણ પ્રકૃતિના મૃદુ અને શાન્ત ગ્રીષ્મ ઋતુના સખત તાપમાં એકાએક વિચારભેદને કારણે વિહાર થયા, તેમાં આ બન્ને મુનિએ સાથે હતા. ભવિજયજીને આ પક્ષભેદનું મનમાં દુ:ખ હતું તે તેમણે સુભદ્રવિજયજી પાસે એક વૃક્ષ તળે વિશ્રાન્તિ માટે એસીને ઉપર પ્રમાણે વ્યકત કર્યું. હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઃઃ ‘ શાસ્ત્રની એક એક વાત એટલી ઝીણી અને ઊંડી હોય છે કે તેમાં વિચાર કર્યાં વગર હા–એન્તા કરી ચલાવવામાં આવે તે ઘણી વખત મોટા ભૂલતા હાય તો તે ભૂલની પરપરા એમ ને એમ ચાલુ જ રહે છે. તમને શાસ્ત્રીય સૂક્ષ્મ અભ્યાસ નહિ એટલે તમે ન સમજો, પણ આ વિચાર જેટલા આગ્રહપૂર્વક પકડવામાં આવ્યેા છે તેટલા જ ઊંડા અને મહત્ત્વના છે. આ વિચારની એક બાજુ પકડીને આખુ' બૌદ્ધ દર્શાન ચાલે છે. થાડી પણ કચાશ રાખીને આ વિષય છેડી દેવામાં આવે તે એકદમ દુયના સામ્રાજ્યમાં ગબડી જવાય. 44 સિદ્ધાન્તના ભાગે ફકત અમુક મુનિના અલ્પ અનુરાગથી તમે ત્યાં રહેવા લલચાવ તે મને ઇષ્ટ ન લાગ્યું એટલે મેં તમને સાથે આવવા આગ્રહ કર્યાં. વિચારભેદ ન થયે હોત તે। તમે અહીં રહો કે ત્યાં રહો તે બન્ને સરખુ હતુ.” સુભદ્રવિજયજીએ ભવિજયજીને આશ્વાસન આપ્યુ. તેમને પેાતાના પક્ષ માટે ગં હતા. કંઈક સમજ હતી એટલે ઉપર પ્રમાણે બચાવ કર્યાં. “ સિદ્ધાન્તની સત્ય બાજુને વળગી રહેવા તમે કહ્યુ', પણ તે સત્ય બાજુ નક્કી કરવી ઘણી મુશ્કેલ હાય છે. સ્યાદ્વાદને માનનાર આપણે આવે! આગ્રહ પકડીએ તે ડીક ન કહેવાય. તમે સમજુ છે એટલે માનતા હશે કે આપણે સાચે પન્ધે ચડયા છીએ, પણ ઘણી વખત સમજી પણ આગ્રહવશ થઈને માગ ચૂકી જાય છે. જમાલી કેટલા સુજ્ઞ અને વિજ્ઞ હતા છતાં આગ્રહવશ તેમની કેવી સ્થિતિ થઈ જીદ્દ એવી વસ્તુ છે ક તે પકડાયા પછી છોડવી બહુ મુશ્કેલ છે. આપણે આમ આગ્રહ કરી છૂટા ન પડયા હત તે સમજુતિથી કાઇ સારા માર્ગ કાઢયા હોત તે આપણુ, તેમનુ તે શાસનનુ કેટલું સુન્દર દેખાત ? ’’ ભદ્રવિજયજીએ ઉપર પ્રમાણે કહ્યુ. એટલે સુભદ્રવિજયજી ફરી માયાઃ For Private And Personal Use Only
SR No.521580
Book TitleJain_Satyaprakash 1942 06 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy