SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિહનવવાદ લેખક–પૂ. મુનિ મહારાજ શ્રી ધુરંધરવિજયજી ( ક્રમાંક ૭૬ થી ચાલુ ) ચોથા નિવ-આર્ય અશ્વમિત્ર : ક્ષણિવાદી કથાવસ્તુ वीसा दो वाससया, तइया सिद्धिं गयस्स वीरस्स ॥ सामुच्छेइयदिठ्ठी, मिहिलपुरीए समुप्पन्ना ॥ मिहिकाए लच्छिधरे, महगिरि कोडिन्न आसमित्तेय । કળિcqવાપ, રાશિદે તારાયણાય . ( નિયુક્તિ ) અર્થ:- મહાવીર સ્વામી મુકિત ગયાને બસ વીસ વર્ષ થયે છતે મિથિલા નગરીમાં સામુચ્છેદિક દૃષ્ટિ ઉત્પન્ન થઈ. મિથિલામાં લક્ષ્મીગૃહ ચૈત્યમાં મહાગિરિ આચાર્ય, કૌડિન્ય, અશ્વમિત્ર અનુપ્રવાદ પૂર્વમાં નૈપુણિક નામે વસ્તુ-(નું અધ્યયન કરતાં અલ્પમિત્રને સામુદિક દૃષ્ટિ થઈ) રાજગૃહમાં ખંડરક્ષક-(શ્રાવકોએ બોધ પમાડ્યો.) ચેથા નિર્નવ અશ્વમિત્રની વાત સરળતાથી સમજી શકાય તે માટે તે સળંગ લેખરૂપે ન આપતાં કલ્પિત સંવાદ-વાર્તાલાપ રૂપે આપવાનું ગ્ય ધાર્યું છે. (૧) ગામને પાદરે – પગે ચાલીને વિહરવું એ કઠિન છે. તેમાં પણ ઉનાળામાં વિહાર કરે એ વિશેષ કઠિન છે. પંથ મrsgiri એ કથનને અનુભવ આજ સાક્ષાત થાય છે. થોડા સમય ઉપર શરીર કેટલું નરમ થઈ ગયું હતું, માંડમાંડ આરામ થયું. પછી ધારણું તે એવી હતી કે–તમારે, ગુરુમહારાજને તથા અન્ય મુનિઓને સારી રીતે પઠન પાઠન ચાલે છે તો આ ચાતુર્માસ મોટા ગુરુમહારાજ સાથે જ થશે. વિહારનો તે સ્વને પણ ખ્યાલ ન હતો. ત્યાં તે આ વચમાં તૃતીયં નીકળ્યું ને એકાએક વિહાર કરવો પડશે. કીર્તિવિજયજીએ મને બહુ કહ્યું કે “તમે અહીં જ રહી જાવ. અહીં સર્વે અનુકુળતા છે, ને તમારે શક્તિ આવવાની જરૂર પણ છે. આ સાચું ને તે સાચું એ તે મોટા જાણે. આપણે તેમાં શું? આપણે તે તેઓ આજ્ઞા ફરમાવે તે પ્રમાણે વર્તવું. તેમને મારા ઉપર પ્રેમ પણ સારે છે. મારી તબીયત નરમ હતી ત્યારે મારી સેવા તેમણે જ વિશેષ કરી હતી. થડે બહુ ત્યાં રહેવા માટે ભાવ પણ હતો, પરંતુ તમારે આગ્રહ અને ઘણું સમયથી તમારી સાથે રહેવાથી નેહ એટલે જુદે ન પડે, ને અશક્તિ છતાં વિહાર કર્યો. આવી એક સામાન્ય વાતમાં એટલું બધું શું કે બે પક્ષ થઈ જાય ત્યાં સુધી કંઈ સમાધાન ન થાય. આ વિધિ એવો થશે કે વર્ષોને સર્વ સમ્બન્ધ વિસરી જવાયો ને ફરી એ અલ્પ સંધાય કે ન સંધાય તે પણ શંકિત.” For Private And Personal Use Only
SR No.521580
Book TitleJain_Satyaprakash 1942 06 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy